મુખ્ય ચાર વેદ છે. ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદ. જાગ્રત અવસ્થા, સ્વપ્નાવસ્થા અને સુષુપ્તિ એ સર્વેમા
આત્મા શુધ્ધ છે. સ્થૂળ શરીર વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણેયમા સમાન છે.જે પવિત્ર છે. ત્રણે અવસ્થા ખુદ તેનૉ અર્થ સમજાવે
છે. દરેકની વ્યવથા સતત છે. તો પ્રશ્ન થાય હકિકત શું છે. જે સ્વને ઓળખ્યા પછી પ્રાપ્ત થાય છે. તેછે તુર્ય અવસ્થા. અતિ કઠીન
છે. જ્યાં શરીર , લાગણીકે બુધ્ધિ દ્વારા પહોંચવું મુશ્કેલ છે. તુર્ય અવસ્થા આનંદમય છે. અનંત આનંદમય.
ચાર પ્રકારે તેનુમ જ્ઞાન પ્રાપ્ત થાય. ૧. પ્રત્યક્ષ ૨. અનુમાન યા અભિપ્રાય ૩. ઉપમાન ૪. આગમ. પોતાને વિશે
જ્ઞાન પ્રત્યક્ષ મળવું મુશ્કેલ છે. કિંતુ અનુમાન અને ઉપમાન દ્વારા યા સરખામણી અને વ્ય્વહાર દ્વારા તે જ્ઞાન પ્રાપ્ત થાય. રિવાજો
મારફત તેની થોડી ઘણી જાણકારી મળી શકે. માનવ પોતાની આંતરિક શક્તિ અને કોઠા સૂઝ દ્વારા ઘણું પ્રાપ્ત કરી શકે છે. રિતીરિવાજો
ન વમળમા સપડાયેલ માનવ રોજબરોજની જીંદગી આસાનીથી જીવી શકે છે. કિંતુ જીવામા કંઈક કરી છૂટવા મરજીવા બનવું જરૂરી છે.
કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ દ્વારા માનવ વાસના પર વિજય પ્રાપ્ત કરી પ્રભુને મેળવવા શક્તિમન અની શકે છે. વેદાંત
એવા પૂરાવાથી ભરેલું છે. તેના અભ્યાસ દ્વારા પ્રભુમા થવાની ક્ષમતા માનવ ધરાવી શકે છે. યોગ અને સાધના દ્વારા માનવ વાસનાની
નાબૂદી અહ્ંનું વિલિનીકરણ કરવા સમર્થ બને છે. ભગવદ ગીતા આપણી સમક્ષ ત્રણ રાસ્તા ખોલી રાહ દર્શાવે છે. અંધશ્રધ્ધા અને
માન્યતા ને સહારે પાંગરેલી ભક્તિ પાંગળી છે. ‘ભક્તિ એટલે ભીતિ નહી’. ભક્તિ અંતરમાંથી ઉદભવે. બક્તિનું ઝરણું પવિત્ર હોય.
ભક્તિમા આસક્તિ ન હોય. ગીતા નો બારમો અભ્યાય ભક્તના લશણ ખૂબ સુંદર રીતે વર્ણવે છે. ભક્તિનું પ્રથમ ચરન છે ‘ભગવાનમા’
અટૂટ શ્રધ્ધા. આત્મ સમર્પણની ભાવના. માનવ અજ્ઞાનથી ભરપૂર છે. સ્વાર્થવૃત્તિથી ભરપૂર ભક્તિ મલિન છે. પવિત્ર, નિ;સ્વાર્થ અને
દૈવી શક્તિથી અરેલી ભક્તિ પવિત્ર છે. સત્ય અને અસત્ય વચ્ચે ઝોલા ખાતો માનવી , અજ્ઞાનથી બરપૂર માનવ જ્ઞાનના અગ્નિમા
બાળી ભક્તિ ને પાવન બનાવે છે.
વિવેકપૂરક બુધ્ધિ દ્વારા મેળવેલુમ જ્ઞાન. સતત બદલાતી જતી દુનિયામા રહેતો માનવ. વિવેકપૂર્ણ નિયમોનુ પાલન. સાચા ય
ખોટા માર્ગ વચ્ચેઓ ભેદ. ઉત્સાહ પૂર્વકનું કાર્ય. ચીંતા અને ઉદ્વેગ વગરનું કાર્ય. નિઃસ્વાર્થ કાર્ય. વેદાંતનો અબ્યાસ આ બધું સરળતા
પૂર્વક સમજાવે છે.
વધુ—————
Archive for April 6th, 2008
વેદનો અભ્યાસ
April 6th, 2008વેદનો અભ્યાસ—————–
April 6th, 2008
ધર્મ શુધ્ધ અને પવિત્ર છે. ધર્મ આંતરિક છે. એ ઠાંસી ઠાંસીને
ભરેલો નથી. ધર્મ ઈચ્છા અને કાર્યનું પ્રેરક બળ છે. સ્વ પ્રત્યેનું અજ્ઞાન
દુઃખ અને પરેશાની ઉત્પન્ન કરે છે. હ્રદયમા નજરને ઠેરવો, અજ્ઞાનના વાદળ
હટી જશે અને આનંદની અનુભૂતિ થશે. આજનો કહેવાતો “ધર્મ” સમગ્ર
માનવ જાતને અવળે રસ્તે દોરી રહ્યો છે. એનું પરિણામ આપણે સર્વે જોઈ
રહ્યા છીએ અને ભોગવી રહ્યા છીએ. ધર્મ ને ખરા અર્થમા જાણો, પહેચાનો
અને અમલમા મુકો. આપણી નિઃસ્વાર્થ ચિત્તવૃત્તિની એરણ ઉપર તેને કસી
તેને સાત્વિક બનાવી અનુસરો.
કહેવાતા ધર્મગુરૂઓની પ્રતિભા, કથા કરવાની શૈલીનો તેમા ભળસેળ ન
કરો. પુસ્તકો, ગ્રંથોના અભ્યાસ દ્વારા અંતરની આરસીના ડાઘ દૂર કરો. સ્ત્યનું
પાલન અને સ્વાર્થવૃત્તિનો ત્યાગ એ ધર્મના અમૂલ્ય સંદેશને બધિર કર્ણપટે સંગીત
સમ ગુંજવા દો. તેના સત્યને આચરણમા ઉતારો. કોઈ પણ જાતના વિચારોની
મલિનતા તેને ન સ્પર્શે તેની સંભાળ લો. વહેમને મિલાવી તેને કદરૂપતા ન
અર્પો. ધર્મ પવિત્ર, શાંત , આનંદમય અને અનંત છે. ઈશ્વર સર્વત્ર છે.
સર્વવ્યાપિ છે. સર્વમા એક સરખો છે. અવર્ણનીય છે. અનંત છે. આત્મા,
પરમાત્માનો અંશ છે. આત્મન એ જ બ્રહ્મન છે.આપણે દાવા સાથે બીજાને
જાણીએ છીએ તે કહી શકીએ કેવી રીતે ?જ્યાં આપણે ખુદ સ્વને પણ
જાણવા શક્તિમાન નથી. કોઇની પણ ત્રુટિઓ શોધતા પહેલા સ્વની ત્રુટિ
પ્રત્યે જાગૃતતા કેળવો. કાળા ચશ્મા પહેરીને જગને નિરખશું તો આખું
જગ કાળું વરતાશે.નરી આંખે કોઈપણ જાતના પક્ષપાત વગર નિહાળો.
સૃષ્ટિ સૌંદર્યથી ભરપૂર જણાશે. કુદરતની કરામત નિહાળતા, તેના રસ
પ્રત્યે પ્રેમ છલકાશે.
હર હંમેશ બહાર સુખને ખૉળવા મથતો માનવ કદી બે પળ હ્રદયમા
નજર ઠેરવે તો સુખ અને શાંતિ પ્રાપ્ત કરવામા સફળતાને વરશે. સ્વની
બુધ્ધિ અને દિમાગ ચકાસો.સત્યને વળગી રહો. આધ્યાત્મિક વાચનની
આદત કેળવો. ધર્મના પુસ્તકનો નિયમિત અભ્યાસ. કોઈ પણ ધર્મનું
પુસ્તક ખોટામાર્ગે જવાનું શિક્ષણ નથી આપતું.મર્કટ મનવાળો માનવ
તેના ઉંધા અર્થ તારવી દુનિયામા અશાંતિ અને હિંસા ફેલાવે છે.
કોઈ પણ ધર્મ જોરજુલમ અને કત્લેઆમને પ્રોત્સાહિત કરતો નથી.
પછી તે હિંદુ, મુસ્લિમ, જૈન , શીખ કે ઈસાઈ હોય. સ્વનું નિરિક્ષણ
આત્માની ઓળખ આસાનીથી કરાવવા શક્તિમાન છે. સાચા ખોટાનું
જ્ઞાન પ્રાપ્ત થશે.
સ્વ પ્રત્યેની જાગૃતિ આમા સફળતા અર્પશે. જાગૃત અવસ્થાના ત્રણ
પ્રકાર વેદમા દર્શાવ્યા છે. જાગૃત અવસ્થા. સ્વપ્ન અવસ્થા, સુષુપ્ત
અવસ્થા.
વધુ——————
વેદ શાકાજે-
April 6th, 2008
વેદાંતનો અભ્યાસ ચારિત્રનુ ઘડતર કરે છે. સ્વને કેન્દ્રમાં રાખીને કરેલા કાર્યનુ
પરિણામ એટલે દુ;ખ અને ચીંતા. વેદાંત ભય સ્થાનોથી સાવચેત કરી બુધ્ધિને
યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. પ્રાણીમાત્ર પર પ્રેમ તેઓ અર્થ એ તો નહી કે સાપ
અને કૂતરાને સરખો પ્યાર. કૂતરાને ઘરમા રાખિ શકાય સાપને નહી. વેદમા ખૂબ
સરસ ઉદાહરણ છે. એક સાપ ઋષિને પ્રવચનથી પ્રભાવિત થયો. તેણે લોકોને
ડસવાનું છોડી દીધું. ઋષિતો ચલતા ભલા. એકાદ મહિના પછી ગામમા પાછા
આવ્યા તો સાપ મરણતોલ દશામા. ઋષિને નવાઈ લાગી સાપને પ્રેમપૂર્વક
ખોળામા લઈ બધી વાત પૂછી. સાપે પોતાનો સંકલ્પ જણાવ્યો. ઋષિને ઘણું
દુઃખ થયું કહે’ મેં ઉપદેશમાં કોઈને દર્દ યા દુઃખ પહોંચાડવાની મના કરી હતી.
કિંતુ જો તને માનવીએ લાકડીથી પ્રહાર કરી તારા આવા હાલ કર્યા તો તારે
ફુંફાડૉતો મારવો જોઈએ. તારા ફુંફાડાથી માનવ સો ગજ દૂર ભાગી જાત.
આ છે વેદાંતના અભ્યાસની સફળતા. માનવને વિવેકબુધ્ધિનો ઉપયોગ કરી
સાચો જીવનનો રાહ દર્શાવવો. પોતાના અજ્ઞાનપ્રત્યે સદા સચેત રહેવું. વેદાંત
નો અભ્યાસ આશા અને નિરાશાની વચ્ચે ઝોલા ખાતા માનવીને સમતાપૂર્વક દોરી
શાંતિનુ પ્રદાન કરે છે. મહાવિદ્યાલયની ઉપાધિ જાણકારી પૂરી પાડે છે. વેદાંતનો
અભ્યાસ તેને સરળ બનાવી જીવન જીવવાની દિશા દર્શાવે છે. જેમ સ્વાસ્થય માટે
વ્યાયામ આવશ્યક છે તેમ જીવનને સાચા અર્થમા જીવવા માટે વેદનો અભ્યાસ.
તેનું પરિણામ તાત્કાલિક નથી.પણ તેની પ્રતિભા લાંબાગાળે આપોઆપ પ્રગટ
થાય છે. તેનાથી થતી આંતરિક વૃધ્ધિ માનવને દૃઢ વિશ્વાસ આપી મજબૂત
બનાવી ધર્મ શીખવે છે.
ધારયતે ઇતિ ધર્મ. ધર્મદ્વારા માનવ સતત આનંદને પામી ઉન્નત જીવન
જીવવાની આકાંક્ષા સેવે છે. માનવ શરીર એટલે આત્મા અને પાર્થિવ દેહનું મિલન.
શરીરની સંગે સુખ, દુ;ખ, ભૌતિકતા , સંકળાયેલા છે. જ્યારે આત્મા એ શક્તિ અને
આનંદમય છે. ભૌતિકતામા અટવાયેલ માનવ માર્ગ ભૂલીને જનમ મરણમા અટવાઈ
માનવ ફેરો નિર્થક બનાવે છે. માનવના ત્રણ સ્વભાવ છે. સાત્વિક, રાજસિક
અને તામસીક . પાંચ પ્રકારના કર્મમા તે પ્રવૃત્ત રહે છે. કર્મ, જ્ઞાન, કાર્ય,
કર્તા અને બુધ્ધિ.
જેમ વિજળીના ગોળામા વિજળી ન હોય તો કશી જ શક્તિ નથી. તેની કશી કિમત
નથી તેમ આ માનવ દેહમાંથી જો આત્મા નિસરે તો આ ખાલી ખોખાની શી વિસાત?
માનવની ઈચ્છા અને કાર્યથી વાસના ઉદભવે. શારિરીક , આંતરીક, બૌધ્ધિક અને
લાગણીથી માનવની પ્રતિભા તૈયાર થાય. તેમા કોનું પ્રાધાન્ય છે તે માનવને ઘડે છે.
આત્મા સર્વ વ્યાપક, શુધ્ધ અને શાશ્વત છે. તે સ્વાર્થવિહીન છે. માનવની અંદરની
ભાવના તેને યોગ્ય માર્ગદર્શન પૂરુ પાડે છે,
તે પંચકોષનો બનેલો છે. અન્નમયકોષ, પ્રાણમયકોષ, મનોમયકોષ,વિજ્ઞાન-
મયકોષ અને આનંદમય કોષ. તેની ત્રણ અવસ્થા છે. જાગૃત અવસ્થા, સ્વપ્ન
અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. કિંતુ આત્માનું રૂપ છે સત્ ,ચિત અને આનંદ.
વધુ———–
વેદ શાકાજે————
April 6th, 2008
કર્મ અનિવાર્ય છે. કર્મ કરવું એ દરેક માનવનો સ્વભાવ છે. જીવનનું એ
અવિભાજ્ય અંગ છે. કર્મ હરએક માનવનું સ્વતંત્ર છે. કર્મનું ફળ એ કુદરતનો
નિયમ છે. જલ્દી કરવું, ચીંતા કરવી એ દુષણ સમાજમા ફેલાયેલું છે. માનવ
ધર્મ અને વેદાંતનો અભ્યાસ જીવનના સંધ્યાકાળે શરૂ કરે છે. ખૂબ આશ્ચર્યજનક
છે.વેદાંત સમજાવવામા સફળ થયું છે. જીવનનું સાચું કાર્ય,સાચી સમજ,ફરજ
છતાંય આપણે આળસને અપનાવી અણમોલ જીવન વેડફી રહ્યા છીએ.
મન પરોવીને કરેલું કાર્ય સાચા નિશાન તાકી સફળતા અપાવે છે.
જીવનનું ધ્યેય હોવુ જોઈએ કાર્યની ઉત્સુક્તા નહી કે સફળતા યા પરિણામ.
જવઆદારી અને ફરજ એ કાર્યના પ્રકાર છે. તેમા ભૂલચૂકને સ્થાન નથી.
ભૂતકાળનું કાર્ય આજની વાસના બને છે. વાસના ભવિષ્યકાળમા ફેરવાય
છે. વાસના કારણ છે, કાર્ય અસર છે. વાસનાથી ઉપર ઉઠીને માનવ યાતો
પ્રગતિ સાધે છે.યા ગળાડૂબ વાસનામાં ડૂબી નીચે ને નીચે સરતો જાય છે.
ગમો અણગમો માનવીને પાયમાલ કરવા માટે પૂરતા છે. લાગણીથી યા
હ્રદયને કેન્દ્રમાં રાખી કરેલા કાર્ય ધાર્યા પરિણામ લાવવા માટે સફળ થતા
નથી.કોઈ પણ કરેલા કાર્યના બેજ પરિણામ હોઈ શકે, સારુ યા બૂરુ.વેદના
અભ્યાસમા ક્યાંય નથી કહ્યુંકે સંસાર છોડો. હા, આસક્તિ નો ઉલ્લેખ અવશ્ય
છે. હિમાલયમા જાવ કે સન્યાસ અપનાવો એમ પણ વેદાંતનો અભ્યાસ નથી
કહેતો. વિવેકબુધ્ધિનો ઉપયોગ, તેન પર ભાર મૂકે છે. સામાજીક જીવન જીવો.
આસક્તિ ન રાખો. સ્વાર્થવૃત્તિનો ત્યાગ કરો. ત્યાગ એટલે અહંનો ત્યાગ. દરેક
કાર્યમા “હું” પણાની ભાવના. સત્યનુ પાલન, અહંનું નિઃશેષ થવું, સ્વાર્થી
વૃત્તિને તિલાંજલી આપવી.
વેદાંતનો અભ્યાસ લાગણીના પૂરનો સ્તંભ તરીકે સ્વિકારે છે. નહી કે વમળ.
લાગણીનો અભાવ માનવીની સમતુલા અને શાંતિ છીનવે છે. લાગણીને
કેન્દ્રમા રાખવાને બદલે તેને પરીઘ બનાવી તેનું વિસ્તરણ કુટુંબ, સમાજ,
દેશ અને દુનિયા સુધી કરી જુઓ.આસ્તે આસ્તે નહી કે ઝડપથી. સ્વાર્થીપણું
ત્યજી નિસ્વાર્થ બનવું.સ્વને બદલે અન્યનો વિચાર.વ્યક્તિને બદલે સમષ્ટિ
કાજે. પત્ની અને બાળકો પ્રેમ કરતા શિખવે છે. માત્ર ધીરે ધીરે વિસ્તાર
વધારવાનો.’સાચા પ્રેમનું’ પાલન કરો. સહુનું મંગલ ઇચ્છો. દયાળુ સ્વભાવ
એ સાચા પ્રેમની અભિવ્યક્તિ છે. અહિંસા તેનો એક પ્રકાર છે. કોઇને થતી
પીડાનો અનુભવ મનસા વાચા, કર્મણા————
વધુ કાલે———–
વેદ શામાટે————–
April 6th, 2008
જીવન એટલે અનુભવની હારમાળા. વેદનો અભ્યાસ આધ્યાત્મિક
અને ભૌતિક બંને ભૂખ સંતોષે છે. આંતરિક શાંતિ બક્ષે છે અને સમૃધ્ધિના
શિખરે બેસાડે છે. વેદાંત આપણું બંધારણ સમજાવે છે. શાંતિ અને સુખની
પ્રાપ્તિ દ્વારા આનંદના અમૃતનુમ પાન કરાવે છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય
કેમ જીવાય તેની પધ્ધતિસરની જાણ કરાવે છે. મનુષ્ય એટલે આત્મા અને
પાર્થિવ દેહનુ મિલન સ્થાન. આત્મા એટલે ,મન, બુધ્ધિ અને અહંકારનો અદૃશ્ય
ત્રિવેણી સંગમ. વિજળીના પ્રવાહની જેમ અદૃશ્ય કિંતુ સર્વત્ર વરતાય. ત્રણેનુ
મિલન સ્થળ દેહ. તેના વગર દેહની કશીજ કિંમત નહી. જીંદગી એના મિલન
દ્વારા અનુભવોની શાળ પર વણાતું વણાટકામ. લાગણીથી ભરપૂર હૃદય, પાંચ
જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય દ્વારા સંચાલિત આ મધુરુ જીવન.
વેદાંત આ ખૂબ સુંદર રીતે સમજાવવા સમર્થ છે. સમગ્ર માનવજીવન
વૈવિધ્યપૂર્ણ છે. તેનું હરએક પાસુ નવિનતમ છે.કોઈ ઉચ્ચ નથી, કોઈ
નીચુ નથી. સર્વ સમાન છે. દરેક વ્યક્તિ પોતાના કર્મ અનુસાર જીવન
જીવે છે. જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે. દુનિયાનો ક્રમ છે “બદલાવુ.” તે
ક્રમ અનાદિ કાળથી ચાલતો અવ્યો છે. તેમા મીનીમેખ કરવા ખુદ ઇશ્વર
પણ શક્તિમાન નથી. સુખ પછી દુખ, અમાસ પછી પૂનમ અને ભરતી
પછી ઓટ. દરેક આવી મળતી પરિસ્થિતીમાંથી પસાર થઈ આગે બઢો.
જ્ઞાન દ્વારા સંજોગોમા પરિવર્તન લાવી પ્રગતિ સાધો.આનંદના અધિકારી
બનો. આખી દુનિયા લડાઈ ઝઘડામા પ્રવૃત્ત છે. તેનુ મુખ્ય કારણ છે
આધ્યાત્મિકતાનો અભાવ. અજ્ઞાન છતાં જ્ઞાની હોવાનો દંભ. આસક્તિ
તેનું પ્રમુખ કારણ છે. સત્યને બુધ્ધિનો આંચળો ઓઢાડ્યો છે. જો ઘેટું
વાઘનું ચામડું પહેરી વાઘના ટોળામા જાય તો કેટલીવાર નિશ્ચિંત ફરી
શકે? તમસ , રજસ અને સાત્વિક ગુણોનુ એકબીજામા પરિવર્તન આસાન
છે.સ્વની ઓળખ પ્રયત્ન દ્વારા આસાન છે.કોઈ કાંટાની વાડ તેને બાંધી
ન શકે. આજનો સમાજ સ્વતંત્ર છે. મરજી પ્રમાણે જીવે છે. સત્ય
જીવનમા આવશ્યક છે. વેદાંત ઉપરનું વાંચન ,મનન અને અંતે અમલ
એ સુખ , શાંતિ અને આનંદની અવધિમા સ્નાન કરાવવા શક્તિમાન
છે. જો સ્વમા શાંતિ હશે તોજ દુનિયામા તેનો ફેલાવો સરળતાથી
થશે. વેદાંતને જીવનમા ઉતારો. સત્યાતા સભર જીંદગી જીવો. જુઓ
શાંતિ અને આનંદનુ સામ્રાજ્ય જણાશે.
વધુ————–