why study Veda

March 27th, 2008 by pravinash Leave a reply »
  •         images9.jpg
  •   તેના  અભ્યાસથી  અંતરમા  શાંતિ  અને  આનંદ  પ્રવર્તે  છે.
  • વેદાંતના  પઠનથી     જીવન  જીવવાની  કળા  પ્રાપ્ત  થાય છે.
  • વેદનો  અભ્યાસ  સફળતા  અને  પ્રગતિને પંથે  પ્રયાણ  કરાવે  છે.
  • એ  બંનેના  સમન્વયથી  આપણી  ભૌતિક  અને  આધ્યાત્મિક ભૂખ  સંતોષાય  છે. 
  • વેદાંતનો  અભ્યાસ  એટલે  પધ્ધતિસર  જીવન  જીવવાનો  સફળ  પ્રયાસ.
  • “હું”  કોણ?  એ પ્રશ્નનો  ઉત્તર  વેદાંત આપે  છે.
  • વેદે તેની  છણાવટ કરી  આપણી  સમક્ષ પૂરાવા  સાથે  દર્શાવ્યું  છે. સુખ , શાંતિ  અને  આનંદના  ત્રિવેણી  સંગમમા  વેદ આપણને  સ્નાન  કરાવી  શુધ્ધ  બનાવે   છે.
  • વેદ  વિચારોને  પ્રેરે  છે.
  • પોતાની જાતનું  પૃથક્કરણ  કરી  તેને  જાણવી  અને શુધ્ધ  કરવામા  વેદનો  અભ્યાસ સહાય કરે  છે. વેદ  વૈજ્ઞાનિક  પધ્ધતિથી  આપણને ધર્મ   વિષે  ઉંડુ  જ્ઞાન  આપે  છે. 
  • ‘વેદ’ની  સાર્થકતા  ખુદ   વેદ  છે. વેદનો  અભ્યાસ  જીવન  જીવવા  માટે  અતિ આવશ્યક  છે.
  •  વેદ  અને  શાસ્ત્રનો  ઉંડો  અભ્યાસ  કદાચ  કંટાળા જનક  લાગે.  કિંતુ  વેદનો    સારાંશ  ‘વેદાંત’  સંક્ષિપ્તમાં  ખૂબ  ચીવટથી  આપણને  સમજાવવામા  સફળ થયું છે.
  • ઝીણવટપૂર્વકનું  તેનું  અવલોકન  જીવન  જીવવાનો  રાહ  બતાવે  છે. વિચાર    કરવો, પણ  કઈ  રીતે , કઈ  દિશામા  તે માર્ગદર્શન  વેદાંત  પૂરુ  પાડે  છે. એ એક  કળા છે. પાયા  વગરના  ઉપદેશ  અને  સિધ્ધાંતો  પામેલ  માનવી  દિશા ભૂલી  જ્યાં  ત્યાં  ગોથા ખાય છે.

     આજે  આટલું  બસ. 
    તમારા અભિપ્રાય  મોકલશો. 
     હવે પછી કાલે  મળીશું———-
      

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.