Archive for November, 2009

પાણી

November 30th, 2009

પાણી  જીવનનું અભિન્ન અંગ છે.

પાણી આપણે સર્વે પીએ પણ છીએ. 

જરાક યોગ્ય સમયની મર્યાદાનું પાલન કરીશું તો જીવન

સારું તથા સ્વસ્થ રહેશે.

૨     ગ્લાસ પાણી સવારના ઉઠીને પીવાથી શરીરની અંદરના 

                                 અવયવો સારી રીતે કાર્ય કરી શકે.

૧     ગ્લાસ પાણી નહાતા પહેલા પીવાથી ‘લોહીનું દબાણ’ નીચું

                                આવે છે.

૧      ગ્લાસ પાણી  જમતા પહેલા પીવાથી ખોરાકને પચવામાં

                                સરળતા પ્રાપ્ત થાય છે.

 ૧     ગ્લાસ પાણી સૂતા પહેલા પીવાથી હ્રદય રોગના હુમલાથી

                                બચી શકાય છે.           

 

યોગ સાધના–૭

November 28th, 2009

યોગ  સાધના–૭

સૂત્રઃ ૨૬ સ પૂર્વેષામપિ ગુરુઃ કાલેનાનવચ્છેદાત

                  स पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात

        તે ગુરુના ગુરુ છે. જે આદિ ગુરુ તરીકે ઓળખાય છે.

         જેને સમયની મર્યાદા કે બંધન નથી. ઋષિ પતાંજલી

         કહે   છે ,ગુરુના ગુરુ સમયના બંધનથી પર છે.

 સૂત્રઃ ૨૭  તસ્ય વાચકઃ પ્રણવઃ 

                   तस्य वाचकः प्रणवः

           શબ્દ જે પ્રણવ દ્વારા પ્રસ્તુત થાય છે.

           ‘ઓમ’ ના ધ્વનિમા આંદોલિત છે.

 સૂત્રઃ ૨૮ તજ્જપસ્તવર્ત્ધભાવનમ

                  तज्जपस्तवर्धभावनम

            આ ‘શબ્દ’નું વારંવાર રટણ કરવું. ધ્યાનમા

             બેસી તેના અર્થનો સંદર્ભ જાણવો. (ઓમ)

             ‘ઓમ’ના નાદનું માહત્મ્ય અવર્ણનિય છે.

 સૂત્રઃ ૨૯ તત પ્રત્યકચેતનાધિગમો અપ્યન્તરાયાભાવશ્ચ

                    तत प्रत्यकचेतनाधिगमो अप्यन्तरायाभावश्च

                જેનાથી ‘આત્મન’ વિષે નું જ્ઞાન પ્રપ્ત થાય છે.

                  તે માટેના વિરોધોનું શમન.કરવામાં સાર્થક છે.

                     ઓમ માં ‘અ’ એ મૂળ અક્ષર છે. જે તાળવાના

                      કોઈ પણ ભાગને સ્પર્શ કર્યા વગર બોલી શકાય

                     છે. ‘મ’ બોલતી વખતે બંને હોઠોનું મિલન અનિવાર્ય

                   છે. ‘ઉ’ મુખના મૂળથી શરૂ થઈ અગ્રભાગ સુધી ફેલાય છે.

                     આમ ‘ઓમ’ શબ્દ સર્વ ભાગમા પ્રવર્તે છે. અવાજ માટે

                    વપરાતા દરેક અવયવ (મુખના) ‘ ઓમ’ ના ઉચ્ચાર

                    માટે વપરાય છે. ‘ઓમ’ એ પવિત્ર શબ્દ છે. તેની દૈવી

                    શક્તિનો પ્રતાપ અલૌકિક છે. વારંવાર તેનું રટણ અને

                     તેમાં મગ્ન થવું યા ધ્યાન કેંન્દ્રિત કરવું શુભ પરિણામ

                      લાવે છે. ‘જપ’માં લીન થવાથી મગજ શાંતિને પામે છે.

                      તેમા આત્મસાત થવાથી ઈશ્વરની પ્રાપ્તિનો માર્ગ સરળ

                      બને છે.

 સૂત્રઃ ૩૦    વ્યાધિ-સ્ત્યાન-સંશય-પ્રમાદાલસ્યાવિરતિ-ભ્રાન્તિદર્શના-

                   લબ્ધભૂમિકત્વાનવસ્થિતત્વાનિ ચિત્તવિક્ષ્રેપાસ્તે અન્તરાયાઃ 

                  व्याधि-स्त्यान-संशय-प्रमादालस्याविरति-भ्रान्तिदर्शना-

                  लब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपास्ते अन्तरायाः

                  બિમારી, માનસિક આલસ્ય, શંકા, ઉત્કંઠાનો અભાવ, બેચેની,

                  કામુકતા, ખોટા વિચાર, એકાગ્રતાનું ખંડન અને ચંચળતા વિ.

                  જ્ઞાનમાં બાધા રુપ છે.

                        જ્ઞાનના માર્ગને રૂંધનારા આ સર્વ રસ્તા છે.

ત્રિવેણી સંગમ

November 26th, 2009

         અંજની, રંજન અને મંજરી સાથે કોલેજમાં ભણતા હતા. ત્રણેય સખીઓ શાળા કાળથી

સાથે હતી. હવે કોલેજમાં પણ . સુહાના એ દિવસો આમ ઝડપથી અને આમ જોઈએ તો ધીરે

ધીરે સરી રહ્યા હતા. ઝડપથી એટલા માટે કે કોલેજના ચાર વર્ષ પૂરા થઈ ગયા. હવે શું? તો

કહે કે મૂરતિયા જોવાના. મન પસંદ મળે તો લગ્નની બેડીમાં જકડાઈ ને આઝાદી ગુમાવવાની.

             ધીરે એટલે લાગે કે પરિક્ષા પછી પરિણામ આવે ત્યાં સુધીમા ધિરજ ખૂટી જતી. દિવસો

ગણતા હોઈએ. નવરાશના સમયે સિનેમા ભેગા થતા. શું એ દિવસો હતા. આજે યાદ કરીને તેમાં

ડૂબકી લગાવવાની પણ મઝા આવે.  એવામા ‘તીન દેવીયા” સિનેમા રોક્સી સિનેમા ગૃહમા આવ્યું.

અમે ત્રણે સાથે જોવા ગયા.     તીન દેવીયા, તીન દેવીયા જોવા નિસરી.

      મંજરી બાળપણની યાદમાં મશગુલ આરામ ખુરશીમા બેસી વિચારોમા ખોવાઈ ગઈ હતી. તેને

ભાન પણ ન રહ્યું કે ક્યારે દબાતે પગલે મિલન આવ્યો અને તેને એકીટશે નિહાળી રહ્યો હતો.  વર્ષોના

વહાણાં વાઈ ગયા છતાંય મંજરી અને મિલન એકબીજામાં ગુલતાન રહેતા.  બાળકો મોટા થઈ ગયા,

પરણ્યા , પાંખો આવી વિદેશની ધરતી પર જઈ વસ્યા. નસીબ સારું હતું કે તેમનો સંસાર વ્યવસ્થિત

પણે ચાલતો  હતો.  નાના નાના ભૂલકાંઓથી ઘર ભર્યું ભર્યું થયું હતું.

                રંજન અને રજની નો સંસાર સુખી હતો. માત્ર શેર માટીની ખોટ હતી. રંજન હંમેશા અનાથ આશ્રમ

જઈ સમય પસાર કરતી. રજની ધંધામા ગળાડૂબ હોવાને કારણે વ્યસ્ત રહેતો. જરૂરિયાતવાળા બાળકોની

ભણવાની સવલત પૂરી પાડવામા રંજન કદી પાછી ન પડતી. રંજનને ખુશ જોઈ રજની ખુશ થતો. આ એ

જમાનાની વાત છે જ્યારે ‘છૂટાછેડા’  શબ્દ પ્રચલિત ન હતો. દિકરી સાસરામા જઈને સમાતી. માબાપનું નામ

ઉજાળતી.

   અંજની અને અનુપમ બંને ડોકટર હતા. માબાપની સતત પ્રવૃત્તિ વાળી જીંદગી જોઈ બાળકો ડોક્ટર થવાની

વિરૂધ્ધમા હતા. એકે એમ.બી.એ. કર્યું અને બીજો ગયો ફિલ્મ લાઈનમાં. હા, પૈસે ટકે ખૂબ સુખી હતા. સારા સંસ્કારને

કારણે કોઈ ઘાલમેલ અંજની તથા અનુપમ કરતા નહી.

     ત્રણેય ખાસ બહેનણીઓ હિંદુસ્તાનના ત્રણ ખૂણાઓમાં વસી હતી.  હા, અવારનવાર મળવાનું થતું.  કિંતુ પરિવારની

સાથે મળવું લગભગ અશક્ય હતું. મંજરી મિલનનો પરિવાર અમેરિકાથી આવી રહ્યો હતો. રંજન અને રજની એક

બાળકો માટેની સંસ્થા શરૂ કરવાની પેરવીમાં પરોવાયા હતા. અંજની અને અનુપમને આ વાતની ખબર પડી.

          અંજનીએ તકનો લાભ લેવાનું વિચાર્યું. એણે મંજરીને ઈ મેઈલ કરી કે તારા બાળકો આવે છે. ચાલો આપણે

બધા રંજન અને રજનીનું સપનું સાકાર થતુ નિહાળીએ. આમ પણ દશેરાનો દિવસ છે. અમારું દવાખાનું ત્રણ

દિવસ બંધ છે. મારા બાળકો પણ અમારી ખૂબ ઈજ્જત કરે છે. પૌત્ર અને પૌત્રીઓને દિલ્હી તથા તાજમહાલ

જોવાને બહાને સાથે લાવી શકીશું. રંજન તથા રજાનીને આશ્ચર્યમા ગરકાવ કરી દઈએ.

     ઈશ્વર કૃપાએ બધું સરસ રીતે ગોઠવાઈ ગયું. અંજની, અનુપમનો પરિવાર અને મંજરી મિલન બાળકો સહિત

દિલ્હી પાલમ વિમાનઘર પર ભેગા થયા.  ગંગા અને જમુનાના પવિત્ર મિલન જેવો સુંદર શંભુમેળો ભેગો થયો.

               બધા હોટલ પર ગયા. સરસ મજાના નાહી ધોઈ નાસ્તા માટે ભેગા થયા. એક બીજાનો પરિચય વિધી

ચાલ્યો.  અંજની અને મંજરીતો આનંદભેર સુહાનું દૃશ્ય નિરખી રહ્યા. જીંદગીની રફતાર ક્યાંથી ક્યાં લઈ આવી!

આવતીકાલે સંસ્થાનું ઉદઘાટન હતું. આજેતો જાણે વાતોનો ઉદધિ ઉમટ્યો હતો. બાળકો તેમની વાતોમા, જુવાનિયા

તેમની ચર્ચામા અને વડીલો તો ભાવભર્યા દર્શનમા મશગુલ હતા.

         દશેરાના દિવસની સવાર પડી સહુ તૈયાર થયા. મોટી ગાડી ભાડે કરી હતી.  રંજન તથા રજની આ બધાથી

અજાણ હતા. ગાડી સંસ્થાના આંગણમા આવીને ઉભી રહી. પૂજા વિધિ ચાલુ હતી. પાછલી હરોળમા જઈને સહુ

ગોઠવાયા. રજની ઉધ્યોગપતિ હતો. રંજનનું નામ પણ સમાજમા આદરપૂર્વક લેવાતું.  પૂજા સમાપ્ત થઈ અને

બને ઉઠ્યા. અચાનક રંજનનું ધ્યાન મંજરી અને અંજની વાત કરતા હતા તેના પર ગયું . એક પળતો તે માની

પણ ન શકી. પછી ધીરેથી રજની ને કહે ‘જો તો મને સ્વપનું તો નથી આવ્યું ને?’    રજનીએ પણ સમર્થન આપ્યું.

બંને જણા પાછળની કતારમા ગયા અને જુએ છેતો વાહ, બને સહેલીઓ પરિવાર સહિત, તેમની ખુશીના પ્રસંગ

વખતે આવી પહોંચ્યા હતા. મંજરી અને અંજની તેમના પતિદેવો સાથે આવે તેતો માની શકાય. કિંતુ ઈશ્વરે જેમેને

શેર માટીની ખોટ આપી હતી. ત્યારે બહેનપણીઓ તેમના બાળકો તથા પૌત્ર અને પૌત્રીઓની સાથે આવ્યા.

       રંજન અને રજની ગદગદ થઈ ગયા. બાળકો મોટા હતા સુખી હતા. સારા એવા પૈસા સંસ્થાને આપી ‘સોનામા

સુગંધ’ ભેળવી . પ્રસંગને ચાર ચાંદ લગાવ્યો. રંજન, મંજરી અને અંજનીનો ત્રિવેણી સંગમ દિલમા હરખાઈ ઉઠ્યો.

બાળપણની પ્રિત કેવી સરસ રીતે ફૂલીફાલી હતી તેને ધન્યતા પૂર્વક નિરખી રહ્યા.

આભાર —-, Thanksgiving

November 17th, 2009

આભાર શામાટે, કોનો, ક્યારે?

મનુષ્ય જીવન કાજે, સર્જનહારનો હરપળ.

કેવી રીતે. વાણી મધુરી અને સંવેદના ભર્યા વર્તન  દ્વારા.

 આંખોના પલકારાથી, મુખથી યા અંતરમાથી.

 અરે, માત્ર આંખોનું મિલન પણ ઘણું કહી જય છે.

આભાર પછી તે સ્રર્જનહાર હોય કે આપણી ચારે તરફ ફેલાયેલાં

કુટુંબીજનો, મિત્ર મંડળ યા સમાજ.  તેમા હારેલા ‘યોધ્ધાની માફક

પાછીપાની ન કરતા’ ખુલ્લા દિલે તેનો એકરાર કરો. હા, બને તો ચાર

પૈસા વાપરવામાં કંજૂસાઈ કરવી કિંતુ “આભાર’ શબ્દને વાપરવામાં

નહી.

આભારનો ભાર કરો હળવો

આભારનો ભાર ન લાગે તો નરવો

આભારનું ચિત્ર રુડું રળિયામણું

મનને મંદિરે દીસે હળવું

આભાર માન તું હે માનવી

જનમ અને કાયા પામ્યો અવનવી.   

 આ પૃથ્વી પર જન્મ મળ્યો, પરવરિશ પામ્યા.

કશું જ માંગવુ પડ્યું ન હતું. વણ માગ્યે અનહદ

પામ્યા. યાદ રહે

“આભારનો ભાર વેંઢારવો મુશકેલ છે

આભારના ભાર તળે દબાવું આસાન છે.

આભારનો ભાર લાગે તો તે વેપાર છે.

આભારનો ભાર સતાવે તો વ્યવહાર છે.

આભાર, આનંદ અર્પે તો તે નિર્મળ પ્યાર છે.”

યોગ સધાના -૬

November 15th, 2009

 

સૂત્રઃ ૨૧ તીવ્રસંવેગાનામાસન્નઃ

                   तीव्रसंवेगानामासन्नः

                 ‘યોગ’ કરવામાં સફળતા જલ્દી પ્રાપ્ત થાય છે જો

                 તે ખૂબ દિલમૂકીને અને તીવ્રતાથી કરવામા આવે તો.

 સૂત્રઃ ૨૨  મૃદુમધ્યાધિમાત્રત્વાત્તતો અપિ  વિશેષઃ

                   मृदुमध्याधिमात्रत्वात्ततो अपि विशेषः 

                   કયો માર્ગ અપનાવ્યો છે, સફળતા તેના

                    પર આધારિત છે. સરળ, અધવચ્ચેનો કે

                     તીવ્ર.      

 સૂત્રઃ ૨૩  ઈશ્વરપ્રણિધાનાદ્વા

                   ईश्वरप्रणिधानाद्वा

                   ઈશ્વર ઉપર ભક્તિભાવ દ્વારા એકાગ્રતા પ્રાપ્ત

                    થાય છે.

 સૂત્રઃ ૨૪ ક્લેશકર્મવિપાકાશયૈરપરામૃષ્ટઃ પુરૂષવિશેષ

                  ઈશ્વરઃ

                 क्लेशकर्मविपाकाशैरपरामृष्टः पुरूषविशेष

                   ईश्वरः         

                  ઈશ્વર એ ખાસ હસ્તી છે જે અજ્ઞાન યા તેની

                   છાયાથી અલિપ્ત છે. કર્મ અને સંસ્કાર્થી પર છે.

                     અંહી ઋષિ પતાંજલિ પહેલી વાર ઈશ્વરનું સંબોધન

                    કરી તેનું માહત્મ્ય બતાવે છે. જે સર્જનહાર, ચાલક

                       તથા સંહારક છે. ઈશ્વર એ જ બ્રહ્મન જેનું પ્રકૃતિ

                        દ્વારા દર્શન.

 સૂત્રઃ  ૨૫  તત્ર નિરતિશય સર્વજ્ઞત્વબીજમ

                     तत्र निरतिशय सर्वज्ञत्वबीजम

                   જેનામા અગાધ જ્ઞાન છે, અન્યમા માત્ર

                   ‘બીજ’ જેટલું છે.

યોગ સાધના—૫

November 15th, 2009

યોગ સાધના—૫

સૂત્રઃ  ૧૬  તત્પરં પુરૂષખ્યાતેર્ગુણવૈતૃષ્ણયમ

                तत्परं पुरूषख्यातेर्गुणवैतृष्ण्यम

              આત્મજ્ઞાનથી કુદરતના અસ્તિત્વ વિશે

              જાણવા ઉત્કંઠા રહેતી નથી. એ શહુથી

             ઉત્તમ અનાસક્તિ છે.

             અનાસક્તિ એ સ્વાર્થ વૃત્તિ નથી. આત્માની

              પહેચાન એટલે અહંકાર અને ‘હું’ પણાનો ત્યાગ.

સૂત્રઃ ૧૭  વિતર્કવિચારાનન્દાસ્મિતાનુગમાત સમ્પ્રજ્ઞાતઃ

                 वितर्कविचार्नन्दास्मितानुगमात सम्प्रज्ञातः

                 એકજ પદાર્થ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાથી

             ચાર તબક્કામાંથી પસાર થાય છે પરીક્ષા,

             વિવેક,આનંદ્થી ભપૂર શાતિ અને સ્વ્પ્રત્યે

             સજાગતા.

 સૂત્રઃ ૧૮ વિરામપ્રત્યાભ્યાસપૂર્વઃ સંસ્કારશેષઃ અન્યઃ

                 विरामप्रत्याभ्यासपूर्वः संस्कारशेषः अन्यः

                   એકગ્રતાની અન્ય પધ્ધતિ છે જેમા અંતર

                  કોઈ પદાર્થ ઉપર કેંન્દ્રિત હોતું નથી.

               માત્ર અંતરના કોઇ ખૂણે તેની છાપ સંઘરાયેલી

              હોવાથી શેકાલા બી સમાન.  જેની સતત હાજરી

              મનના તરંગોમા અનાસ્ક્ત રીતે સંતાયેલી જણાય.

                  પ્રકૃતિથી પર તેનું અસ્તિત્વ હોય. આ છે યોગનો

              આખરી તબક્કો. જન્મો જનમ તે સંસ્કાર માનવમા

               રહેલા જણાય છે.જ્યારે આ સંસ્કાર સમાપ્ત થાય

                પછી જનમ લેવો પડતો નથી. આ સંસ્કાર એટલે

               આપણા પૂર્વ “કર્મો”.

 સૂત્રઃ ૧૯ ભવ-પ્રત્યયો વિદેહ- પ્રકૃતિલયાનામ

                 भव-प्रत्ययो विदेह-प्रकृतिलयानाम

                  જ્યારે આવું કેન્દ્રિયકરણ અનાસક્તિ

               અને અજ્ઞાન સાથે સંકળાયેલું હોતું નથી

                ત્યારે જનમ અને મરણથી પર થઈ

                કુદરતમા વિલિન થઈ જાય છે. મન

            અને દર્પ ઉપરનો સંયમ કુદરત સાથે

            ઐક્યતા અર્પણ કરે છે. આત્મા સાથેનું

            મિલન જ મોક્ષ નું કારણ છે,

  સૂત્રઃ ૨૦  શ્રધ્ધા-વીર્ય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞા-પૂર્વક

                  ઇતરેષામ  

                 श्रध्धा-वीर्य-स्मृति-समाधि-प्रज्ञा-पूर्वक

                  इतरेषाम

                   એકાગ્રતાથી   આધ્યાત્મિકતામાં સંપૂર્ણાતા

                  શ્રધ્ધા,શક્તિ,યાદદાસ્ત, ,પ્રજ્ઞા અને 

                  તેજસ્વીતા  દ્વારા પ્રાપ્ત થાય છે.  

                      શ્રધ્ધા એટ્લે અંધ વિશ્વાસ નહી. શક્તિ

                   એટલે આળસપણાનો અભાવ, જેનાથી

                   જીવનમા માર્ગ દર્શન પ્રાપ્ત થાય.

                   પ્રજ્ઞા અને તેજસ્વિતા વધે.

હસવાની મનાઈ છે——–

November 12th, 2009

 આજે મને જવાબ મળ્યો

  મુલ્લા દાઢી કેમ રાખે છે?——

  દિમાગમાંથી બુદ્ધિ ધીરે ધીરે ટપકે ઍટલે.

 સરદારજી દાઢી અને વાળ બંને વધારે છે—-

 બુદ્ધિ માથાના વાળથી અને દાઢીના વાળથી ઝરે.

 તેથી તો તેમના પર પુષકળ હાસ્ય રસના ટૂચકા છે.

 યુવાનોને માથે ટાલ કેમ હોય છે?——

 મધ્હ્યાનના સૂરજની માફક તેમેની બુદ્ધિ

 ઝળહળતી હોય છે.

  અમુક ઉંમર પછી ટાલ કેમ હોય છે———

  બુદ્ધિનું સામ્રાજ્ય પૂરા મસ્તિષ્ક ઉપર વિસ્તરેલું

  હોય છે.

યોગ સાધના- ૪

November 12th, 2009

     

યોગ સાધના- ૪

સૂત્રઃ ૧૧ અનુભૂતવુષયાસમ્પ્રમોષઃ સ્મૃતિઃ

                  अनुभूतविषयासम्प्रमोषः स्मृतिः

                જ્યારે પદાર્થ સામે આવે ત્યારે ભૂલાય

               નહી પણ અંતરમા તેની યદ તાજી થાય.

                 યાદદાસ્ત એ વિચારોનો પ્રકાર છે. જેમકે

                 ઘણી વાર સ્વપના દ્વારા સ્મૃતિ પમાય છે.

સૂત્રઃ  ૧૨  અભ્યાસવૈરાગ્યાભ્યાં તન્નિરોધઃ 

                  अभ्यास्वैराग्याभ्यां तन्निरोधः

                 અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેના

                  પર અંકુશ લાવી શકાય છે.

 સૂત્રઃ ૧૩  તત્ર સ્થિતૌ યત્નો અભ્યાસઃ

                   तत्र स्थितौ यत्नो अभ्यासः

                   વારંવાર તેનું શિસ્તબધ્ધ આચરણ

                    કાયમ માટે મનના વિચારો પર

                  અંકુશ આણે છે.

 સૂત્રઃ ૧૪     સ તુ દીર્ઘકાલનૈરન્તર્યસત્કારાસેવિતો દ્રુઢભૂમિઃ

                   स तु दीर्घकालनैरन्तर्यस्त्कारासेवितो द्रढभुमिः

                  લાંબા કાળ દરમ્યાન વિના વિઘ્ને અને પૂર્ણ પણે

                 દિલ  મૂકીને અભ્યાસ કરવાથી તે દઢતા પૂર્વક સ્થિર

                 થાય છે.

 સૂત્રઃ ૧૫  દષ્ટાનુશ્રવિકવિષયવિતૃષ્ણસ્ય વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ

                 दष्टानुशविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम

                  અનાસક્તિ એ પોતાની શક્તિ છે. જોએલી અને સાંભળેલી

                ઈછાઓથી મુક્તિ. ઈચ્છા ઉપર નિયંત્રણ આવે ત્યાર પછી

               આધ્યાત્મિકતા આચર્વી અનુકૂળ પડે. મન તેનાથી અશાંત

               અને આળું બને છે. તેથી ઈચ્છા પર અંકુશ આવશ્યક છે.

પોઢ્યા

November 11th, 2009

 

નિર્દોષ ગોળીએ વિંધાયા

દોષિત દવાખાનામા પામે સરભરા

જુવાનો કબરે પોઢ્યા

ગુન્હેગાર ક્યારે પામશે કારાગાર

કોડ તેમના અધૂરા

સુણાય છે છાના સિસકાર

ક્યાંનો છે ન્યાય

હવે બદલાય છો કારોબાર

બે આંસુની અંજલી

જાણવા ઉત્સુક તેના સમાચાર

 

   તેર જુવાનિયા ચીર નિદ્રામા ‘પોઢ્યા’

હૈયુ  હાથ ન રહ્યું. ક્યારે જગમાંથી આવો

કાળોકેર મટશે?

બાલિકા

November 9th, 2009

કળી જેવી એ સુંદર બાલિકા

   પળભરમાં રોળાઈ ગઈ

મધુરી મુસકાન હોઠે બાલિકા

  ક્ષણભરમાં વિલાઈ ગઈ

વાંક શું હતો કુમળી બાલિકા

  ટુકડાઓમાં વહેંચાઈ ગઈ

માની મમતા, રડતી આંખો બાલિકા

  હૈયાને હચમચાવી ગઈ

પાશવી કૃત્યનું આચરણ બાલિકા

   મોતને શરમાવી ગઈ

  છેલ્લા ચાર દિવસથી ટીવી પર આવતા ‘સમર”

વીષેના સમાચાર જોતાં પેન આ  વ્યથા લખવાને

મજબૂર બની.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.