બિરાજે છે

September 26th, 2007 by pravinash Leave a reply »

       મારે  અંતરે  શ્રીજી  બિરાજે  છે
       મુજને જિવનનો રાહ દર્શાવે છે

      મારગમાં આવતા  અંતરાયોને
      શ્રીજી શ્રધ્ધાથી પાર  કરાવે છે

      મનડાને શ્રીજી પ્રેમ મનાવે છે
      તેની   ભ્રમણાઓને  ભાંગે  છે

      જીવન પથને શ્રીજી ઉજાળે છે
      કંટક વીણી ફૂલડા  બિછાવે છે

     દયાનો  સાગર  છલકાવે  છે
     પ્રેમે શ્રીજી  તેને  પખાળે  છે

      કર્મ  નિઃષ્કામ  કરાવે  છે
      વાણીથી શીખ વરસાવે છે

     જીવનની ગહનતા દર્શાવે છે
     શરણે   તેને   સ્વિકારે  છે

Advertisement

1 comment

  1. પુ.મોરારી બાપુ ની કથામાં પહેલાં એક ધુન શાંભળવામળતી, જેના બોલ હતા.ગોવિંદ કે ગુન ગાયે જા ઔર પંથ તેરા બઢાયે જા
    વો ખૂદ હી મિલને આયેગા, તું બંદગી કો નિભાયે જા…આ બે જ લાઇન શાંભળીને તેને પુર્ણ કરવાની ઇચ્છા થતી, તેથી એજ ઢાળમાં મે મારી રીતે એક રચના બનાવી, જે નિચે મુજબ છે.

    ગોવિંદ ગાન

    ગોવિંદ કે ગુન ગાયે જા,માલા મોહન કી ફિરાયે જા
    સંસાર સે મૂખ મોડલે, ઔર હરિ શરન મેં લગાયેજા…

    માનુજ તન તુજકો દિયા, તેરા સભી જિમ્મા લિયા
    તુજે મોક્ષ કા મૌકા દિયા, તું અમર પદ કો પાયે જા…

    દિ હે તુજે શુભ જિંદગી, કરને પ્રભુ કિ બંદગી
    પી લે હરિ રસ પ્યારસે, ઔરોં કો ભી તું પિલાયે જા…

    હરદમ હરિ કા જાપ કર, માયાકો મનસે ત્યાગ કર
    અપના સફ઼્અલ અવતાર કર, જીવન મરન કો મિટાયે જા..

    દીન કે તું દીનેશ હે, ઔર સુર કે તું સુરેશ હે
    તો “કેદાર” કૈસે દૂર હે, અપને શરન મેં બિઠાયે જા
    રચયિતા
    કેદારસિંહજી મે જાડેજા
    ગાંધીધામ કચ્છ.
    http://www.kedarsinhjim.blogspot.com

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.