Archive for May 8th, 2007

દોસ્તી

May 8th, 2007

   સુદામા અને કૃષ્ણ બાળપણના ગોઠિયા. સાંદિપની ઋષિના
   આશ્રમમા સાથે ભણેલા, સાથે લાકડા કાપેલા. તેમની ગોઠડી
   ખૂબ પ્રખ્યાત. એક વાર સુદામા એ વાત છેડી, તારી માયાની
   તારી લીલાની ખૂબ ચર્ચા સાંભળી છે,કોઈકવાર તેનો અનુભવતો
   કરાવ. કૃષ્ણ કહે એમાં માલ નથી જવા દે ને. સુદામા માન્યા
   નહીં. ચાલ ત્યારે આપણે જમુનામાં નહાવા જઈએ.
     બંને જણા ચાલ્યા, ડૂબકી મારી. બસ સુદામાજી આવી ગયા
   અજાણી નગરીમાં. ત્યાંનો રાજા મરી ગયો હતો. સ્મશાનેથી ડાઘુ
   બધા ઘરે પહોંચતા હતા. જે સામે મળે તેણે રાજાની કુંવરીને
   પરણી રાજપાટ ભોગવવાના એવું ઠરાવ્યુ હતું. સામેથી આપણા
   સુદામાજી ચાલ્યા આવતા જણાયા. પકડીને રાજદરબારે લઈ
   જવામાં આવ્યા. જબરદસ્તીથી તેમણે લગ્ન કર્યા. ખૂબ સુંદર
   રીતે રાજપાટ ભોગવ્યું. ચાર બાળકો થયા.
   ખૂબ લીલા લહેર ભોગવતા હતા. અચાનક રાજાની કુંવરી બિમાર
   પડી. ગામે ગામ થી વૈદ તેડાવ્યાં. દવાદારૂમાં કોઈ કસર રાખવામાં
   ન આવી. પણ ટુટીની બુટી નથી. કુંવરી એ અંતિમ શ્વાસ લીધો અને
   પ્રેમાળ પતિ અને બાળકોને મૂકીને લાંબી યાત્રા એ નિકળી પડી.
    તેને સ્મશાને લઈ જઈ ચીતા ઉપર ચડાવી બધા ડાઘુઓ સ્નાન કરવા
   નદીમાં ડુબકી લગાવી. જુએ છે તો કૃષ્ણ સુદામાને કહે છે, અલ્યા કેટલી
   વાર કરી , બહુ લાંબો સમય પાણીમાં રહેવાથી રામ બોલો ભાઈ રામ
   થઈ જવાય તને ખબર નથી.  સુદામા, વિચારમાં પડી ગયા, આ બધું
   શું થઈ ગયું. કૃષ્ણ મનમાં ને મનમાં મુસ્કુરાતા હતા. લે જોઈને મારી લીલા  

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.