વિચાર

March 21st, 2007 by pravinash Leave a reply »

images44.jpg

જ્યારે સરજનહારને દંડવત કરીએ છીએ
ત્યારે ગબડી પડવાનો ભય હોતો નથી.   

નમ્રતા જો તન અને મનમાં વ્યાપ્ત હોય તો
 જીવનમાં બળ સદા લહેરાય.   

આજનો સંજોગો તો  ભવિષ્યમાં આવનાર
 સુંદર  સમયની છડી પોકારે છે.

વિચાર અને વર્તનની શુધ્ધતા ભર્યું જીવન નિંદર
ટાણે ઓશિકું પોચું છે કે કઠણ તે ગણકારતું નથી.    

આ જીવન બનાવવા પાછળ કુદરતનો હેતુ શું છે?
તેના કરતા આપણો ધર્મ શું છે તે નિશ્ચીંત કરવું આવશ્યક છે.
    
 નાસીપાસ થશો નહી. હિંમત હારશો નહીં.
 સવારનો ભૂલ્યો સાંજે જરૂર ઘરે આવશે.   

જિંદગીની સાથે મળેલાં જન્મજાત સંસ્કાર
વખત આવે આળસ ખંખેરી તાજા થશે.
   
ઢોળ પછી તે સોનાનો હોય કે ચાંદીનો
સમય આવે ઉતરી જવાનૉ.
જે અસલ છે તે પોતાનું પોત પ્રકાશસે.

ધ્યેય ને પામીશું કે નહી તે અગત્યનું નથી
તેને પામવાની ધગશ કેટલી છે
તેની કિંમત ઓછી આંકશો નહી.
  
વસંત કાયમ ટકતી નથી.
પાનખર જરૂર આવશે.
જુવાની તો જવાની
કેમે કરી નહીં ટકવાની.
    

Advertisement

2 comments

  1. says:

    ખૂબ સુંદર વિચારો

  2. says:

    આ જીવન બનાવવા પાછળ કુદરતનો હેતુ શું છે?
    તેના કરતા આપણો ધર્મ શું છે તે નિશ્ચીંત કરવું આવશ્યક છે.

    સાવ સાચી વાત.

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.