જિવનભર તેં કરી દોડધામ આખરે શું પામ્યો અંતે
હવે ઠરીને બેસ નિરાંતે વિચાર કરી લે તું આજે
જેને કાજે કરી મથામણ તે તુજને ના યાદ કરે
મોહ માયાથી અળગો થઈ સંસાર સાગરે તું તરજે
કામ કર્યે જા ફળની આશા શા કાજે તું ઉદરે ધરે
ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે ફળની આશા શા કાજે
વણમાગ્યે આ જિવન પામ્યો જેવું વાવે તેવું લણે
કરણી એવી કરતો જાજે જનમ સફળ તારો કરજે
અદભૂત છે જિવન માનવનું પ્રતિભા તારી ના લાજે
સંસાર સાગરે સરતો રહેજે વિચાર કરીલે તું આજે
અદભૂત છે જિવન માનવનું પ્રતિભા તારી ના લાજે
સંસાર સાગરે સરતો રહેજે વિચાર કરીલે તું આજે…
માનવી.. “માનવી “બને તો સારું !!
એ વિચાર-ધારા યાદ આવી જાય છે
જીવનનું સનાતન સત્ય રજૂ કર્યુ છે તમે..ઘણું ગમ્યુ..