Archive for April, 2008

કોણ ઈમાનદાર?

April 30th, 2008

   નક્કી કરજો. જ્યારે મચ્છર કરડે છે ત્યારે આપણા કાન પાસે
ગુનગુન કરે છે. માનવ ઉંઘમા પણ હોય તો તેને ઉડાડી શકે
છે. પછી જો તમે ન ચેતો ત્યારે એ તમને કરડવાની હિંમત
દાખવે છે.

માનવ પહેલા દોસ્તીનો હાથ બઢાવે છે. જ્યારે હાથ થામી
ભાઈબંધી બાંધે બાદ ક્યારે પેટમા પેસી પગ પહોળા કરે છે તે
ખબર પણ પડવા દેતો નથી.

સજ્જન માનવી એક વખત નાતો બાંધે પછી સમયની
ગતિ તેમજ દિશા બદલાય પણ સાથ છોડતો નથી યા કદી
ગદ્દારી કરતો નથી.

તેથી જ તો કહેવાયું છે કે મૂરખ મિત્ર કરતા દાનો
દુશ્મન સારો.

મસાલા પનીર ભુરજી

April 29th, 2008

                 મસાલા  પનીર  ભુરજી

         સામાગ્રીઃ
    
           અડધા        ગેલનના  દુધને ફાડી  પનીર બનાવવું.
                    અથવા
           ૪૦૦            ગ્રામ  પનીર તૈયાર.               ૨         મોટા  ટામેટા
            ૪                કાંદા                                      મીઠું  સ્વાદ પ્રમાણે
            ૨                ગાજર                                     ૩         રીંગ  પાઈનેપલ
            ૫                મરચા  લીલા                         ૧૦         લાલ  દરખ
            ૨”              આદુનો  ટુકડો                          ૨૦         દાણા   શીંગનો ભૂક્કો
            ૮                કળી  લસણની                        ઝીણી  કાપેલી  કોથમરી
             ૩                ટેબલ  સ્પુન  તેલ
                                           બનાવવાની  રીત

          પનીર  છુટ્ટુ  રાખવુ. કાંદા ઝીણા  કાપી તેલમા  સાંતળવા.
           ટામેટા ઝીણા  કાપી  થોડી વાર પછી  કાંદા સાથે સાંતળવા.
          બંનેને  સાથે થડીવાર સાંતળી અંદર છીણેલુ  ગાજર નાખવું.
          આદુ, મરચા અને લસણની વાટી એક પછી એક તેમા નાખવા.
          પછી તેમા સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવવુ. પનીર ઉમેરી,
           હલાવી.એક બેકીંગ ડીશમાં થોડુ તેલ યા ‘પેમ’ છાંટી પાથરી
           દેવુ, અંદર પાઈનેપલની રીંગ ગોઠવી ૧૫ મિનિટ ૩૫૦ % પર
            બેક કરી લેવુ.
                                   પિરસતી વખતે ઉપર શીંગનો  અધકચરો વાટેલો ભુકો
                                  અને  કોથમરી ભભરાવવા.

                                           ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાગશે.
                                         બનાવો ત્યારે મને યાદ જરૂર કરજો.
   
 

વિચાર માગીલે તેવી વાત

April 27th, 2008

          
    શામાટે  સ્ત્રીઓને  માનસિક બિમારી  લાગુ પડે છે.
    ૧.   સ્ત્રીઓની  ચીંતા કરવાની  આદત.

    ૨.   સહેલી અને સરળ વસ્તુ યા પરિસ્થિતિને ઉલઝનમા ફેરવવી.

    ૩.   ગાડીના “ગ” સિવાય બીજી વસ્તુ વિષે અનજાણ.

    ૪.   પતિ તથા  બાળકોની સ્વતંત્રતા પર અતિશય દબાણ.

    ૫.   ઘર બહાર કામ વધુ  વળતર ઓછું. ( પુરૂષોની સરખામણીમા)

    ૬.   મુખ પરની  કરચલીઓથી જેમે દૂર ભાગે તેમ વધુ જણાય.

    ૭.   વારેવારે તેના વિચારો અને આચારોમા થતા  ફેરેફાર.

    ૮.   કપડા, દાગીના પર્સ અને જૂતા પાછળ નિરર્થક પૈસા વેડફવાની આદત.

    ૯.   દેખાદેખી  અને ઈર્ષ્યામા રાચી ઘરમા અશાંતિનો ફેલાવો.

    ૧૦.  પોતાના પરિવાર અને પતિની અવગણના અને “ફોન”ની મહત્તા.

    ૧૧.   ‘મને બધુ આવડે છે’ એ રોગની જીવલેણ બિમારી. (

    ૧૨.   મુસાફરીમા પૈસા ઓછા અને સામાન વધારે ની ફિલસુફી.

    ૧૩.    રસોડામા સામ્રાજ્ય તેથી પરવાનગી વગર કશું થાય તો ઉહાપોહ.

    ૧૪.   જો કોઇ આમંત્રણ આપવાનું ભૂલી ગયું તો ખુન્નસ.

    ૧૫.   ‘તેની ઘરમા કશીજ કિંમત નથી ‘ તેવી માનસિક બિમારી.

    ૧૬.   ‘તેની ના અને હા ખૂબ કલાત્મક.’ સમજવા તેટલાજ મુશ્કેલ.

    ૧૭.   જ્યારે કોઈ તેને નિરખે ત્યારે શરમાવું. તે એની કરામત્.
  
    ૧૮.   કોઈને ત્યાં  લગન ઘરમા  જઘન.

      ૧૯.   ઘરમા ભલે શાક લાવવાના પૈસા ન હોય બ્યુટિ પાર્લરમા જરૂર જવાનું.

    ૨૦.  પોતાની ખુશી કાજે  ઘરમા યા જ્યાં હોય ત્યાં જાણે અજાણે ફેલાવતી નાખુશી. 
 

પ્રાર્થના

April 25th, 2008

પ્રાર્થના જીવનનું ગાન છે.

પ્રાર્થના શ્વાસ માટે પ્રાણવાયુ છે.

પ્રાર્થના નિરાધારનો આધાર છે.

પ્રાર્થના અંતઃકરણ શુધ્ધ કરવાનો સાબુ છે.

પ્રાર્થના પ્રભુ તરફ સરવાનો સરળ માર્ગ છે.

પ્રાર્થના લોહીના દબાણનો રામબાણ ઈલાજ છે.

પ્રાર્થના ‘સ્પેર વ્હીલ’ નહી ‘સ્ટિયરીંગ વ્હીલ’ છે.

પ્રાર્થના એ પ્રભુ પાસે ભીખ માગવાનો વાટકો નથી.

પ્રાર્થના મારફત ક્યાંય પણ વિના તકલીફે જઈ શકાય છે.

પ્રાર્થના જીવનનું અવિભાજ્ય અંગ છે.

આંખ બંધ કરી શાંત મને કરેલી પ્રાર્થના પ્રભુ જરૂરથી સાંભળે છે.

પ્રાર્થનામા માગણી નહી શાણાગતિ હોવી જરૂરી છે.

પ્રાર્થનાની કોઈ ભાષા નથી.

ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

બુઢાપામા————-

April 23rd, 2008

      દરેક બાળકને જીવનના તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. માત્ર
એકજ રસ્તો એવો છે કે જો ત્યાં વળી જાય તો બુઢાપામાંથી બચી જાય.
અને એ જગજાહેર માર્ગ છે મૃત્યુનો.
    
     બુઢાપો તેની સાથે ઘણી ઘણી વસ્તુઓ લઈને આવે છે. માન ન માન
મૈં તેરા મહેમાન. આંખે ઝાંખપ, કાન કાનપુર, કેડે ચસકો ને ચાલ ડગમગ.
ખેર, આનાથી તો છૂટકો ન થાય. કિંતુ સાથે લાવે છે, ડહાપણ, કોઠાસૂઝ,
વિવેક, અનુભવ અને બીજા અગણિત ગુણો. સુંદર સંસ્કારી કુટુંબ તો તેના
મીઠા મીઠા ફળ છે.
    

      એક વસ્તુ જે મને હૈયા સોંસરવી ઉતરી ગઈ તે આ ખાનગી વાત છે.
જો જો જહેરમા તેની ચર્ચા કરશો નહી. ‘બુઢાપા સાથે ગરીબી ન હોવી
જોઈએ.’ હવે એ તો કોઈના હાથની વાત નથી. આખી જીંદગી મહેનત કરી
કુટુંબ અને સંસારની ગાડી ચલાવી તેનું શુભ પરિણામ આવ્યું.

       ખેર , ગરીબીની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે. જો સંતોષ ધન આવે
તો ભલભલા કુબેર ની વિસાત નથી. જો જીવન જરૂરિયાત પર નિયંત્રણ હોય
તો માણસ અંત કાળે ખૂબ ધનિક છે. વાચા અને વર્તન નિર્લેપ હોય, સંસાર
અસાર છે અને ત્યાગ તરફ વળે તો ધન એ શું ચીઝ છે. બાકી બાપ કરતા
બેટા સવાય એ ઉક્તિ પ્રમાણે બાળકો માબાપ કરતા ચડિયાતા એ તો ગૌરવ
અનુભવવા જેવી વાત છે.બાકી તો સહુને વિદિત છે.

             પીપળ પાન ખરંતા હસતી કુંપળિયા
             મુજ વીતી તુજ વિતશે ધીરી બાપલિયા

       બાપ કરતા બેટા સવાયા, એ ઉક્તિ અનુસાર બાપા બેટા કરતા તો પૈસે
ટકે બેટા કરતા તો પાછળજ રહેવાના. એ તો કોઈ પણ માતા પિતા માટે ખૂબ
ગૌરવની વાત છે. માબાપે જ્યારે પોતાના તન, મન અને ધન ખર્ચ્યા હશે
ત્યારે બળક પોતાની મહેનત અને ઈશ્વરની કૃપાથી આજે તેણે આ સ્થાન પ્રાપ્ત
કર્યું હશે. મારું માનજો કોઈ પણ બાળક આ વાત ભૂલતું નથી. હા , આજુબાજુનું
વાતાવરણ તેને ગમે તેટલા ધમપછાડા કરી બદલાવવા માગે તો તે સઘળા
પ્રયત્નો નિષ્ફળ નિવડે છે.
   

     બાકી બુઢાપામા બાળક દિકરો હોય કે દિકરી માબાપને સમાન પ્રેમ કરે છે.
હા, પ્રેમનું પ્રદર્શન અલગ તરી આવે એ સ્વાભાવિક છે. તે હું દાવા સાથે કહી
શકું. પછી તે ભારતમા હોય કે અમેરિકામા કોઈ તફાવત નથી. બાકી બુઢાપો
જો આવે તો તેને કેમ દિપાવવો તેની તૈયારી પહેલો સફેદ વાળ દેખાય ત્યારથી
કરવો તે કહેવું અતિશયોક્તિ ભરેલું નથી. એવું મારું માનવું છે,બાકીતો———

vegi crust

April 20th, 2008

ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી.

સામગ્રી.

૧ પેકેટ મેશ પોટેટો .
૧ ૧૬ ઔંસ વટાણા
૧ ૧૬ ઔંસ ફ્રેન્ચ કટ બીન્સ
૧ કપ ખમણેલી ગાજર
૧ ઝૂડી કોથમરી
વાટેલા લીલા મરચા.                   વાટેલુ આદુ
લસણની પેસ્ટ                              લીંબુનો રસ
બ્રેડ ક્રમ્સ                                     ’પેમ’ સ્પ્રે
તલ, રાઈ, વઘાર માટે તેલ,         વઘારના મરચા
ગરમ મસાલો                              વાટેલા મરીનો ભૂકો
બેકિંગ ડીશ                                  ગળી ચટણી, તીખી ચટણી
                                     રીત
પેકેટ ઉપર જણાવ્યા પ્રમાણે મેશ પોટેટો તૈયાર કરો.તેમાં
થોડું મીઠું અને મરીનો ભૂકો નાખવો.

વટાણાનો સાંજો બનાવો. તેમાં થોડુ મીઠું, લીલા વાટેલા આદુ મરચાં
કોથમીર ઝીણી કાપેલી, લીંબુ અને ગરમ મસાલો નાખવો.

ગાજર ખમણી , તેમાં ફ્રેન્ચ કટ બીન નાખી થોડા તેલમાં સાંતળવી.
પછી તેમાં મીઠુ,લીલા આદુ મરચા , વાટેલું લસણ અને કોથમીર નાખવા.

બેકિંગ ડીશમાં પેમ સ્પ્રે કરી મેશ પોટેટોનું પૂરણ પાથરવું. લગભગ અડધો
ઈંચ જાડું . તેના પર વટાણાનું પૂરણ પાથરી , ઉપર તીખી ચટણીનું પડ કરવું.

ફરીથી બટાકાના પૂરણનુ પડ કરવું તેનાપર ગળી ચટણી અને ગાજર અને
ફણસીનું પડ કરવું.

અંતે ઉપર પાછું બટાકાનું પૂરણ પાથરવું. સહેજ રાઈનો વઘાર અને લાલ
મરચા મૂકવા. દેખાવ ખૂબ સુંદર આવશે. થોડા તલ ભભરાવવા.

ઓવનને ૩૫૦ ડીગ્રી ગરમ કરી ૨૦ મિનિટ માટે બેક કરવું. જરાક ઠંડુ થાય
પછી કાપા પાડવા.
વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગશે. ખૂબ શાકભાજી છે તેથી ખાવાની મોજ માણો.

મનગમતા શાકભાજી ઉમેરવાની છૂટ છે.
૨૧ મી સદીમાં ‘એલર્જી’ અને ‘ન ભાવતા’
હોવાને કારણે શાક સામાન્ય રોજ વપરાશના
મૂક્યા છે.

કવિની કથની———

April 19th, 2008

કવિથી ડરે બધા કવિતાનો ભારે ચસકો

કવિતાની વહે ગંગા તો બજુએ ખિસકો

કવિ દેખીને ભાગે સહુ નાના મોટ લોકો

દેવી હોય તો દો સજા કવિતાને પૂળો મૂકો

કવિ શેર મારે જાણી શેરને પહોંચ્યો ધક્કો

બાળા કાજે માતા લેતી કવિતાનો તુક્કો

તલવારના ઘા રુઝે રહે ના તેનો સિક્કો

કલમના ઘા દુઝતા રહે દેશોના ધોખો

જનમધરતા એ કાવ્યનો જોયો છે લહેકો

કયામત ટાણે કરે ગઝલ કોઈ તેને રોકો

સૂરજ કેરા કેસરી દડાને માર્યો ફટકો

સહેલણીસા ચાંદતારે માર્યો નદીમા ભૂસકો

વેદ અંતે————

April 18th, 2008

                             પ્રજ્ઞાનમ બ્રહ્મન                             આત્મ જ્ઞાન બ્રહ્મન છે
                              તત ત્વમ અસિ                             તે તું જ છે
                              અયં આત્મ બ્રહ્મન                         આ આત્મા બ્રહ્મન છે
                               અહં બ્રહ્માસ્મિ                                  હું બ્રહ્મન છું
       હું અને ભગવાન એક છીએ. આત્મા સો પરમાત્મા. આત્મા પમાત્માનો
અંશ છે. વેદાંત વારંવાર ઉચ્ચારે છે. અહંકાર ત્યજો. અભિમાન શાને કાજે?
અજ્ઞાનના અંધકારનો પીછો છોડાવી ,જ્ઞાનના પ્રકાશમા આવો. સર્વત્ર માત્ર
આનંદ હી આનંદ જણાશે.
     હું શરીર મન અને બુધ્ધિ છું. આ પૃથ્વી પર દરેક પદાર્થ નું વિભાજન અણુ
પરમાણુ મા પરિવર્તન પામે છે. બીજમાંથી વૃક્ષ બને છે. એજ વૃક્ષના ફળ
નવા બીજ આપવા શક્તિમાન બને છે. માનવ વંશ વૃધ્ધિકરે છે. કદીય કોઈ
માતાની પ્રસુતિ નિહાળી છે. એ ઘડી ,એ ક્ષણ અલૌકિક છે જ્યારે એક માતા
પોતાના ઉદરેથી પોતાનીજ પ્રતિકૃતિ ને અવતરણ કરે છે. માનવ અનંત
શક્તિનો પુંજ છે.
       આધ્યાત્મિકતાથી રંગાયેલ માનવ સ્વતંત્ર છે. શરીર ,મન ,બુધ્ધિથી પર
થઈ અંતરમા નજર ઠેરવે છે. આસક્તિ ક્યા અને કેટલા પ્રમાણમા રાખવી તે
વિવેક બુધ્ધિ દ્વારા વિચારે છે. સ્વને ઓળખી , સાચાખોટાનું નિયમન કરવાની
ક્ષમતા પામે છે.
        પ્રેમને સિમિત ન રાખતા તેને વિશાળતા બક્ષે છે. સમભાવે સર્વને પ્રેમની
લહાણી કરે છે. મારા તારાના સિમાડામાંથી નિકળી ગગન ગોખે વિહરે છે. બસ
આપો. શંકા નાબૂદ થાય છે. સમદૃષ્ટિ કેળવે છે. ઉંચ નીચનો ભેદ નાબૂદ થાય
છે. સહુમા સમતા ભાવ ધરી જીવન ગુજારે. હમેશ મીઠી વાણી વહાવે. જીહવા
પર સંયમ દાખવે. કોઈનો તિરસ્કાર યા અપમાન તો સ્વપનામા પણ ન કરે.
બસ પ્રેમની ગંગા વહાવે. આદર યા અનાદર બને તેને માટે સમાન હોય.
આધ્યાત્મિકતા પ્રવેશે, સર્વત્ર આનંદ હી આનંદ જણાય, ફેલાય. ચીંતા
વિદાય થાય. નિરાશા કદી ન ઢૂકે. આનંદ અને ખુશી કલ્યાણના માર્ગ ની
મશાલ બને. મારગ મંગલ મય બને. બસ સર્વત્ર સહુનુ મંગલ થાય.
    તમસ , આળસ વિદાય લેશે. માનવ ઈશ્વરનો અંશ છે. ઇશ્વર સર્વ
માનવની અંદર સમાન છે. બહાર શોધવા માટે ફાંફા ન મારો. જ્ઞાન
સ્વયં પ્રકાશિત છે. સમગ્ર સૃષ્ટિ ને નિહાળવાની દૃષ્ટિ ફેરવાઈ જશે.
વેદાંતનો અભ્યાસ જીવનમાં આનંદની ગંગા વહાવવા સમર્થ છે.

                             ઓમ શાતિઃ શાંતિઃ શાંતિઃ

પૈસા————-

April 16th, 2008

શું પૈસો સર્વસ્વ છે?
માણસની કોઈ કિમત નથી.
કોણ કેટલા પૈસા સાથે લઈને આવ્યું છે?
કોણ કેટલા પૈસા સાથે લઈને જવાનું છે.
ખાલી હાથે આવ્યા.
ખાલી હાથે જવાના.
કદી ઝભલાને ખીસુ ભાળ્યું છે?
કફનને કેટલા ખીસા હોય છે?

જવાબ મળે તો મને જરૂરથી જણાવજો.

વેદ વિષે—-

April 16th, 2008

આકાશ અનંત છે. સમસ્ત સૃષ્ટિ બ્રહ્મન છે. સર્વત્ર વ્યાપેલ છે. તેનું
ક્ષેત્રફળ ન કાઢી શકાય. તેના ભાગલા ન પાડી શકાય. તે શાશ્વત છે.
દુનિયાનું અસ્તિત્વ છે. સત્યતા અનંતતા શાશ્વત છે. જેનો નાશ નથી.
વિનાશ નથી. જે સર્વત્ર જ્ઞાન અને આનંદ રૂપ છે. બ્રહ્મનને જાણવો હોય
તો સ્વને ઓળખો. “અહં બ્રહ્માસ્મિ”.
દુધમા માખણ કદી નરી આંખે ભાળ્યું છે? છતાં હકીકત છે. કે દુધમાં
માખણ છે. હા, તેની પ્રક્રિયા ઘણી ધિરજ અને કુસળતા માગી લે છે. તેમ
બ્રહ્મન એ અંતિમ મુકામ છે. ઘડો માટીનો છે કે માટીમાંથી ઘડાનું સર્જન
થયું છે. ઘડો અને માટી બે ભિન્ન નથી. સ્વને જાણો, માણો બ્રહ્મન સતત
તેમાં દર્શન દેશે.
ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂઝવા ,
અંતે તો હેમનું હેમ હોયે. નરસિંહ મહેતા રચિત આ સુંદર ભજન સાદી
અને સરળ ભાષામાં ખૂબ સુંદર રીતે સત્ય સમજાવે છે. દ્વૈત, અદ્વૈત અને
વિશિષ્ટ અદ્વૈત , ક્ષર , અક્ષર અને ઉત્તમ પુરૂષ વેદાંતના અભ્યાસ દ્વારા
સુંદર રીતે જાણી શકાય છે. નથી મૃગ કે નથી જળ છતાંય રણમાં મુસાફર
મૃગજળ પાછળ ભટકી શું મેળવે છે?
વેદાંત સર્જનની કોઈ રીત બતાવતું નથી. ‘માયા’ છે ,છે અને નથી. હા,
માયા આભાસ છે. જે નજર સમક્ષ દેખાય છે તે સ્વપ્ન સૃષ્ટિ છે. જાગૃત તથા
સ્વપ્ન અવસ્થા એ બંને માયાના ભિન્ન પ્રકાર છે. તેથી વેદાંત જગતને માયા
અથવા મિથ્યા કહે છે. બંનેમા નજરનો અંદાઝ અલગ અલગ છે. દુનિયા કોણે
બનાવી ? ભગવાને? વેદાંત કહે છે દુનિયા ભગવાન છે. અંધારામા થાંભલાને
ભૂત માની લેતો માનવ શું અજ્વાળામા તેનો ઇન્કાર નહી કરે?
ત્રણ બાજુથી બને તેને ત્રિકોણ કહેવાય અને ચાર બાજુઓ વાળો ચ્તુષ્કોણ.
જરાક બારીકાઈથી નિરિક્ષણ કરો , ચાર ત્રિકોણનો સમુહ ચતુષ્કોણ બનાવે છે.
ચતુષ્કોણની સામ સામેના ખૂણાઓને જોડતી બે સીધી લિટીઓ ચાર ત્રિકોણ
બનાવશે. શું આ માયા નથી? હાઈડ્રોજન અને ઓક્સિજન એ શું છે. બને
વાયુ છે. હા કે ના? હવે જુઓ બે ઓક્સિજન અને હાઈડ્રોજન થી શું નજર
સમક્ષ દેખાય છે. ‘પાણી’ જેનો રંગ કેવો છે? કહી શકશો. આનુમ નામ માયા.
માયાને કારણે સઘળું ભાસે છે. માયા ત્યલો હકિકત નગ્ન સ્વરૂપે આંખ
સમક્ષ દેખાશે. હીરો અને કોલસો શું છે. કાર્બનના ભાત ભાતના પ્રકાર. કિંતુ
બનેના ગુણ અને દેખાવમાં આસમાન જમીનનું અંતર. સ્વપ્નમાંજો માનવીને
સિંહની ત્રાડ સંભળાય તરાપ પણ મારે. શું સ્વપનાનૉ સિંહ માનવનુમ ભક્ષણ
કરે ખરો. અરે, એક જન તો સ્વપનામા પરણ્યું, બાલબચ્ચા થયા, પરણ્યા અને
અકસ્માતમા મૃત્યુ. બળીને રાખ થયો ત્યાંતો આંખ ખૂલી ગઈ અને મધુર અવાઝ
કાને અથડાયો.’ ઉઠો , દુકાને જવાનું મોડું થશે.’.
વેદાંતનો અભ્યાસ પોકારી પોકારીને આ બધું સમજાવે છે. સત્યને સમજો,
હકિકતથી વાકેફ બનો. સ્વને પહેચાનો ,સઘળું આસાન છે. પ્રજ્ઞાનમ્ બ્રહ્મન આત્મજ્ઞાનમ———-

Powered By Indic IME