Archive for the ‘Uncategorized’ category

‘નાનો’ બનાવી દીધો !

August 25th, 2010

                  

ચાર કંપનીના પ્રેસિડન્ટ ચંપકભાઈ સભામા બેઠા હતા. કોઈની તાકાત છે

એમની સામે બોલવાની કે નજર ઉઠાવીને વાત કરવાની.

    એકની એક દિકરીની દિકરી આવી.

  નીમાઃ હેં ‘નાના’ તમે મારા માટે ઢીંગલી ભૂલી ગયા.

             હમણાને હમણા મને અપાવો.

 ચંપકભાઈઃ ડ્રાઇવર બેબીને ગાડીમા આયા સાથે લઈ

                    ને અપાવી આવ.

  નીમાઃ નાના, ડ્રાઈવર નહી અને આયા પણ નહી.

              તમે જ સાથે ચાલો.

  ચંપકભાઈઃ આખા ગામને ધ્રુજાવતો અને સહુ ઠેકાણે

                      મોટો. દિકરીની દિકરીએ ‘નાનો’ બનાવી દીધો !

વિજય દિવસ

August 23rd, 2010

       હમ હિંદુસ્તાની , ભલેને ધરતીના પેટાળમા હોઈ એ કે ચંદ્ર ઉપર.

આજે છે “વિજય દિવસ”. ભારતમાતાના સુપુત્રો જેમણે દેશ ને મહત્વ

 આપી પોતાના પ્રાણનું બલિદાન આપ્યું.

             હશે એ કોઈનો લાડવાયો  યા કોઈનો પ્રેમાળ પતિ. વહાલી

બહેનીનો ભાઈલો, જે આવતીકાલે રક્ષાબંધનને દિવસે રક્ષાને ચૂમી

પોસ પોસ આંસુડા સારશે. નાના નાના ભુલકાઓનો પિતા.

   આપણી ફરજ બને છે તેમને યાદ કરી તેમના બલિદાનને

બિરદાવવાનું.       

     પ્યારા દેશ બાંધવો, મા ભારતીને તમારા પર ગર્વ છે.

 તમને યાદ કરી અશ્રુના પુષપની અંજલી અર્પણ કરીએ છીએ    

પવિત્ર ઍકાદશી

August 19th, 2010
  આજે શ્રાવણ સુદ એકાદશી જે “પવિત્ર એકાદશી” ના નામે પંકાય છે. પુષ્ટિમાર્ગના
પ્રણેતા શ્રી વલ્લભાચાર્યજી એ આ માર્ગની સ્થાપના કરી. શુધ્ધ અદ્વૈત બ્રહ્મવાદમા
તેમને અખંડ વિશ્વાસ.
      જગત અને આત્મા એ પરમાત્માના અંશ છે. જેમ તણખો અગ્નિમાંથી પ્રગટ
થાય છે તેમ જીવ અને જગત પરમાત્મામાંથી ઉદભવેલ છે.
            શ્રીવલ્લભાચાર્ય જે પૂજ્ય શ્રી મહાપ્રભુજીના નામે ઓળખાય છે તેમણે
પુષ્ટિસંપ્રદાયની સ્થાપના શ્રાવણ, સુદ ૧૧ ના દિવસે કરી જે ‘પવિત્ર એકાદશી’
ના નામે ઓળખાય છે. “બ્રહ્મ સંબંધ” મંત્ર દ્વારા આત્માનો સંબંધ શ્રીનાથજી સાથે
જોડી આપ્યો.
                    ૧૫૪૯, શ્રાવણ સુદ એકાદશી, મધ્યરાત્રી એ શ્રીજીબાવા પ્રગટ થયા.
બ્રહ્મ સંબંધ મંત્રની પવિત્રતા જાળવવા આ મંત્ર હંમેશા સ્નાન કર્યા પછી ચોખ્ખા
કપડા પહેરી જ બોલવો.
            કોઈ પણ જાતની અપેક્ષા વગર શ્રીનાથજીનું શરણ સ્વિકારવું.
           શ્રીનાથજીમા દૃઢ વિશ્વાસ
           શ્રીનાથજીની સેવા બાલ ભાવે કરવી.
          શ્રીમહાપ્રભુજી પ્રત્યે આદર્ભાવ.
           શ્રીમહાપ્રભુજી ગુરૂ તરીકે બિરાજે.
     સાક્ષાત પ્રભુ પ્રગટ થયા દૈવી જીવોના ઉધ્ધાર માટે. એ આ પવિત્ર એકાદશી.

શું કામ ?

August 19th, 2010
  જેને આપણે પ્રેમ કરીએ છીએ તેને સહુથી વધુ દુખ આપીએ છીએ.
જેનાથી મનને આનંદ થાય છે તેનાથી ખૂબ દૂર રહીએ છીએ
જેમના વગર ચાલી શકે તેઓ આજુબાજુ આંટા મારતા હોય છે
જેમના વગર જીવવુ શક્ય નથી છતાં જીવન સરે છે
જીવન વન ગીચ યા પાંખુ, લીલુ યા સુકુ ગહરું છે

દુખે દિલડુ

August 16th, 2010
         
        વાત જાણે એમ હતી કે આજે ઝરણાનો પિત્તો સાતમા આસમાને
પહોંચી ગયો હતો.રાતની નિંદર પણ વેરણ થઈ ગઈ હતી. ગઈ કાલે
ખુદની માતા ઉપર ગુસ્સો આવ્યો હતો.
       મા તે મા બીજા વગડાના વાની ઉક્તિ મુજબ મા તે કડવો ઘુંટડો
ગળી ગઈ. માને થયું હશે બાળક છે કામકાજમા ચોવિસ કલાક ઉલઝાયેલું
હોય તો કોઇક વખત ભાન ન રહે કોને શું કહે છે.
           ઝરણા ઓફિસેથી આવી હતી. આવતાની સાથે તેને રસોઈ તૈયાર જોઈએ.
નિરવ અને તે બંને સાથે આવતા. આજે નિરવને બોર્ડ મિટીંગમા જવાનું હતું. તેથી
રાતનું જમવાનું તે બહાર લેવાનો હતો.
           ઘણા વખતથી ઝરણાને કચોરીવાળી દાળ ઢોકળી ખાવી હતી. સવારે મમ્મીને 
કહીને ગઈ હતી. પણ કોને ખબર કેમ મમ્મીને ખિચડી ખાવી હતી તેથી તેમણે ખિચડી
બનાવી હતી. તેમને યાદ ન રહ્યું કે ઝરણા સવારે કચોરીવાળી દાળઢોકળી બનાવવાનું
 કહી ને ગઈ હતી.
        થાકેલી ઝરણા ઘરે આવી. ભૂખનો માર્યો તેનો જીવ નિકળી રહ્યો હતો. ભાણામા
મમ્મીએ મૂકી ખિચડી. જોઈને તેનો પિત્તો ગયો. મા તે આજે આ શું બનાવ્યું ? જાનકી
અચંબામા પડી ગઈ કેમ આમ. પછી તેને યાદ આવ્યું અરે, બેટા હું તો ભૂલી જ ગઈ.
               થાળી ને હડસેલી ઝરણા ઉભી થઈ ગઈ. જમ્યા વગર સૂવા જતી રહી. રાંધ્યા
ધાન રઝળી પડ્યા. જાનકી રસોડામા ઢાંકો ઢૂબો પતાવી માળા લઈને બેસી ગઈ. તેને
થયું ભૂલી ગઈ એ એવો ગુનો તો નથી કે આમ રિસાઈ જવું અને ભુખ્યા પેટે મા પર
ગુસ્સો કરવો.
             જાનકીને તો ભગવાનનું નામ લેતા ક્યારે ઉંઘ આવી તે ખબર પણ ન પડી.
ઝરણાની નિંદ વેરણ થઈ ગઈ. આખી રાત પેટમા ગલુડિયા બોલ્યા અને ઉપરથી ‘મા’
પર ગુસ્સો કર્યો.
         હવે આમા સજા કોને થઈ જાનકીને કે ઝરણાને ? ભલે અપમાન જાનકીનું થયું.
આખી રાત ઝરણા પડખા ફેરવતી રહી!
           દિલડુ દુખ્યુ. દુનિયાનો ધારો છે જે ભોગવે તેની ભૂલ. જે ભૂલ કર્યા પછી દુખ
જેને થાય તે ભોગવે.

જાણવા જેવું.

August 10th, 2010

  ૧.    ચલણી નાણા કરતાં મોનોપોલીની નોટો વધુ છપાય છે.

૨.    માણસો ઝીણા અક્ષર સ્ત્રીની સરખામણીમા સારી રીતે વાંચી શકે છે.

૩.    સ્ત્રીઓ ના કાન ખૂબ સરવા છે.(સાંભળવા માટે)

૪.    કોકાકોલાનો રંગ પહેલા લીલો હતો.

૫.    અલાસ્કામા સહુથી વધારે માણસો ચાલીને નોકરી પર જાય છે.

૬.    દર કલાકે ૬૧,૦૦૦ પાર્સલ ‘એર બોર્ન’થી જાય છે.

૭.    બુધ્ધિશાળી માનવના વાળમા ઝીંક અને તાંબુ વધારે હોય છે.

૮.    સહુથી પહેલી નોવેલ ટાઈપ સેટ થઈ હતી. “ટોમ સોયર”

૯.    કાળીનો રાજા            કીંગ ડેવિડ

       લાલનો રાજા              ચાર્લ મેગ્ન

       ફુલ્લીનો રાજા              એલેકઝાંડર ધ ગ્રેટ

       ચરકટનો રાજા            જુલિયસ સીઝર

૧૦.    કૂતરો ૧૧ વર્ષનો થાય ત્યાં સુધી ૧૬,૦૦૦ ડોલરનો ખર્ચ.

       સંકલન

ક્યાં ચેન છે ?

August 5th, 2010

        વિદાય લેતો સૂરજ આજે શું સંદેશો આપે છે

        આશા લઈને આવીશ પાછો એ  મારો કોલ છે

        ટાઢ તડકો કે વર્ષા મારો કદી ન રસ્તો રોકે છે

        માંદગી કે કંટાળો મુજને હરગીજ ન સતાવે છે

        રાત્રી અને દિવસ ની મોજ જગત માણે છે

        હાથીને મણ કીડીને કણ રોજ સવારે પામે છે

       હાડ માંસની કોટડી પુષ્ટ પોષણ મેળવે છે

      સારી સૃષ્ટિ ગરવાઈથી લહેરાઈને ઝુમે છે

     જેને દેખી બગિયાના હર ફુલ ખિલી ઉઠે છે 

      દરિયો મુજને આંબવા ખાલી ઝાંઝા મારે છે  

       વિરહની વેદના નથી ઘટ ઘટમાં પ્રેમ છે

       તમારા સહુના દર્શન વિના ક્યાં ચેન છે ?

બટાકા

August 3rd, 2010

           બટાકા ખાવાથી ગેસ થાય

                   બટાકા વાયડા પડે

                         બટાકા ખાઈએ તો વજન વધે

     આ બધા જૂના ઘીસા પીટા ખ્યાલથી મુક્તિ પામો,

૧.  બ્રોકલી પછી બીજો નંબર બટાકાનો આવે છે.

૨.  સ્ટીલના વાસણમા રાંધવાથી તેની પૌષ્ટિકતા   જળવાય છે.

૩.  કાપેલા બટાકામા લીબુ નાખવાથી રંગ સારો રહે છે.

૪.  છાલ સાથે બટાકા ખાવાથી ગૂણકારી છે.

૫.  બાફેલા બટાકાને દુધ સાથે મિક્સરમા ફેરવી તેનો સુપ બને છે. (મરી,મીઠુ)

૬.  બટાકા કદી ફ્રીઝમા નહી રાખવા તેમા સ્ટાર્ચનું પ્રમાણ વધે છે.

૭.  કાંદા અને બટાકા સાથે નહી રાખવા.

૮.  મુખની સુંદરતા વધારવા તેનું છીણ ઉપયોગી છે.

૯.  આંખ નીચેના  કાળા ડાઘા કાઢી શકાય (છીણ રાખવાથી)

૧૦.  ૭૦ થૉ ૮૦ ટકા તેમા પાણીનો ભાગ છે.

૧૧.  કેન્સર તથા કાર્ડિયો વાસ્ક્યુલર પર તે અકસીર કામ કરે છે.

૧૨.  થોડો ચણાનો લોટ ભભરાવી તળવાથી કુરકુરા થાય છે.

“૦”

July 28th, 2010

                 જ્યારે ભારતે “૦” ની શોધ કરી ત્યારે તો ગણતરીની શરૂઆત થઈ.

 આજે “૦” પર લખવાનો વિચાર સ્ફર્યો.

    “ऑ पूर्णमिदं”— નો શ્લોક સઘળું કહી જાય છે.  સૂરજ ગોળ, પુનમનો

ચાંદ ગોળ, રૂપિયો ગોળ અરે મનભાવતો લાડુ ગોળ.

             શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન થયું. આમ જોઈએતો શૂન્યની કોઈ કિમત

નથી. વળી જરાક વિચારીએ તો કોઈ પણ આંકડા પછીનું શૂન્ય તેની કિંમતમા

અગણિત ફેરફાર કરી મૂકે છે.

                માથા પરની બીંદી ગોળ, હાથની ચૂડી ગોળ

                રાસ રમંતા ગરબો ગોળ, સાગરમા વમળ ગોળ

      ગોળ અને શૂન્ય બંને દેખાવમા સરખા અને બંનેના મૂલ્ય પણ અદકેરાં.

યાદ હશે ૨૦૦૦ની સાલમા ‘૦’ જેણે ધૂમ મચાવી હતી.

          શૂન્ય પરથી ગોળાકાર પર ઉતરી જવું ખૂબ સરળ બન્યું. પણ શૂન્યની

પૂર્ણતા, શૂન્યનો મહિમા અપરંપાર છે.————–

અભિનંદન

July 27th, 2010

Image-001.jpg     Image-002.jpg                

     ભારતના નાગરિક દુનિયાના ખૂણેખૂણે પહોંચી ગયા છે. કહેવાય

છે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.” બીજી ઉક્તિ છે “જ્યાં ન પહોંચે ક્વિ

ત્યાં પહોંચે અનુભવિ,”

              આજે અભિનંદન આપવાના છે ભારતના સ્ત્રી રત્ન “કમલા પેરસદ”ને

જેઓ બિહાર પ્રાંતના છે. વર્ષો પહેલા ‘ત્રિનિદાદ’ ગયા હતા. આજે ત્યાંની ઉંચી

પદવી ‘ પ્રાઈમ મિનિસ્ટર’ની વર્યા છે.

        પેટ્રીક મેનિંગ જેમણે ૪૨ વર્ષ સુધી એક ચક્રી રાજ્ય કર્યું હતું તેમને હરાવી

ઉંચી બહુમતિ મેળવી ત્રિનિદાદમા પ્રાઈમ મિનિસ્ટરની પદવી ૨૪મી મે,૨૦૧૦મા

ગ્રહણ કરી. શપથ વિધિ વખતે હાથમા હતી આપણી “ભગવદ ગીતા”.       

           ચાલો ત્યારે અભિનંદન આપીએ અને શુભ કામના પાઠવીએ.

Powered By Indic IME