તારા આગમનનો ના કોઈ અણસાર
તને ભેટીને જીવન રિસાય
તારું આવવું અનિશ્ચિત છે
આજે કે કાલે સવારે કે સાંજે
વરસાદ ઠંડી કે બળતે બપોરે
તારૂં આવવું અનિશ્ચિત છે
ઉઘાડી બારીએ કે બંધ દરવાજે
પવન પાલવડે કે વિજળીના વેગે
તારું આવવું અનિશ્ચિત છે
તને પામીને મુક્તિ મેળવાય
સંકલ્પો વિકલ્પો દૂર થાય
તારું આવવું અનિશ્ચિત છે
જીવન સંગે નો તારો પરિચય
મોટા જ્ઞાનીઓથી ના કળાય
તારું આવવું અનિશ્ચિત છે
તારા મહિમાની ચર્ચા થાય
સપ્રેમે જીવનનાં મોલ ભણાય
તારું આવવું અનિશ્ચિત છે
મરણ
January 25th, 2007 by pravinash 2 comments »હુંકાર
January 25th, 2007 by pravinash No comments »અહંકાર નો હુંકાર તું મનમાંથી કાઢ
મનમાંથી કાઢ તારા ચિત્તમાંથી કાઢ
અહંકારનો વિકાર તારો રૂંધશે વિકાસ
રૂંધશે વિકાસ તારો કરશે રકાસ અહંકારનો—-
અહંકારનાં પ્રકાર અગણિત ચિક્કાર
બુધ્ધિ પ્રતિભા કાર્યદક્ષતાનો પુકાર અહંકારનો—–
દુર્યોધનનો અહંકાર લાવ્યો કૌરવ સંહાર
રાવણ અહંકાર ધર્યો લંકામાથે ભાર અહંકારનો—–
અહંકારનો ઈલાજ સરળ સ્વભાવ
સરળ સ્વભાવે સોહે પ્રભુનો સહવાસ અહંકારનો
અજવાળા
January 25th, 2007 by pravinash No comments » અંધારા ઉલેચીને
હે પ્રભુ અજવાળાં ફેલાવો, ફેલાવો
મનની અટારીએથી માયા મૂકાવી
હે પ્રભુ મહેકાવો , મહેકાવો
દિલનાં દુખડા દૂર કરી
હે પ્રભુ દર્દથી સજાવો, સજાવો
વાણીની સરિતા દ્વારા
હે પ્રભુ વહાલને વરસાવો, વરસાવો
કર્મની કુંપળોને સત્કર્મથી
હે પ્રભુ સોહાવો, સોહાવો
વર્તન સુંદર ને વિનયથી
હે પ્રભુ શણગારો, શણગારો
નાનીશી પ્રેમની દીવી પ્રગટાવી
હે પ્રભુ અજવાળાં ફેલાવો, ફેલાવો
પાત્ર
January 24th, 2007 by pravinash No comments » જીંદગીમાં પાત્ર કાચનું મળે કે સુવર્ણનું તેનો અફસોસ ન કરવો.
તમારું પાત્ર પોકળ સાબિત ન થાય તેનો હરહંમેશ ખ્યાલ રહે
તે અત્યંત આવશ્યક છે.
કાચનું પાત્ર ફૂટી જવાનો ભય સતાવશે. સુવર્ણનું પાત્ર
ચોરાઈ જવાનો ડર શાંતિની નિંદ્રા પણ નહીં લેવા દે. જો
તમે પોકળ યા તકલાદી નહીં હો તો આ જગે તમે સફળ
પૂરવાર થશો.જીવનમાં સંયમ, વૃત્તિઓ પર લગામ અને
જિહ્યાગ્રે સરસ્વતિનો વાસ જારી રાખશો.
પાત્રતા કેળવવામાં અને સાચવી રાખવામાં તે ખૂબજ
મહત્વનો ભાગ ભજવે છે.સફળતા પ્રાપ્ત કરવાની ચાવી
આપણાં જ હાથમાં છે. સફળતા તમારા ચરણ ચૂમશે.
ઈશ્વરને દોષ દેવો, સંજોગોનું આવલંબન લઈ હાર
કબૂલવી એ વિરલાનાં કામ નથી. આપણે પોતે શુભ
કરવાને શક્તિમાન છીએ.જીવનમાં આંધિ યા શાંતિ
આપણાપર આધારિત છે.
વિચાર વિનિમય
January 24th, 2007 by pravinash No comments » ૧.
પંચમહાભૂતથી બનેલો આ નશ્વરદેહ જ્યારે અમૂર્ત થાય છે.
ત્યારે રાખ સિવાય કાંઈજ શેષ રહેતું નથી.એજ દેહ
કરૂણા, દયા, નિસ્વાર્થ, સહનશિલતા અને ક્ષમા
જેવા પાંચ તત્વોનો બન્યો હોય તો અંત સમયે સુગંધ
પ્રસારતો પ્રક્રુતિમાં ફેલાઈ જશે અને અવશેષ રૂપે મધુરી
યાદો ખોબલાં ભરીને રહેશે.
૨.
જો દિલ તૂટે અને ગાંઠ પડતી હોય તો લાંબા અરસા
પછી દિલ, દિલ મટીને ગાંઠોનો દડો બની જશે.
એક વસ્તુ જરૂર કરવી દિલ તૂટે એનો અવાજ ન
આવવા દેવો અને ગાંઠ પડવા ન દેવી.
૩.
જીંદગીનું ચઢાણ કપરૂં છે, ખાડાટેકરાવાળું છે કિંતુ
કુદરતની આપેલી શક્તિ અમાપ છે. શ્રધ્ધા સંપૂર્ણ
છે.
૪.
જીંદગીના રાહ પર ચાલતા થાકી જવાય તે મંઝૂર
છે પણ હારી જવાય,
ના— ના—- ના—–.
૫.
સંવાદ વિવાદ વિખવાદ
સંવાદઃ શાણી સમજદાર અને અનુભવી વ્યક્તિ
વચ્ચે સંવાદ સર્જાય છે.
વિવાદઃ એકજ વિષયમાં પારંગત વ્યક્તિઓ
વચ્ચે તંદુરસ્ત વિવાદ સંભવ છે.
વિખવાદઃ સંસારમાં એક્થી વિષેશનાં સાન્નિધ્યમાં,
સામેવાળી વ્યક્તિની હા માં હા કરવાથી
વિખવાદ ટાળી શકાય છે.
મા
January 23rd, 2007 by pravinash No comments »આવો માને કરીએ પ્રણામ
મા તું ત્યાગનું પ્રમાણ
અંતરે તારે પ્રેમ નું ગાન
હરદમ દે આશિષનાં દાન
આવો માને કરીએ પ્રણામ
મા તેં ઘસી તારી આ કાયા
ન રાખ્યા સ્વાર્થ ને કદી માયા
બાળકોના સુખે વધે તારી શાન
આવો માને કરીએ પ્રણામ
મા તને શ્રીજીનો સહારો
શ્રીવલ્લભ ઝાલે હાથ તારો
મુખ કમળે અષ્ટાક્ષરનું ગાન
આવો માને કરીએ પ્રણામ
શ્રીજી સુણતું વિનતી ‘પમી’ની
માવડીની છે સેવામાં લગની
સુમિરન કરતાં છૂટે તેનાં પ્રાણ
આવો માને કરીએ પ્રણામ
બે શબ્દ
January 23rd, 2007 by pravinash No comments » મન માનસ મનન
આ ત્રિવેણી સઁગમના મધ્યમાઁ છે મન.
જે અતિ ચઁચળ છે
મનને મનન દ્વારા મથીને માનસ
‘નવનિત’ તૈયાર કરવાનો પ્રયાસ
કરે છે.
ચઁચળ મન
સમતા માનસ
નવનિત મનન
કુમકુમ પગલાં
January 23rd, 2007 by pravinash No comments » તું આવી છે શરમાતી આંગણ મહીં
તારા કુમકુમ પગલે લાવી
ઉમંગ આનંદ અંજલી ભરી
શ્રીજી પ્રભુની ક્રૂપા થઈ તું ઘર દ્વારે આવી ઉભી
પાપાજીનાં આશિષ વરસે સ્નેહનો સાગર નિર્મળ બની
રાજનનાં જીવનને તારો સ્પર્શ આહ્લાદક આવી મળ્યો
નમ્રતા રૂપીનનાં દિલમાં આજે સ્નેહનો સાગર ઉમટી રહ્યો
અવિ અનુજ આશયને તારા મીઠા મધુરાં વેણ મળ્યાં
મમ્માનાં હ્ર્દયમાં આજે સ્નેહનો સાગર છલકી રહ્યો
મોજા પાણી છે અભિન્ન દૂધ સાકર જેમ ભળી ગયાં
‘અવિપમી’નાં સંસારમાં આજે સ્નેહનો સાગર સ્થિર થયો
બહાર
January 23rd, 2007 by pravinash No comments »જીવનમાં બહાર આવી જેનાં પગરવને સુણી
જેના આગમનને કારણ દિલ ધબકારો ચૂક્યું
આ એજ વ્યક્તિની યાદે હું સૂનમૂન બેઠી છું
સુંદર સંસ્કાર અર્પી બાળકોમાં ગુંથાઈ
માયા મમતાનાં બંધન સાથી સંગે સોહાવી
આ એજ વ્યક્તિની યાદે હું ગુમસુમ બેઠી છું
ફૂલવાડી સિંચિત થઈ કળફૂલથી ઉભરાઈ
માળી વિણ બગિયાંની હું મહેક માણું છું
આ એજ વ્યક્તિની યાદે હું સ્વપનાં જોતી છું
વણ માગ્યે જીવનમાં લહર આનંદની ઉઠી
પ્રભુ તારી દયાની હું કરૂણાને યાચું છું
આ એજ વ્યક્તિની યાદે જીવનને પાવન માનું છું