વેદ શાકાજે-

April 6th, 2008 by pravinash No comments »

                                    

               images9.jpg 
       વેદાંતનો  અભ્યાસ  ચારિત્રનુ  ઘડતર કરે છે. સ્વને કેન્દ્રમાં  રાખીને  કરેલા  કાર્યનુ
    પરિણામ  એટલે  દુ;ખ  અને  ચીંતા. વેદાંત  ભય સ્થાનોથી  સાવચેત  કરી  બુધ્ધિને
    યોગ્ય  માર્ગદર્શન  પૂરું  પાડે  છે. પ્રાણીમાત્ર  પર પ્રેમ તેઓ  અર્થ એ તો નહી કે સાપ
    અને કૂતરાને સરખો પ્યાર. કૂતરાને  ઘરમા  રાખિ શકાય  સાપને  નહી. વેદમા  ખૂબ
    સરસ  ઉદાહરણ છે. એક  સાપ ઋષિને  પ્રવચનથી  પ્રભાવિત  થયો. તેણે  લોકોને
    ડસવાનું  છોડી  દીધું. ઋષિતો ચલતા ભલા. એકાદ  મહિના પછી  ગામમા  પાછા
    આવ્યા તો  સાપ  મરણતોલ  દશામા. ઋષિને  નવાઈ  લાગી  સાપને  પ્રેમપૂર્વક
     ખોળામા  લઈ  બધી  વાત  પૂછી. સાપે  પોતાનો  સંકલ્પ  જણાવ્યો. ઋષિને ઘણું
     દુઃખ  થયું કહે’ મેં ઉપદેશમાં  કોઈને  દર્દ યા દુઃખ પહોંચાડવાની  મના  કરી  હતી.
     કિંતુ  જો તને  માનવીએ   લાકડીથી  પ્રહાર કરી  તારા  આવા  હાલ  કર્યા તો  તારે
     ફુંફાડૉતો  મારવો  જોઈએ.  તારા ફુંફાડાથી  માનવ સો ગજ  દૂર  ભાગી  જાત.
    

           આ છે  વેદાંતના  અભ્યાસની  સફળતા.  માનવને  વિવેકબુધ્ધિનો  ઉપયોગ કરી
      સાચો  જીવનનો  રાહ  દર્શાવવો. પોતાના  અજ્ઞાનપ્રત્યે  સદા  સચેત  રહેવું. વેદાંત
     નો  અભ્યાસ આશા  અને  નિરાશાની  વચ્ચે  ઝોલા  ખાતા  માનવીને સમતાપૂર્વક દોરી
     શાંતિનુ  પ્રદાન  કરે  છે. મહાવિદ્યાલયની  ઉપાધિ  જાણકારી  પૂરી  પાડે  છે. વેદાંતનો
     અભ્યાસ તેને  સરળ  બનાવી  જીવન  જીવવાની  દિશા દર્શાવે છે. જેમ  સ્વાસ્થય  માટે
     વ્યાયામ  આવશ્યક  છે તેમ  જીવનને  સાચા  અર્થમા  જીવવા  માટે  વેદનો  અભ્યાસ.
     તેનું  પરિણામ  તાત્કાલિક  નથી.પણ  તેની  પ્રતિભા  લાંબાગાળે  આપોઆપ પ્રગટ
     થાય  છે. તેનાથી  થતી  આંતરિક  વૃધ્ધિ  માનવને દૃઢ  વિશ્વાસ  આપી  મજબૂત
     બનાવી  ધર્મ  શીખવે છે.
               ધારયતે  ઇતિ  ધર્મ. ધર્મદ્વારા  માનવ  સતત  આનંદને  પામી  ઉન્નત જીવન
     જીવવાની  આકાંક્ષા  સેવે છે. માનવ  શરીર એટલે આત્મા  અને પાર્થિવ દેહનું  મિલન.
     શરીરની  સંગે સુખ,  દુ;ખ, ભૌતિકતા , સંકળાયેલા  છે. જ્યારે  આત્મા એ શક્તિ અને
     આનંદમય  છે. ભૌતિકતામા  અટવાયેલ  માનવ માર્ગ ભૂલીને  જનમ  મરણમા  અટવાઈ
     માનવ ફેરો  નિર્થક  બનાવે  છે.  માનવના  ત્રણ  સ્વભાવ  છે. સાત્વિક,  રાજસિક
     અને  તામસીક . પાંચ  પ્રકારના  કર્મમા  તે  પ્રવૃત્ત  રહે  છે. કર્મ, જ્ઞાન,  કાર્ય,
     કર્તા  અને બુધ્ધિ.
          જેમ  વિજળીના  ગોળામા  વિજળી ન હોય તો કશી જ શક્તિ નથી. તેની  કશી કિમત
      નથી  તેમ  આ  માનવ દેહમાંથી  જો  આત્મા નિસરે  તો આ  ખાલી  ખોખાની શી  વિસાત?
     માનવની  ઈચ્છા અને કાર્યથી  વાસના  ઉદભવે. શારિરીક , આંતરીક, બૌધ્ધિક અને
     લાગણીથી  માનવની પ્રતિભા  તૈયાર  થાય. તેમા  કોનું પ્રાધાન્ય  છે  તે માનવને  ઘડે છે.
     આત્મા  સર્વ વ્યાપક, શુધ્ધ અને  શાશ્વત  છે. તે  સ્વાર્થવિહીન  છે. માનવની  અંદરની
      ભાવના  તેને  યોગ્ય  માર્ગદર્શન  પૂરુ  પાડે  છે,
              તે  પંચકોષનો  બનેલો  છે. અન્નમયકોષ, પ્રાણમયકોષ, મનોમયકોષ,વિજ્ઞાન-
      મયકોષ  અને  આનંદમય કોષ. તેની  ત્રણ  અવસ્થા  છે. જાગૃત  અવસ્થા, સ્વપ્ન
      અવસ્થા  અને  સુષુપ્તિ  અવસ્થા. કિંતુ  આત્માનું  રૂપ  છે  સત્ ,ચિત અને આનંદ.

               વધુ———–

વેદ શાકાજે————

April 6th, 2008 by pravinash No comments »

           

                               images9.jpg
       કર્મ  અનિવાર્ય  છે. કર્મ  કરવું એ  દરેક  માનવનો  સ્વભાવ છે. જીવનનું એ
      અવિભાજ્ય  અંગ છે. કર્મ  હરએક  માનવનું  સ્વતંત્ર છે. કર્મનું  ફળ એ કુદરતનો
       નિયમ  છે. જલ્દી કરવું, ચીંતા  કરવી એ દુષણ  સમાજમા  ફેલાયેલું  છે. માનવ
      ધર્મ અને  વેદાંતનો  અભ્યાસ  જીવનના  સંધ્યાકાળે  શરૂ  કરે  છે. ખૂબ  આશ્ચર્યજનક
      છે.વેદાંત  સમજાવવામા  સફળ થયું છે. જીવનનું  સાચું  કાર્ય,સાચી  સમજ,ફરજ
      છતાંય  આપણે  આળસને  અપનાવી  અણમોલ  જીવન  વેડફી  રહ્યા છીએ.

               મન  પરોવીને  કરેલું  કાર્ય  સાચા  નિશાન  તાકી  સફળતા અપાવે  છે.
     જીવનનું  ધ્યેય  હોવુ  જોઈએ  કાર્યની  ઉત્સુક્તા નહી કે  સફળતા યા  પરિણામ.
     જવઆદારી  અને ફરજ એ કાર્યના  પ્રકાર  છે. તેમા  ભૂલચૂકને  સ્થાન  નથી.
     ભૂતકાળનું કાર્ય  આજની  વાસના  બને  છે. વાસના  ભવિષ્યકાળમા  ફેરવાય
      છે. વાસના  કારણ છે, કાર્ય  અસર છે. વાસનાથી  ઉપર ઉઠીને  માનવ યાતો
      પ્રગતિ  સાધે છે.યા  ગળાડૂબ  વાસનામાં  ડૂબી નીચે ને નીચે  સરતો જાય છે.
  

       
           ગમો અણગમો  માનવીને  પાયમાલ  કરવા માટે  પૂરતા  છે. લાગણીથી યા
       હ્રદયને  કેન્દ્રમાં  રાખી  કરેલા કાર્ય  ધાર્યા  પરિણામ  લાવવા માટે  સફળ  થતા
       નથી.કોઈ  પણ  કરેલા  કાર્યના બેજ  પરિણામ  હોઈ  શકે, સારુ  યા બૂરુ.વેદના
       અભ્યાસમા  ક્યાંય નથી  કહ્યુંકે  સંસાર  છોડો. હા, આસક્તિ નો ઉલ્લેખ અવશ્ય
      છે. હિમાલયમા જાવ કે  સન્યાસ  અપનાવો એમ પણ વેદાંતનો  અભ્યાસ નથી
      કહેતો. વિવેકબુધ્ધિનો ઉપયોગ, તેન પર ભાર  મૂકે  છે. સામાજીક જીવન જીવો.
     આસક્તિ ન  રાખો. સ્વાર્થવૃત્તિનો  ત્યાગ કરો. ત્યાગ  એટલે અહંનો ત્યાગ. દરેક
      કાર્યમા  “હું” પણાની  ભાવના. સત્યનુ  પાલન, અહંનું  નિઃશેષ થવું, સ્વાર્થી
      વૃત્તિને તિલાંજલી  આપવી.

          વેદાંતનો  અભ્યાસ  લાગણીના પૂરનો  સ્તંભ  તરીકે સ્વિકારે છે. નહી કે વમળ.
      લાગણીનો  અભાવ  માનવીની  સમતુલા અને  શાંતિ  છીનવે   છે. લાગણીને
      કેન્દ્રમા  રાખવાને  બદલે  તેને  પરીઘ   બનાવી  તેનું  વિસ્તરણ કુટુંબ, સમાજ,
     દેશ  અને  દુનિયા  સુધી કરી  જુઓ.આસ્તે આસ્તે નહી કે ઝડપથી. સ્વાર્થીપણું
        ત્યજી  નિસ્વાર્થ  બનવું.સ્વને બદલે  અન્યનો  વિચાર.વ્યક્તિને  બદલે સમષ્ટિ
       કાજે. પત્ની  અને  બાળકો પ્રેમ  કરતા  શિખવે  છે. માત્ર  ધીરે ધીરે વિસ્તાર
       વધારવાનો.’સાચા પ્રેમનું’ પાલન કરો. સહુનું મંગલ  ઇચ્છો. દયાળુ સ્વભાવ
       એ સાચા પ્રેમની  અભિવ્યક્તિ  છે. અહિંસા  તેનો  એક  પ્રકાર  છે. કોઇને થતી
       પીડાનો  અનુભવ  મનસા  વાચા,  કર્મણા————

     વધુ   કાલે———–         

વેદ શામાટે————–

April 6th, 2008 by pravinash No comments »

           

                                                 images9.jpg

                  જીવન એટલે અનુભવની  હારમાળા. વેદનો  અભ્યાસ  આધ્યાત્મિક

     અને  ભૌતિક  બંને  ભૂખ  સંતોષે  છે. આંતરિક  શાંતિ  બક્ષે  છે અને  સમૃધ્ધિના

      શિખરે  બેસાડે  છે. વેદાંત  આપણું  બંધારણ  સમજાવે  છે. શાંતિ  અને  સુખની

      પ્રાપ્તિ  દ્વારા  આનંદના  અમૃતનુમ  પાન કરાવે  છે. ભૂત, વર્તમાન  અને  ભવિષ્ય

      કેમ  જીવાય  તેની પધ્ધતિસરની  જાણ  કરાવે  છે. મનુષ્ય  એટલે આત્મા  અને

       પાર્થિવ  દેહનુ  મિલન  સ્થાન. આત્મા એટલે ,મન, બુધ્ધિ અને અહંકારનો  અદૃશ્ય

        ત્રિવેણી  સંગમ. વિજળીના  પ્રવાહની  જેમ અદૃશ્ય  કિંતુ  સર્વત્ર  વરતાય. ત્રણેનુ

         મિલન  સ્થળ  દેહ. તેના  વગર દેહની  કશીજ  કિંમત  નહી. જીંદગી  એના મિલન

         દ્વારા  અનુભવોની  શાળ  પર  વણાતું વણાટકામ. લાગણીથી  ભરપૂર  હૃદય, પાંચ

         જ્ઞાનેન્દ્રિય  અને  પાંચ  કર્મેન્દ્રિય  દ્વારા  સંચાલિત  આ  મધુરુ  જીવન.

          

             વેદાંત  આ ખૂબ  સુંદર  રીતે  સમજાવવા  સમર્થ  છે. સમગ્ર  માનવજીવન

        વૈવિધ્યપૂર્ણ  છે. તેનું  હરએક  પાસુ નવિનતમ  છે.કોઈ  ઉચ્ચ નથી,  કોઈ

        નીચુ  નથી. સર્વ  સમાન  છે. દરેક  વ્યક્તિ  પોતાના  કર્મ  અનુસાર  જીવન

         જીવે  છે.  જન્મ તેનું મૃત્યુ  નિશ્ચિત છે. દુનિયાનો  ક્રમ  છે  “બદલાવુ.” તે

          ક્રમ  અનાદિ  કાળથી  ચાલતો  અવ્યો  છે. તેમા  મીનીમેખ કરવા  ખુદ ઇશ્વર

          પણ  શક્તિમાન  નથી. સુખ  પછી દુખ, અમાસ  પછી  પૂનમ અને ભરતી

         પછી  ઓટ. દરેક  આવી  મળતી  પરિસ્થિતીમાંથી  પસાર  થઈ  આગે  બઢો.

         જ્ઞાન  દ્વારા  સંજોગોમા  પરિવર્તન  લાવી પ્રગતિ  સાધો.આનંદના  અધિકારી  
          બનો.  આખી  દુનિયા  લડાઈ  ઝઘડામા પ્રવૃત્ત છે. તેનુ  મુખ્ય  કારણ છે
      
             આધ્યાત્મિકતાનો  અભાવ.  અજ્ઞાન  છતાં  જ્ઞાની  હોવાનો  દંભ. આસક્તિ

          તેનું  પ્રમુખ  કારણ  છે.  સત્યને બુધ્ધિનો  આંચળો  ઓઢાડ્યો  છે. જો  ઘેટું

          વાઘનું  ચામડું  પહેરી  વાઘના  ટોળામા  જાય  તો  કેટલીવાર  નિશ્ચિંત  ફરી

          શકે? તમસ , રજસ  અને  સાત્વિક ગુણોનુ  એકબીજામા  પરિવર્તન આસાન

          છે.સ્વની  ઓળખ  પ્રયત્ન દ્વારા  આસાન  છે.કોઈ કાંટાની  વાડ  તેને બાંધી

            ન  શકે. આજનો  સમાજ  સ્વતંત્ર  છે. મરજી પ્રમાણે  જીવે  છે. સત્ય

           જીવનમા  આવશ્યક છે. વેદાંત  ઉપરનું  વાંચન ,મનન અને અંતે  અમલ

           એ  સુખ , શાંતિ  અને  આનંદની  અવધિમા સ્નાન કરાવવા  શક્તિમાન

          છે. જો  સ્વમા શાંતિ  હશે  તોજ  દુનિયામા  તેનો  ફેલાવો  સરળતાથી

          થશે. વેદાંતને જીવનમા  ઉતારો.  સત્યાતા  સભર  જીંદગી  જીવો. જુઓ

           શાંતિ  અને  આનંદનુ  સામ્રાજ્ય  જણાશે.

           

           વધુ————–     

why Veda

March 29th, 2008 by pravinash No comments »

                                              images9.jpg

      મિત્રો,  તમારો  ખૂબ  ખૂબ  આભાર. આશા  રાખું કે  તમને  નિરાશ ન  કરું.   બને  ત્યાં  સુધી  ‘હું ‘ શબ્દનો  પ્રયોગ  અનુકુળ  નથી  લાગતો. હંમેશ  મને
    નરસિંહ  મહેતા  યાદ  આવે છે.
    
        ” હું  કરું  હું  કરું  એ જ અજ્ઞાનતા
              શકટ નો  ભાર  જેમ  શ્વાન  તાણે.”.
   
      યાદ  હશે  હોકાયંત્રની  મદદથી  નાવિક  ભરદરિયામા  સાચી  દિશામાં  નાવ હંકારી  જાય  છે. બસ  આ  કામ  વેદના  અભ્યાસથી  સાધ્ય  બને છે. આનંદની ભાવના  અને  શાંતિની  શોધ  વેદના અભ્યાસ  દ્વારા  સંતોષાય છે. અંતરાત્માનો અવાજ  કદી  જૂઠૉ  નથી  હોતો. અંતરાત્માને  છેતરવા  માનવ  કદી  સફળ  થયો

     નથી. હાથના  કંગનને  આરસીની  શી  જરૂર?  વેદાંત  આ  વાત  ખૂબ  સરળતાથી આપણી  સમક્ષ  રજૂ  કરે  છે. સૃષ્ટિની  ઉત્પત્તી  એ ગુઢ  રહસ્ય  છે. ભગવાન,  કુદરત , નિયંતા માનવીની  માનસિક  કલ્પના  છે. ત  સર્વે  દ્વારા  ઘણા  પ્રશ્નો  અનુત્તર  રહ્યા  છે.વેદાંત  વિજ્ઞાનના  માધ્યમ  દ્વારા  પૃથ્વી  અને  મનુષ્યની  ઉત્પત્તી  વિષેનું  રહસ્ય આપણી  સમક્ષ  ખુલ્લું  કરવા  શક્તિમાન  બન્યું  છે. અકળ  કુદરતનું  સામ્રાજ્ય તેનીજ  રચેલી  સૃષ્ટિમાં  સમાયેલુ  છે  તે વેદાંત  સિધ્ધ કરી  આપણી  સમક્ષ  રજૂ     કરે  છે.

       આ  સૃષ્ટિમાં  ખનીજ,  વનસ્પ્તિ,  પ્રાણી  અને  માનવી દરેકનું  સામ્રાજ્ય    પ્રવર્તે  છે. મનુષ્યનું  બંધારણ એ  દરેકના સમુહથી  બન્યું  છે. જીવન  દરમ્યાન માનવી  અવનવા  અનુભવોમાંથી  ગુજરે  છે. સારા  કે  નરસા  એ  દરેક  વ્યક્તિ પર  આધારિત  છે. આત્મા  અને  પાર્થિવ  દેહના  સંગથી  માનવ  બને  છે. વેદાંત આ  સમન્વયને  સફળ  બનાવવાનો  સાચો  અને  સચોટ  માર્ગ  દર્શાવે  છે. દરેક વ્યક્તિ  ભિન્ન  છે. જ્યાં  છે  તે તેના  માટે  શ્રેષ્ઠ  સ્થાન  છે. તેમા  બે  મત  નથી.   કોઈ  કોઈની  જગ્યા  ન  લઈ  શકે.

         ( હસવાની  રજા  છે.  ઘણી  વ્યક્તિઓ  સામાન્ય રીતે  માનતી હોય  છે કે  મારા     જેવું  કોઈ  નથી! કિંતુ  યાદ  રાખવું  જરૂરી  છે કે  કુદરત  એક  જેવું  બીજું  બનાવવામા માનતી  નથી. બે આંગળી, જોડિયા  બચ્ચા, બે  ફળની  મિઠાશ યે  બે  હાથ  કશું  કદી  સરખું  ભાળ્યું  છે?)

         આજ  માટે  આટલું બસ. વિચાર  કરવો  અતિ  આવશ્યક  છે.
    કાલે  મળીશું!

   

why study Veda

March 27th, 2008 by pravinash No comments »
  •         images9.jpg
  •   તેના  અભ્યાસથી  અંતરમા  શાંતિ  અને  આનંદ  પ્રવર્તે  છે.
  • વેદાંતના  પઠનથી     જીવન  જીવવાની  કળા  પ્રાપ્ત  થાય છે.
  • વેદનો  અભ્યાસ  સફળતા  અને  પ્રગતિને પંથે  પ્રયાણ  કરાવે  છે.
  • એ  બંનેના  સમન્વયથી  આપણી  ભૌતિક  અને  આધ્યાત્મિક ભૂખ  સંતોષાય  છે. 
  • વેદાંતનો  અભ્યાસ  એટલે  પધ્ધતિસર  જીવન  જીવવાનો  સફળ  પ્રયાસ.
  • “હું”  કોણ?  એ પ્રશ્નનો  ઉત્તર  વેદાંત આપે  છે.
  • વેદે તેની  છણાવટ કરી  આપણી  સમક્ષ પૂરાવા  સાથે  દર્શાવ્યું  છે. સુખ , શાંતિ  અને  આનંદના  ત્રિવેણી  સંગમમા  વેદ આપણને  સ્નાન  કરાવી  શુધ્ધ  બનાવે   છે.
  • વેદ  વિચારોને  પ્રેરે  છે.
  • પોતાની જાતનું  પૃથક્કરણ  કરી  તેને  જાણવી  અને શુધ્ધ  કરવામા  વેદનો  અભ્યાસ સહાય કરે  છે. વેદ  વૈજ્ઞાનિક  પધ્ધતિથી  આપણને ધર્મ   વિષે  ઉંડુ  જ્ઞાન  આપે  છે. 
  • ‘વેદ’ની  સાર્થકતા  ખુદ   વેદ  છે. વેદનો  અભ્યાસ  જીવન  જીવવા  માટે  અતિ આવશ્યક  છે.
  •  વેદ  અને  શાસ્ત્રનો  ઉંડો  અભ્યાસ  કદાચ  કંટાળા જનક  લાગે.  કિંતુ  વેદનો    સારાંશ  ‘વેદાંત’  સંક્ષિપ્તમાં  ખૂબ  ચીવટથી  આપણને  સમજાવવામા  સફળ થયું છે.
  • ઝીણવટપૂર્વકનું  તેનું  અવલોકન  જીવન  જીવવાનો  રાહ  બતાવે  છે. વિચાર    કરવો, પણ  કઈ  રીતે , કઈ  દિશામા  તે માર્ગદર્શન  વેદાંત  પૂરુ  પાડે  છે. એ એક  કળા છે. પાયા  વગરના  ઉપદેશ  અને  સિધ્ધાંતો  પામેલ  માનવી  દિશા ભૂલી  જ્યાં  ત્યાં  ગોથા ખાય છે.

     આજે  આટલું  બસ. 
    તમારા અભિપ્રાય  મોકલશો. 
     હવે પછી કાલે  મળીશું———-
      

જીંદગી તારા ઝૂઝવા રૂપ

March 25th, 2008 by pravinash No comments »

રોશનબાનુ ખૂબ નસિબદાર હતા કે તેમને ઝરીના જેવી સોજ્જી વહુ
મળી હતી. અદી તેમનો એકનો એક દિકરો તેથી રોશનબાનુ અને ફારુખ
દિકરા વહુની સાથે રહેતા. ઝરીના બને સમયની રસોઈ બનાવી ને તેમને
જમાડતી પણ સવારના ચહાપાણી રોશનબાનુ અને ફારુખ પોતાની મનપસંદનો
ખાતા. તેમને સરસ મઝાની ગાડી પણ હતી. બને જણા સાથે કસરત કરવા
જતા. દર બુધવારે બ્રીજ રમવા જતા. કોલોરાડોમા રહેતા અને ઝરીના
મારી કોલેજના સમયની બહેનપણી હતી. અમે સહકુટુંબ સ્કી કરવા જઈએ
ત્યારે ભલે સ્કી રિસોર્ટમા રહીએ પણ એક સાંજ કાયમ સાથે ગુજારીએ એવો
એક ધારો પડી ગયો હતો.

જો કદાચ ઝરીના મુંબઈ ગઈ હોય કે છોકરાઓને મળવા તેમની કોલેજ પર
તો રોશન આંટી અમારી ખૂબ સરભરા કરતા. જરાયે પારકુ લાગવા દેતા નહી.
અરે ઝરીન નથી તો શું? હું તો છું ને. તેમનું ધાનશાક અમને સહુને ખૂબ ભાવતું.
૩૦ વર્ષના અમેરિકાના વસવાટ દરમ્યાન પાંચેક વાર આ લહાવો અમને સહુને
મળ્યો હતો. પારસીઓનું ગુજરાતી એવું મીઠું લાગે કે વાત ન પૂછો.

ગયે વર્ષે જ્યારે રોશનઆંટીને લકવો થયો સાંભળ્યું , ત્યારે મને બહુ દુખ થયુ
હતું. જ્યારે પણ ઝરીના સાથે વાત થાય ત્યાર્રે હું આંટીના સમાચાર પૂછું. હવે તો
બાળકો મોટા થઈ ગયા તેથી સ્કી કરવા આવવાનું બંધ જેવું જ થઈ ગયું. રોશન
અને અદીને જોડિયા બચ્ચા હતા. આ વર્ષે બંને સાથે ડોક્ટર થયા તેની મોટી પાર્ટી
હતી. હું અને રોશન કોલેજ સમયની સખી હતા. પાર્ટી પતી ગઈ. ખૂબ જલસો
કર્યો. રોશન આંટી અને ફારૂખ અંકલ જણાયા નહી તેથી એકાંતમાં મે ઝરીનને
પૂછ્યું અંકલ આંટી કેમ ના જણાયા. ઝરીનની આંખને ખૂણે મેં તગતગતા આંસુ
જોયા. તે કાંઈ બોલી શકી નહી. મને કહે સવારે વાત.

        અદી માબાપનો એકનો એક દિકરો હતો. તેમાંય  પાછો  ડોક્ટર. રોશનબાનુ
    અને ફારૂખ પોતાને ખૂબ  ભાગ્યશાળી  સમજતા. બાકી  અમેરિકામા કોણ સાસુ
     સસરાને  સાથે   રાખી  તેમનો ખ્યાલ  કરે? અરે, ઝરીના મેઈડ આવે તો કહેશે
     જા  પહેલા મમાનો રૂમ  સાફ  કરી  આવ. તેમના  કપડા ને બધુ સરખુ કરી
     ઘરનું  કામ  કરજે. જ્યારે રોશનબાનુ અને ફારુખ ને નર્સિંગહોમમા  મૂક્યા ત્યારે
     બધા ખૂબજ વ્યથિત હતા.પણ સંજોગો એવા હતા કે તેમની  સારવાર ઘરમા ખૂબજ
     મુશ્કેલ હતી. એક દિવસ એવો ન જતો કે  ઝરીના અને અદી તેમને મળવા ન ગયા
     હોય. અદી તો તેમને જરા પણ આનાકાની વગર મલી  આવતો. થાક શબ્દ તેણે
     શબ્દકોષમાંથી  છેંકી નાખ્યો હતો.

          આ વખતે એના બાળકોની પાર્ટીમા આવવાનું થયું. પહેલી વાર ન આંટી મળ્યા
     ન અંકલ. ઘર આમ ખાલી હતું , પણ મહેમાનોથી ઉભરાતું હતું. મહેમાનૉ ગયા પછી
     અંકલ અને આંટીને મળવા જવું એમ મનમા વિચાર્યું હતું. જેની મનોમન નોંધ ઝરીને
     લીધી હતી.

સવારે બાળકોને એરપોર્ટ પર ઉતારી મને કહે ચાલ તને મમા અને પાપાને
મળવા લઈ જાંઉ. તેમના માટે ભાવતું ખાવાનું સવારે વહેલા ઉઠીને ઝરીને બનાવી
ટિફિન ગાડીમા મૂકી દીધું હતું. ગાડી નર્સિંગ હોમ પાસે આવીને ઉભી રહી. મને તો
બોલવાના હોશકોશ ન હતા. ચાવી દીધેલ પૂતળાની માફક ઝરીનની પાછળ પાછળ
ચાલતી હતી. અંકલ અને આંટીના રૂમમા આવી તેમની હાલત જોઈને હું બે ડગલાં
પાછળ હટી ગઈ. ઝરીન પ્યારથી તેમની બાજુમા બેઠી બરડાપર હાથ પસવારીને
તેમના સમાચાર પૂછી રહી અને ગઈકાલનો પાર્ટીનો અહેવાલ આપી રહી. પાર્ટી
પહેલા બંને બાળકો આશિર્વાદ લેવા આવ્યા હતા. મને જોઈને તેમના મોઢા પર
ચમક આવી ઉઠી પણ હું મનોમન વિચારી રહી જીંદગી તારા————-

હસવાની મનાઈ

March 25th, 2008 by pravinash No comments »

નાનપણમા હું અને મારો ભાઈ ખૂબ ઝઘડતા. અમને
બંનેને ઉંદર બિલાડી જેવો પ્રેમ એમ મારી મમ્મી કહેતી.

કિંતુ મારો ભાઈ મને જાડી કહે તે સામે મને ખૂબ વાંધો રહેતો. જોકે
મોટા થયા અને પરણ્યા પછી તે ખૂબ વહાલું લાગતું.

એકવાર મિજબાનીમા ગયા હતા. હું તેનાથી દૂર હતી. તેણે મને
કોઈ ન સાંભળે તેમ જાડી કહીને બોલાવી.

ત્રણ જણાએ તેની સામે જોયું.————

આતમને ઓઝલમા રાખ મા

March 19th, 2008 by pravinash No comments »

જે છે પણ નરી આંખે તે દૃશ્યમાન નથી

જેની ગેરહાજરી વરતાય ત્યારે આ પાર્થિવ દેહની કશી કિંમત નથી.

જેનું અસ્તિત્વ અચલ છે.

જે શાશ્વત છે.

જે શાંતિ પૂર્ણ છે.

જે આનંદમય છે.

જે પવિત્ર છે.

જે અભય છે.

જેને પવન ઉડાડી નથી શકતો.

જેને અગ્નિ બાળી નથી શકતો.

જેને પાણી પલાળી નથી શકતું.

જે આશ્ર્ચર્યથી ભરપૂર છે.

જેનો તાગ ભલભલા મુનિઓ નથી પામી શક્યા.

જેને કળવું અશક્ય છે.

સરવૈયુ

March 17th, 2008 by pravinash No comments »

                  
૪૨ વર્ષોનો અર્ક તમારી સમક્ષ રજૂ કર્યા પછી

વિચાર આવ્યો ચાલ મન જીંદગીનું સરવૈયુ કાઢ!

સરવાળા સદવર્તનના

બાદબાકી ભૂલોની

ગુણાકાર પ્રેમનો

ભાગાકાર વેરઝેર ઈર્ષ્યાનો

આ જીંદગીની કિતાબનું સરવૈયુ કાઢજો

સરવાળાને બાદબાકી યોગ્ય સ્થળે માંડજો

ગુણાકારને ભાગાકાર દ્વારા સુલઝાવજો

આ જીંદગીની—–

બાળપણની પ્રિતડીને યુવાનીનુ ગાંડપણ

પ્રૌઢાવસ્થામા તેનું કરજો નિરાકરણ

આ જીંદગી ———
સરવાળ————-
ગુણકાર————-

કર્યા કર્મો પસ્તાવાને ઝરણે વહાવજો

નીતિમય કાર્ય દ્વારા જીવન દીપાવજો

આ જિંદગી———
સરવાળા——–
ગુણાકાર——

કર્યું કશુ છુપતુ નથી ચિત્રગુપ્તને ચોપડે

માહ્યલો સદાયે મુમ્ગો રહીને સાક્ષી ભરે

આ જીંદગી——–

સરવાલા—–

ગુણાકાર્——-

આવાગમન જીંદગીનો અસ્ખલિત પ્રવાહ છે

જીંદગીની ભવ્યતામા મૃત્યુ ચીરવિદાય છે

આ જીંદગીની—————–

સરવાળા—————-

બાદબાકી———————

શું અપનાવશો?

March 12th, 2008 by pravinash No comments »

      જે   આદરના  અધિકારી  છે.                                         માતા પિતા

       જેને  આદરની  પરવા  નથી.                                        કૂતરા- બિલાડા
 
       જે  હરપળે  વિંધાય  છે.                                             હ્રદય

       જેને  વિંધવું  શક્ય  નથી.                                           શબ

       જે  આવે  છે  તે જવા  માટે.                                        યુવાની

       જે   જાય છે  આહિસ્તા  આહિસ્તા.                                  ઘડપણ

       જે  શરીરનું  આભૂષણ  છે.                                         મૌન

        જે  ઘણીવાર   વ્યર્થ  છે.                                           વાણી

        જેના  પર સંયમ  આવશ્યક  છે.                                    જીભ

        જે  સ્વતંત્ર અને  દૃઢ  છે.                                           સદવિચાર

        જે  કાપવા  જેવું છે  તે  વધારે  છે.                                 નખ

        જે  વધારવું  જોઈએ તે  કાપે  છે.                                    વાળ

        જે  સહુથી  ઊંચી  છે.                                                 પ્રેમ સગાઈ

        જે  જગમાં  નીંદનીય  છે.                                            તિરસ્કાર

         જે  કાજલ  કરતાં  કાળું  છે.                                          કલંક

         જે  પાણી  કરતાં  પતળું  છે.                                         જ્ઞાન

        જે  શસ્ત્ર  કરતાં  પણ  કાતિલ  છે.                                    કટુવાણી

        જે   મલમ  કરતાં  મુલાયમ  છે.                                      મધુર  શબ્દ

         જે  ભૂમિથી  ભારી  છે.                                                 ક્રોધ

          જે  સહુને  આકર્ષે  છે.                                                સ્મિત

         જે  કરવાથી  બંને  પક્ષ પાપના ભાગીદાર છે.                         નિંદા

         જે  બંને  પક્ષ  માટે  લાભદાયી  છે.                                   પ્રશંશા

          જેનાથી    હાથ  શોભે  છે.                                             દાન

          જે  હરહંમેશ  આવકાર્ય  છે.                                            પ્રેમ

          જેની  પ્રેમ  નિતરતી  આંખો  છે,                                      માતા

          જે  મૌન દ્વારા  પ્રેમ રેલાવે  છે.                                        પિતા

          જે  નિરંતર   સ્મરણીય  છે.                                           પ્રભુનામ

        
         જે  હંમેશ  કરવો  આવશ્યક  છે.                                         સત્સંગ
  

                                          “૪૨” વર્ષોનો અર્ક

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.