સારા ગુણાંક મેળવવા અને કોલેજોમા ભણી આગળ જીવનમા કશું કરી દેખાડવાની
તમન્ના માત્ર તવંગરોના બાળકની જાગીરદારી નથી. મારા આશ્ચર્યનો અવધિ કાબૂમા ન
રહ્યો જ્યારે જાણવા પામી કે જ્યારે એક સાંધતા તેર ટૂટે એવા પરિવારની નેહા ૧૨મા
ધોરણમા ૮૯ ૦/૦ ગુણાંક મેળવી ગાંધીનગરમા ૧૦મા નંબરે પાસ થઈ છે. ડોક્ટર
બનવાની તમન્ના ધરાવતી નેહાના પિતાજી એમ.કોમ ભણેલા છે. માતા પણ પોતાની
હેસિયત પ્રમાણે ઘર ચલાવવામા ટેકો કરે છે.
નેહા, પોતાના માતા પિતાનું ઋણ કઈ રીતે ચૂકવી શકશે તેની મુંઝવણમા છે.
પરિવારમા પુષ્કળ પ્રેમ વહે છે. તેના પિતાનું માનવું છે કે ‘ પરિસ્થિતિ કોઈને કાયમ
એક સરખી રહેતી નથી. ‘ તેમના ભાઈ અવારનવાર ટેકો કરે છે. કોઈને કોઈ રસ્તો
રસ્તો નિકળશે એવી તેમને શ્રધ્ધા છે. પૈસાના અભાવે બાળકોની પ્રગતિ રુંધાય એ
તેમને માન્ય નથી. માસિક ૫૦૦૦રૂ.ની આવક ધરાવતું કુટુંબના વડા કહે છે ‘બનશે
તો વધારે કરકસર કરીને પણ નેહાને ભણાવીશ.’ ક્યાં અને કઈ રીતે એનો તો હું
વિચાર પણ કરી શકતી નથી.
પૈસાદાર કુટુંબના બાળકોજ કાયમ મેદાન મારી જતા હોય છે. છતાંય ખૂબ મહેનત
કરીને નેહા ૧૦મો ક્રમ મેળવી શકી એ નાની સૂની વાત નથી. તેની આ સફળતામા
કલોલની સંત આન્ના હાઈસ્કૂલે ઘણોજ મહત્વનો ભાગ ભજવ્યો છે. નેહાને ખૂબ ખૂબ
ધન્યવાદ. તે પોતાનું સ્વપ્ન સફળ કરી શકે તેવી પ્રભુને અંતરથી પ્રાર્થના