વીર શહીદ

October 2nd, 2007 by pravinash Leave a reply »

આઝાદીની લડતમાં જાન ગુમવનાર બે ચાર શહીદના નામ યાદ છે ખરા?
દેશને માટે ફના થનાર કોઈ વીર નું નામ પૂછવામાં આવે તો કોનું નામ જીભે
ચડશે? આઝાદી મળ્યાને ૬૦ વર્ષના વહાણા વાયા. આજની જુવાન પ્રજાને
તેની કાંઈજ ખબર કદાચ નહી હોય. જો તે ઇતિહાસનો રસિયો હશે તો
કદાચ ઘણી બધી કડીઓનો જાણકાર હશે. નહીતો ભલું થજો ‘અમરચિત્ર
કથા’ ના લખનારનું કે જેને પ્રતાપે નાના મોટા ઘણા બધા પ્રસંગો યા વાર્તા
થી પરિચિત છે.
પ્રસ્તાવના ખૂબ લાંબી ચાલી પણ તેનું પાછળનું પ્રયોજન અતિ ગુહ્ય છે.
સપ્ટેમ્બર ૨૮, ૧૯૦૭ આપણા વીર શહીદ ભગતસિંઘને ૧૦૦ વર્ષ થયા. યાદ
હશે ભારતની આપણી માભોમની આઝાદીના પાયામાં જાન ખુવાર કરનાર તે
પ્રથમ હતા. ત્યારે ભગતસિઘ ૨૩ વર્ષના લબરમૂછિયા જુવાન હતા. તેમની
સાથે હતા વીર સુખદેવ, વીર રાજગુરૂ. સાઈમન કમિશનની વિરૂધ્ધના
દેખાવમાં તેમણે પાર્લામેન્ટમાં બોંબ નાખ્યા હતા.
‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારાની શરૂઆત કરી બ્રિટિશ સલ્તનતના પાયા
હચમચાવવાના બીજ રોપાયા હતા. ભારતમાને કાજે ૧૯૨૯ની ૮મી એપ્રિલે
લાહોરમાં હસતે મુખે ફાંસીને માંચડે લટક્યા હતા.
એવા વીર શહીદને જન્મજયંતિ ઉપર યાદ કરી આંખોમાંથી શ્રધ્ધા અને
પ્યારના બે અણમોલ મોતી સમાન અશ્રુ અર્પણ કરીશું. તેમની વીરતાની
ગાથા યાદ કરી આપણી, ભારતમાતા પ્રત્યે શું જવાબદારી છે તેનુ ચિંતન
જરૂરથી કરીશું.———

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.