અસ્તિત્વ પુણ્ય રૂપે શરુ થાય છે. તેનો અંત પાપ રૂપે આવે છે.
જે દિવસે ઘડિયાળની જરૂર પડતી નથી, તે દિવસ ખૂબજ સુંદર
રીતે ગુજરે છે. એક દિવસ આંખો ઝાંખી થાય છે. કોઈક દિવસ
કદાચ ડાબો યા જમણો હાથ કામ કરવાની ના પાડે છે. સુંદર
કોકીલ કંઠ ગળામાંથી બહાર નિકળવા માટે આનાકાની કરે છે.
માણસ તરીકે ખાલીપણાનો અહેસાસ થાય છે. અસ્તિત્વના અંત
સમયે નામ શબ્દનો પડઘો નાશ સંભળાવવા લાગે છે.
એક દિવસ આપણો ભૂતકાળ ખભા ઉપર મૂકી ચિતા ઉપર
સૂવડાવી તેને આગ ચાંપવાનું દિલ થાય છે. તો વળી એક દિવસ
આકાશ સામે જોઈ ખડખડાટ હસવાનું મન થાય છે. શાકજે સુનહરા
દિવસની યાદ જુવાનીનાં રંગીન દિવસોમાં ઘસડી જાય છે. વળી
કદીક બાળપણ ડોકિયા કરી નિર્મળ જગતમાં સરી જવાની ફરજ પાડે
છે.
એક દિવસ વર્તમાન માથું ઊંચકી બધા વિચારો ખંખેરીનાખી બસ આજ
એ સુવર્ણ તક છે તેમ મનાવવા પ્રયત્ન કરે છે. એક દિવસ વાણી, વિચાર
અને વર્તનમાં સમ્રુધ્ધિ પામીશ તેવી ખેવના કરે છે. એક દિવસ દરેક તમન્ના
પૂરી કરવા બદલ ભગવાનનો ખરા દિલથી આભાર માની આ જીંદગીની
સફર પૂરી થવાની કાગ ડોળે રાહ જોતી બારી બહાર તાકી રહીશ.એક દિવસ
દરેક પ્રહાર નિરવ બની જાય છે. અંતે સાત દિવસના અસ્તિત્વનાં ચિત્રપટનો
પડદો પડી જાય છે.
અસ્તિત્વ
January 15th, 2007 by pravinash Leave a reply »
Advertisement