સાસુ-મા

October 4th, 2007 by pravinash No comments »

અમેરિકામાં માતા યા પિતા રોજ યાદ કરવાની પ્રથા ભલે ન હોય. કિંતુ આપણે
તો જનમ ધર્યો ત્યારથી હિંદુસ્તાની છીએ. ભલે અંહીનું નાગરિકત્વ હોય, મરશું
ત્યાં સુધી હિંદુસ્તાની રહેવાના. શ્રાધ્ધના દિવસોમાં માતા-પિતા ને યાદ કરી
શ્રધ્ધાંજલી આપવાની અંતરની ઈછા રોકી ન શકી.
પૂ. સસરાજીને તો લગ્ન થયા ત્યારથી જોવા પામી ન હતી તે વસવસો
આખી જીંદગી રહ્યો છે. મારા પિતાજીની હું વચલી દિકરી પણ ખૂબ વહાલી
હતી. તેમની પાસે કોઈ પણ કામ કઢાવવું હોય તો મારી માનું ખાસ વાક્ય
યાદ આવે છે. “જા, તારા બાપા પાસે, એ માત્ર તારું સાંભળશે.” તેમનું
હાસ્ય, આજે પણ નજર સમક્ષ તરવરે છે. જ્યારે બી.એ. પાસ થઈ ત્યારે
મારા કરતાં મારા પિતાજી વધારે ખુશ હતા. બસ આ તેમની પહેચાન.
મારા પતિ ઘરમાં સહુથી નાના. એનો અર્થ તેમની માતાના લાડકા.
જેનું પરિણામ હું પણ તેમની લાડકી. વડિલોની આમન્યા ગળથુથીમાં શીખી
હતી. એ મારી વહાલી માના સંસ્કાર.પૂ.બા એ લગ્ના પછીની સાડાચાર વર્ષમાં
પ્રેમની જે મૂડી આપી છે તે મારા મૃત્યુ સુધી મને ખરચવા ચાલશે.નામ પ્રવિણા,
કિંતુ બા હંમેશા ‘પવિના’ કહે ખૂબ પ્યારુ લાગતું હતું. તેમના આશિર્વાદથી
આજે જીવન હર્યુભર્યુ છે. નાની ઉમરમાં પણ સાસુ-મા ભેદ જણાયો ન હતો.
‘પ્રણામ’.
મારી મમ્મી, ખૂબ વહાલી અને તેનું સુખ ખૂબ પામી. હા, મા સાથે
મતભેદ જરૂર થતાં. કદીયે વહાલના દરિયામાં ઓટ નથી આવી. સંસ્કારની
સાથે સાથે, કાર્ય કુશળતામાં પ્રવિણતા બક્ષનાર એ માને કોટિકોટિ પ્રણામ.
શ્રાધ્ધના દિવસોમાં સહુને પ્રણામ, પ્યાર અને મીઠી મીઠી યાદ.—

ચાલો રસોડામા

October 3rd, 2007 by pravinash No comments »

દિલ ખુશ બરફી

સામગ્રીઃ ૨ કપ મધુરું હાસ્ય.
૨ કપ પ્યાર
૧ કપ સત્ય વાણી
૧ કપ નિર્મળ દ્રષ્ટિ
૨ ચમચી ગુણગાન
૧/૨ ચમચી ભાવના
૧/૨ ચમચી સદવર્તન
૧ કપ ભક્તિ
ચપટી ભર પ્રભુ નામ

રીતઃ મધુરું હાસ્ય, પ્યાર, સત્યવાણી અને નિર્મળદ્રષ્ટિ ને મોટા ત્રાંસમા
ભેગા કરી તેમાં બે કપ ઠંડુ પાણી નાંખી બરાબર હલાવી તાપમા
કપડુ ઢાકી ને રાખો. બે કલાક પછી પ્રભુ નામ સિવાય સઘળી
વસ્તુ ભેળવી આખી રાત ફ્રીઝમાં ઢાંકી ને રહેવા દો.
સંધ્યા ટાણે ચાદો ઉગે ત્યારે સર્વ કુટુંબી જનોની સાથે
બેસી પ્રભુ નામ ભભરાવી દરેક સભ્ય સરખે ભાગે માણો. ચંદ્રની
ચાંદની તેમાં ઔર મધુરતા ઉમેરશે.
છે ને ‘ દિલ ખુશ બરફી ‘

ચાલો રસોડામા

હાય ગુજરાતી

October 2nd, 2007 by pravinash No comments »

આપણી ગુજરાતી ભાષાનું ગૌરવ કેટલું?
બણગા ફુંકીએ અને બડબડ કરીએ એટલું.

તમને થશે કે આવું શા કારણથી હું લખતી હોઈશ. ગુજરાતી કુટુંબમાં જન્મ.
ભારત મારી માતૃભૂમિ. જ્યારે કોઈપણ લેખ યા કવિતા વાંચવામાં આવે છે
ત્યારે દરેક એકાદ બે પંક્તિ હજુતો વાંચી પણ ન હોય અને વચમાં અંગ્રેજી શબ્દ
ટપકી પડે. અંગ્રેજોને ભારત છોડ્યે આજે ૬૦ વર્ષ ઉપર થઈ ગયા. હજુ પણ
આપણું માનસ શામાટે ગુલામ છે? શું આપણને સ્વની ભાષાની શરમ આવે છે?
રખે માનતા હું ભદ્રંભદ્ર છું. હા ગુજરાતીની હિમાયતી જરૂર છું. મારી ભાષા
પ્રત્યે મને ગૌરવ છે. હું અમેરિકાનું નાગરિકત્વ ધરાવુ છું. આ મારી કર્મ ભૂમિ છે.
કિંતુ મારી જનની માતૃભૂમિ પ્રત્યે મને અનહદ પ્રેંમ છે. હજુ પણ ચેતો, આપણે
સહુ ગુજરાતી સાહિત્યના ચાહકો છીએ. લેખકો અને કવિ મિત્રો છીએ. આપણી
ફરજ બને છે કે સાચો રાહ ધારણ કરીએ.
શું આપણે કદીયે અંગ્રેજી સાહિત્યમાં ગુજરાતી શબ્દો ભાળ્યા છે? આપણી
ભાષા ખૂબ સમૃધ્ધ છે. મને નથી લાગતું બીજી ભાષા નું અવલંબન જરૂરી છે.
હા, જો કોઈ વખત અમુક શબ્દો આપણને ન જડે અને કૌંસમાં અંગ્રેજી શબ્દ
વાપરીએતો સમજી શકાય. કદાચ તમ્ને પણ આ ખટકતુ હશે? ઘણા સમયથી
આના પર ધ્યાન દોરવું હતું. આજે મારો અભિપ્રાય જણાવ્યો. તમારો શું મત છે
જણાવવાની મહેરબાની કરશો.
આપણા બાળકો ગુજરાતી લખતા, વાંચતા અને બોલતા નથી તેનું દુખ
સાલે છે. તો પછી આપણી પોતાની ક્ષતિ પ્રત્યે શામાટે આંખમિંચામણા કરીએ
છીએ. આમ લખીને કોઈને પણ નારાજ કરવાનૉ ઇરાદો નથી માત્ર ધ્યાન દોરવું
છે. આશા છે વાંચીને આપણે એ દિશામાં કોઈ પગલું ભરીશું.

વીર શહીદ

October 2nd, 2007 by pravinash No comments »

આઝાદીની લડતમાં જાન ગુમવનાર બે ચાર શહીદના નામ યાદ છે ખરા?
દેશને માટે ફના થનાર કોઈ વીર નું નામ પૂછવામાં આવે તો કોનું નામ જીભે
ચડશે? આઝાદી મળ્યાને ૬૦ વર્ષના વહાણા વાયા. આજની જુવાન પ્રજાને
તેની કાંઈજ ખબર કદાચ નહી હોય. જો તે ઇતિહાસનો રસિયો હશે તો
કદાચ ઘણી બધી કડીઓનો જાણકાર હશે. નહીતો ભલું થજો ‘અમરચિત્ર
કથા’ ના લખનારનું કે જેને પ્રતાપે નાના મોટા ઘણા બધા પ્રસંગો યા વાર્તા
થી પરિચિત છે.
પ્રસ્તાવના ખૂબ લાંબી ચાલી પણ તેનું પાછળનું પ્રયોજન અતિ ગુહ્ય છે.
સપ્ટેમ્બર ૨૮, ૧૯૦૭ આપણા વીર શહીદ ભગતસિંઘને ૧૦૦ વર્ષ થયા. યાદ
હશે ભારતની આપણી માભોમની આઝાદીના પાયામાં જાન ખુવાર કરનાર તે
પ્રથમ હતા. ત્યારે ભગતસિઘ ૨૩ વર્ષના લબરમૂછિયા જુવાન હતા. તેમની
સાથે હતા વીર સુખદેવ, વીર રાજગુરૂ. સાઈમન કમિશનની વિરૂધ્ધના
દેખાવમાં તેમણે પાર્લામેન્ટમાં બોંબ નાખ્યા હતા.
‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારાની શરૂઆત કરી બ્રિટિશ સલ્તનતના પાયા
હચમચાવવાના બીજ રોપાયા હતા. ભારતમાને કાજે ૧૯૨૯ની ૮મી એપ્રિલે
લાહોરમાં હસતે મુખે ફાંસીને માંચડે લટક્યા હતા.
એવા વીર શહીદને જન્મજયંતિ ઉપર યાદ કરી આંખોમાંથી શ્રધ્ધા અને
પ્યારના બે અણમોલ મોતી સમાન અશ્રુ અર્પણ કરીશું. તેમની વીરતાની
ગાથા યાદ કરી આપણી, ભારતમાતા પ્રત્યે શું જવાબદારી છે તેનુ ચિંતન
જરૂરથી કરીશું.———

સારું થયુ ગાંધી

September 29th, 2007 by pravinash No comments »

૨જી ઓક્ટોબર, ૨૦૦૭ પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મ
દિવસ. હ્યુસ્ટનમાં તો ખૂબ શાનદાર રીતે ઉજવાય છે.એને
દુનિયાભરમાં ‘શાંતિ દિન’તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
પણ જ્યારે પ્યારા બાપુની વાત નિકળે છે અને લોકોના
મુખ પરના ભાવ પલટાય છે તે જોઈ હ્રદયમાં ચિત્કાર ઉઠે
છે અને મનમા ને મનમા થાય છે “સારું થયું બાપુ તમને
ગોડસેએ ગોળીથી વિંધ્યા”.
આ શબ્દો લખતાં હૈયું છલની થઈ જાય છે. નાનપણથી
પૂજ્ય ગાંધીબાપુની વાત, તેમની જીવન શૈલી, તેમના
સત્યના પ્રયોગો બધુ ખૂબ ગમતું . અરે ભૂતકાળ નથી હજુ
પણ ગમે છે. પણ ૨૧મી સદીના નામ હેઠળ આજે એમની
વાતો પાયા વગરની , વજૂદ વગરની ગણવામાં આવે છે
ત્યારે દુઃખ થાય છે. ‘સત્ય’ ની કોઈ કિંમત નથી. ડગલેને
પગલે ‘અસત્યમેવ જયતે’ જણાય છે. ભૌતિકતાની પાછળ
ભાગતો સમાજ આંધળી દોટ મૂકી રહ્યો છે. દિશા શૂન્ય માનવ
અથડાય છે, પછડાય છે છતાંય પાઠ ભણવામા નાકામ છે.
‘પરદેશી માલની હોળી’ એ શબ્દો હાસ્યાસ્પદ બની ચૂક્યા
છે. ભારતમાં જઈએ અને કહીએ કે હિંદુસ્તાનમાં ઉત્પન્ન થયેલી
વસ્તુ જોઈએ તો લોકો તમને એવી નજરે જુએ કે જાણે તમે ગાંડા
તો નથી ને. માતૃભાષાનો આગ્રહ તમને ગામડિયામા ખપાવવા
પૂરતો છે. દારૂ નથી પીતા તો તમે ૧૭મી સદીના છો.
બાપુ, આ તમારા ભારતમાં અરે ભૂલી આપણા ભારતમાં શું
ચાલી રહ્યું છે. જો તમે વધુ જીવ્યા હોત તો તમારી કેવી અવદશા
કરી હોત. નૌઆખલીના કોમી રમખાણો જોઈ તમે કેટલા અપવાસ
કર્યા હતા. આજે એવી અવદશા છે કે તમારે ગળે ધાનનો કોળિયો
પણ ન ઉતરત.
બાપુ, ભાવનગરમાં ‘ગાંધી સ્મૃતિ’ ના દર્શન કર્યા. કેવું સુંદર
પવિત્ર સ્થળ પણ કવી બિસ્માર હાલત. આ એજ દિવસ છે જ્યારે
થાય છે રામ રાજ્ય ભારતમાં તુલસીદાસના રામાયણમા વાચ્યું હતું.
આજે રાવણ રાજ્ય ભારતમાં અસ્તિત્વમાં છે.

શ્રાદ્ધ

September 27th, 2007 by pravinash No comments »

શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાધ્ધ કહેવાય. પછી તે અમૂક દિવસોમાં જ
કરવાનું હોય કે અમૂક સમયે તે અગત્યનું નથી.
હિંદુ પંચાંગ અને પરંપરા મુજબ ભાદરવાની પૂનમથી ભાદરવાની અમાસ
એ શ્રાધ્ધના દિવસો ગણવામાં આવે છે. એ દિવસો દરમ્યાન કુટુંબમાંથી
ગુમાવેલ પ્યારી વ્યક્તિઓને યાદ કરી તેમના ગુણોનું ગાન કરીએ છીએ.
રૂઢીચુસ્ત લોકો તેમને ભાવતા ભોજન જમે છે. બ્રાહ્મણોને દાન કરે છે. પીંડ
પૂરે છે. તેઓને તર્પણ કરે છે.
શ્રધ્ધા પૂર્વક વિછડેલાને યાદ કરી . તેઓ જ્યાં પણ હોય ત્યાં
શાંતિથી હોય તેવી પ્રાર્થના. કોઈના પણ વગર દોનિયા અટકી નથી અને
અટકવાની પણ નથી. આજે તમે છો, કાલે આપણે સર્વેએ એજ રસ્તે જવાનું
છે એ યાદ રહે. આ દુનિયામા જન્મ તેનું મૃત્યુ નક્કી છે. આપણે સર્વે આ
ફાની દુનિયાના મુસાફરો છીએ તે યાદ શ્રાધ્ધના દિવસો અપાવે છે..

બિરાજે છે

September 26th, 2007 by pravinash 1 comment »

       મારે  અંતરે  શ્રીજી  બિરાજે  છે
       મુજને જિવનનો રાહ દર્શાવે છે

      મારગમાં આવતા  અંતરાયોને
      શ્રીજી શ્રધ્ધાથી પાર  કરાવે છે

      મનડાને શ્રીજી પ્રેમ મનાવે છે
      તેની   ભ્રમણાઓને  ભાંગે  છે

      જીવન પથને શ્રીજી ઉજાળે છે
      કંટક વીણી ફૂલડા  બિછાવે છે

     દયાનો  સાગર  છલકાવે  છે
     પ્રેમે શ્રીજી  તેને  પખાળે  છે

      કર્મ  નિઃષ્કામ  કરાવે  છે
      વાણીથી શીખ વરસાવે છે

     જીવનની ગહનતા દર્શાવે છે
     શરણે   તેને   સ્વિકારે  છે

લોટરી લાગી ગઈ

September 26th, 2007 by pravinash No comments »

  ડોકટર મહેતા અને રંમણભાઈ શાળા સમયના મિત્ર.આજે તો બંનેના બાળકો  પણ ઘરસંસાર માંડીને સ્થાયી થઈ ગયા હતા. રમણભાઈ ના નસિબે યારી  આપી હતી. છતાંય તેમને લાખોપતી થવાનો અભરખો હતો. સૂરા કે સુંદરી  કોઈ ખરાબ આદત ન હતી. પણ ખરાબ કહો તો ખરાબ અને સારી કહો તો  સારી,લોટરી ખરીદતાં. દર મહિનાની પહેલી તારીખે ૨૦૦ થી ૪૦૦ રૂપિયા  વાપરી નાખતાં. રેણુકાબહેન ઝઘડો અચૂક કરે રમણભાઈ તેમની મનાવી  લેવા માટે પાવરધા થઈ ગયા હતા.
  બાળકો અલગ હતા તેથી ધંધાનો ભાર તેમના માથે હોય તે સ્વાભાભિવક   છે. ધંધો બહોળો હતો તેથી સમેટતા બે પાંચ વર્ષ સહેજે નિકળી જશે એમ તેમને લાગતું. તેના ભારને લઈને રમણભાઈને હ્રદય રોગ નો હુમલો આવી  ગયો. ડોકટર મહેતા દરરોજ સવારે પોતાના દવખાને જતા પહેલાં એક આંટો  આવી જતા. મિત્રને હસાવી સારા મિજાજમાં રાખતા. રેણુકાબહેન  અગ્રહ  પૂર્વક ચાપાણી ને નાસ્તો કરાવીને જ જવા દેતા. તેમના પ્યાર આગળ આ રોજનો ક્રમ થઈ ગયો.
   રમણભાઈને સારું લાગતું હતું. વીસેક દિવસના સંપૂર્ણ આરામ પછી આજે પહેલીવાર બહાર નિકળ્યા. ગાડી સીધી લોટરીવાળા ને ત્યાં જઈને ઊભી રખાવી.  આજની લીધેલી લોટરી હતી પણ પચાસ લાખની. આજે ખુશમિજાજમાં પાંચસો  રૂપિયાનું પાણી કરી નાખ્યું. રેણુકાબહેને નારાજી દર્શાવી લોટરીની ટિકિટૉ તેમની પાસેથી ખુંચવી લીધી. રમણભાઈ કશું બોલ્યા વગર ચૂપચાપ આરામ કરવા જતા
  રહ્યા. હવે સારું લાગતુ હતું તેથી ડોકટર રોજ ન આવતા. લોટરીનું પરિણામ બહાર આવ્યું. રિસાયેલા રમણભાઈ એ એકપણ હરફ તે બાબત માટે ન ઉચ્ચાર્યો. રેણુકાબહેન પણ કાંઈ ન બોલ્યા. સાંજ પછી તેમને દયા આવી ને પરિણામ સાથે ટિકિટ મિલાવી તો આભા થઈ ગયા. ૫૦ લાખનું ઈનામ લાગ્યું હતું. ખરેખર ગભરાઈ ગયા. શું કરવું તેની મુંઝવણ સતાવવા લાગી.તેમને ડોકટર મહેતા યાદ આવી ગયા. ઘરમાં ફોન હતો છતાં બહાર જઈ ને રમણભાઈને ખબર ન પડે તેથી ફોન કર્યો. ડોકટર પણ વાત સાંભળીને ખુશ થયા અને કહે આજે સમય   નથી ‘હું કાલે સવારે વહેલો આવીશ અને વાતનો દોર મારા હાથમાં લઈશ,ભાભી તમે ચીંતા ન કરતાં. એક વાત યાદ રાખજો આ વાત હમણાં કોઈને કરશો નહીં. તમારા બાળકોને પણ નહીં.’
   રેણુકાબહેન સવારની કાગડોળે રાહ જોતા હતા. સવારે ડોકટરને જોઈ રમણભાઈ બોલ્યા,’અલ્યા મહેતા મારી તબિયત સારી છે શું મને પાછો માંદો કરવો છે?.’
 ડોકટર સ્વાભાવિક પણે કહે’મારે રેણુકાબહેનના હાથનો ચા નાસ્તો કરવો હતો તેથી થયું લાવ આંટો મારી આવું. કેમ ખરું ને ભાભી?.’ કહી જોરથી હસી પડ્યા. ચા નાસ્તાને ન્યાય આપી તપાસવાના બહાને બધાને ઓરડાની બહાર કાઢ્યા.
 વાતમાંથી વાત કરતાં કહે અલ્યા’ રમણ તું આ વખતે લોટરી લાવ્યો કે નહીં?
 રમણ કહે ‘તું વાત છોડને યાર તેમાં તો રેણુ મારા પર નારાજ છે.’
ડોકટર કેવી  રીતે વાત કરવી તેની મુંઝવણમાં હતા. અચાનક પૂછી બેઠાં ‘અલ્યા તને ૫૦ લાખની લોટરી લાગે તો તું શું કરીશ.’
   પળનો પણ વિલંબ કર્યા વગર રમણભાઈ બોલી ઉઠયા ‘અડધા તને આપીશ.’
 
ડોકટર મહેતા પથારીમા ફસડાઈ ————–.
 

ક્ષણ

September 26th, 2007 by pravinash No comments »

 ક્ષણ  ની કિંમત ને તું  જાણ
    માનવી ના બનીશ અનજાણ

   ક્ષણ  ભરમાં  તારું  ભવિષ્ય
   તારે  હાથે  તું   ફેરવવાનો

  ક્ષણમાં હતો નહતો  થવાનો
  ક્ષણમાં નવલો દેહ ધરવાનો

  ક્ષણની કિંમત  વિમાની  જાણે
  ક્ષણની મહત્તા વિદ્યાર્થિ પહેચાને

  ક્ષણ ક્ષણ નું આ બનેલું જિવન
  ક્ષણ  ભરમાં  પરાસ્ત  થવાનો

  ક્ષણનો દૂર ઉપયોગ કરીશના
  ક્ષણ વેડફાય તેવું જીવીશ ના

  ક્ષણનું મહત્વ જો તું ના સમજે
  રાંડ્યા પછી શું ડહાપણ નીપજે

ત્રીજે માળવાળી બા

September 25th, 2007 by pravinash No comments »

પારો આજે ખૂબ ખુશ હતી. આમ પણ પારોનો સ્વભાવ ખૂબ સુંદર. જો તમે તેનું મોઢું વિલાયેલું જુઓ તો થશે આજે સૂરજ કઈ દિશામાંથી ઉગ્યો છે? કારણ પણ ખુશ
થવા જેવું જ હતું. એની લાડકી દિકરીને પહેલે ખોળે દિકરો અવતર્યો હતો.. પેંડા બનાવવામાં મશગુલ પારો ગુનગુનાતી હતી. ‘ તમે મારા દેવના દીધેલ છો, આવ્યા
ત્યારે અમર થઈને રહો.’
અમર બોલીને તેને પોતાની ‘અમરતબા જે ત્રીજે માળવાળી બા ‘ તરીકે તે ઓળખતી હતી તે યાદ આવી ગયા. પારો પેંડા વાળતાં વાળતાં ભૂતકાળમાં સરી પડી. અમરતબાને
તે ખૂબ વહાલી હતી. જ્યારે પણ ગામ જવાનું થાય ત્યારે કંઇકને કંઇક તે બહાનું જ શોધતી હોય. દોડીને અમરતબા પાસે પહોંચી જાય. બાના નયનમાંથી નિતરતો પ્રેમ આજે પણ તેની
આંખ સમક્ષ તરવરી ઉઠે. અમરતબા તેના વહાલા પૂજ્ય પિતાજીની દાદીમા થાય. મુંબઈની રીત પ્રમાણે તે ઘર કે જ્યાં અમરતબા રહેતા તે બે માળનું હતું . ભોંયતળીયે મારા દાદીમા રહે,
પહેલે માળે દાદીકાકી રહે અને એકદમ ઉપર બંનેના સાસુમા એટલે મારા અમરતબા.
અમરતબા દેખાવે ખૂબ રૂપાળા, એકદડીના રોજ માથે બેડું મૂકીને વાડીકૂવે પાણી ભરવા જાય. મારી યાદ પ્રમાણે તેઓ ૮૫ થી ૯૦ની ઉમરના હશે. ધીરી પણ સુંદર ચાલ. બેડું તેમણે પકડવું પણ ન પડે. અધ્ધર માથા પર લઈને ચાલે. પાછા બે દાદર પણ ચઢે. ધીરે ધીરે તેમનું કામ કરે. હું જાંઉ ઍટલે કહેશે, પારો બેટા ચવાણું ખાઈશ? એમના ચવાણાની મિઠાશ આજે પણ આ લખતાં હું માણું છું.
મુંબઈથી લાવેલો મેવો તેમને પહોંચાડવાની જવાબદારી મારી. મેવો એટલે ફળફળાદી અને સૂકો મેવો. જેવાંકે બદામ, પીસ્તા, દરાખ, એલચી વિ. લઈને જાઊં એટલે કહેશે તાતી મા આવે ત્યારે અચૂક તે લાવે. પારો બેટા ‘તું દાદીને આપવા આવે અને મારો લાલો લહેરથી આરોગે.’ બેટા પ્રભુ તને ખૂબ ખુશ રાખશે. તું તારી દાદીની, દાદીકાકીની, મારી બધાની ખૂબ લાગણી કરે છે.’
નાની બાળા પારો સમજે બહુ છું પણ પ્રેમથી બધાનાં કામ દોડી દોડીને કરે. આજે મમ્મી બજારમામ્થી કેરી લાવી હતી . ઉનાળાની ઋતુમાં દેશમાં જવાનું થાય એટલે અમરતબાને મઝા પડે. તેમને કેરી ખૂબ ભાવે. મારી મા પણ મોટીબાને કેરી મોકલાવે, દાદીકાકીને અને મારા વહાલા અમરતબાને. મોટીબા ઍટલે મારા દાદીમા અને અમરતબાને ઝાઝી મોકલે. દાદીકાકીને તેમના દિકરા મોકલે તેથી બહુ ન રાખે. આજે કેરી આપવા ગઈ હતી. અમરતબાને પાણી ભરવા જતા જોયા પણ ન હતા. સવારથી થતું હતું કેમ આજે બા કેમ ન દેખાયા. મમ્મીએ સવારથી રોટલી કરવા બેસાડી હતી તેથી કામ પુરું કર્યા વગર ન જવાય.
આજે બા સવારથી ઉઠ્યા ન હતા. ‘બા હું તમને અડકું’? મેં પૂછ્યું . બા મરજાદી હતા. મરજાદી એટલે સેવા કરતા હોય ઠાકોરજીની ત્યારે કોઈને પણ અડકે નહી. બા કહે હાબેટા. મારી આંખમાં ઝળઝળિયા આવી ગયા. બ કહે બેટા, કાલે ઠાકોરજી માટે પેંડા બનાવતી હતી. તમે બધા મુંબઈથી આવો, એટલે મારે મન આનંદ હોય, તેથી ઠાકોરજીને ખૂબ ભાવ્તી સામગ્રી બનાવું . પણ હવે ઉમર થઈ ને કામ કરતા કોઈ વાર દાઝી જવાય.
પારો આજે હરખના પેંડા બનાવતી હતી ને અમરતબા યાદ આવી ગયા.દિકરો આવ્યો હતો, દાદીમા થઈ હતી.

———-

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.