નાની ઉંમરમાં માતા ગુમાવવાનું દુઃખ જેને
પડ્યું હોય તે જ જાણે. તેથીજ તો એક
પ્રચલીત કહેવત ગુજરાતીમાં છે કે ‘બાપ
મરજો પણ મા ના મરશો.’ બીજી એવી જ
કહેવત છે ‘મા તે મા બીજા વગડાના વા’.
એક નાના બાળક્ની મા તેને રડતો
મૂકીને પ્રભુના ધામમા જઈ પહોંચી. તેને
એક મોટી બહેન હતી. જે તેને ખૂબ વહાલ
કરતી.
હજુ તો આંખના આંસુ સૂકાયા પણ ન
હતા ને બાપાએ બીજા લગ્ન કર્યા. આમ
તો ખાધેપીધે સુખી કુટુંબ હતું. નવીમાને
લીલાલહેર હતા. પણ ઓરમાન બે બાળકો
ખટકતા. બાપા તેમને વહાલ આપે પણ તે
કાંઈ ૨૪ કલાકતો ઘરમાં ન હોય.
શાળાના શિક્ષક તે બાળકની વધુ સંભાળ
રાખતા. તે બાળક પણ પરાણે વહાલો લાગે
તેવો હતો.
એક દિવસ શાળામાં આવવાનું મોડું થયું.
શિક્ષક ચલુ વર્ગે કશું જ બોલ્યા નહીં. વર્ગ
પૂરો થયો એટલે પેલા બાળકના ખબર અંતર
પૂછ્યા. અંતે કહે બેટા તારી નવીમા તને ગમે
છે ને? બાળક નીચું જોઈ બોલ્યો હા મને ગમે
છે. પણ –પછી ચૂપ થઈ ગયો. માસ્તર
વિચારમાં પડી ગયા પ્રેમથી પૂછ્યું પણ શું?
બાળક કહે ‘નવી મા જે કહે તે કરે છે.’
માસ્તરને સમજ ન પડી તેઓ કહે એટલે શું.
બાળક કહે મને જ્યારે કહે ‘હું તને મારીશ
ત્યારે મને મારે છે’. મારી જૂની બા કાયમ
કહેતી પણ મારવાને બદલે વહાલ કરતી.
કહે છે એ કરેછે
March 24th, 2007 by pravinash Leave a reply »
Advertisement