મન અને કર્મનો સેતુ
શાંતિ ભર્યા ચિત્તે પ્રભુ હું પ્રેમથી બાંધુ
માયા કાયાની હું ત્યજું
પ્યાર ભર્યા દિલડે તને હું હોંશથી ભજુ
શ્રધ્ધા પ્રભુમાં હું ધરું
સ્મ્રુતિ તણી નિસરણી લઈ તુજને આંબુ
વાણી માધુર્યથી ભરું
વર્તન સદા નિસ્વાર્થ પૂર્વક ભાવથી કરું
તૃષ્ણા તારામાં હરદમ કરું
આસંગ પ્રભુ હું તૃણનો પણ દિલમાં ના ધરું
આશ્રય તારો નિત્ય કરું
શરણે પ્રભુ હું આવી છું સ્વિકારજો વિભુ
સેતુ
January 16th, 2007 by pravinash Leave a reply »
Advertisement