મારે અંતરે શ્રીજી બિરાજે છે
મુજને જિવનનો રાહ દર્શાવે છે
મારગમાં આવતા અંતરાયોને
શ્રીજી શ્રધ્ધાથી પાર કરાવે છે
મનડાને શ્રીજી પ્રેમ મનાવે છે
તેની ભ્રમણાઓને ભાંગે છે
જીવન પથને શ્રીજી ઉજાળે છે
કંટક વીણી ફૂલડા બિછાવે છે
દયાનો સાગર છલકાવે છે
પ્રેમે શ્રીજી તેને પખાળે છે
કર્મ નિઃષ્કામ કરાવે છે
વાણીથી શીખ વરસાવે છે
જીવનની ગહનતા દર્શાવે છે
શરણે તેને સ્વિકારે છે
જીવનની ગહનતા દર્શાવે છે
શરણે તેને સ્વિકારે છે..સુંદર ભજન છે.
રામની મરજી
મરજી રામની સાચી
શાને ધરે તું હું પદ હૈયે, કરણી બધી તારી કાચી…
મનવ જાણે હું મહેલ બનાવું, ટાંક ન રાખું કોઇ ટાંચી
અવિનાશી ના એક ઝપાટે, એમાં ભટકે ભૂત પિસાચી…
નારદ જેવા સંત જનોને, નારી નયને નાચી
માનુની બદલે મુખ મરકટ નું, સૂરત દેખાણી સાચી…
હરણાકંસ નો હરખ ન માતો, લેખ વિધિ નાં વાંચી
નરસિંહ રૂપ ધર્યું નારાયણ, કાયા કપાણી એની કાચી…
ભસ્માસુરે ભગવાન રીઝાવ્યા, જગપતી લીધા એણે જાંચિ
મોહિની કેરો મર્મ ન જાણ્યો, નિજને જલાવ્યો નાચિ…
દીન “કેદાર” પર કરૂણા કરજો, સમજણ આપો મને સાચિ
અવધ પતિ મને અળગો ન કરજો, રામ રહે દિલ રાચિ…
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
http://www.kedarsinhjim.blogspot.com