જીંદગીમાં પાત્ર કાચનું મળે કે સુવર્ણનું તેનો અફસોસ ન કરવો.
તમારું પાત્ર પોકળ સાબિત ન થાય તેનો હરહંમેશ ખ્યાલ રહે
તે અત્યંત આવશ્યક છે.
કાચનું પાત્ર ફૂટી જવાનો ભય સતાવશે. સુવર્ણનું પાત્ર
ચોરાઈ જવાનો ડર શાંતિની નિંદ્રા પણ નહીં લેવા દે. જો
તમે પોકળ યા તકલાદી નહીં હો તો આ જગે તમે સફળ
પૂરવાર થશો.જીવનમાં સંયમ, વૃત્તિઓ પર લગામ અને
જિહ્યાગ્રે સરસ્વતિનો વાસ જારી રાખશો.
પાત્રતા કેળવવામાં અને સાચવી રાખવામાં તે ખૂબજ
મહત્વનો ભાગ ભજવે છે.સફળતા પ્રાપ્ત કરવાની ચાવી
આપણાં જ હાથમાં છે. સફળતા તમારા ચરણ ચૂમશે.
ઈશ્વરને દોષ દેવો, સંજોગોનું આવલંબન લઈ હાર
કબૂલવી એ વિરલાનાં કામ નથી. આપણે પોતે શુભ
કરવાને શક્તિમાન છીએ.જીવનમાં આંધિ યા શાંતિ
આપણાપર આધારિત છે.
પાત્ર
January 24th, 2007 by pravinash Leave a reply »
Advertisement