જીંદગીમાં પાત્ર કાચનું મળે કે સુવર્ણનું તેનો અફસોસ ન કરવો.
તમારું પાત્ર પોકળ સાબિત ન થાય તેનો હરહંમેશ ખ્યાલ રહે
તે અત્યંત આવશ્યક છે.
કાચનું પાત્ર ફૂટી જવાનો ભય સતાવશે. સુવર્ણનું પાત્ર
ચોરાઈ જવાનો ડર શાંતિની નિંદ્રા પણ નહીં લેવા દે. જો
તમે પોકળ યા તકલાદી નહીં હો તો આ જગે તમે સફળ
પૂરવાર થશો.જીવનમાં સંયમ, વૃત્તિઓ પર લગામ અને
જિહ્યાગ્રે સરસ્વતિનો વાસ જારી રાખશો.
પાત્રતા કેળવવામાં અને સાચવી રાખવામાં તે ખૂબજ
મહત્વનો ભાગ ભજવે છે.સફળતા પ્રાપ્ત કરવાની ચાવી
આપણાં જ હાથમાં છે. સફળતા તમારા ચરણ ચૂમશે.
ઈશ્વરને દોષ દેવો, સંજોગોનું આવલંબન લઈ હાર
કબૂલવી એ વિરલાનાં કામ નથી. આપણે પોતે શુભ
કરવાને શક્તિમાન છીએ.જીવનમાં આંધિ યા શાંતિ
આપણાપર આધારિત છે.
Archive for January 24th, 2007
પાત્ર
January 24th, 2007વિચાર વિનિમય
January 24th, 2007 ૧.
પંચમહાભૂતથી બનેલો આ નશ્વરદેહ જ્યારે અમૂર્ત થાય છે.
ત્યારે રાખ સિવાય કાંઈજ શેષ રહેતું નથી.એજ દેહ
કરૂણા, દયા, નિસ્વાર્થ, સહનશિલતા અને ક્ષમા
જેવા પાંચ તત્વોનો બન્યો હોય તો અંત સમયે સુગંધ
પ્રસારતો પ્રક્રુતિમાં ફેલાઈ જશે અને અવશેષ રૂપે મધુરી
યાદો ખોબલાં ભરીને રહેશે.
૨.
જો દિલ તૂટે અને ગાંઠ પડતી હોય તો લાંબા અરસા
પછી દિલ, દિલ મટીને ગાંઠોનો દડો બની જશે.
એક વસ્તુ જરૂર કરવી દિલ તૂટે એનો અવાજ ન
આવવા દેવો અને ગાંઠ પડવા ન દેવી.
૩.
જીંદગીનું ચઢાણ કપરૂં છે, ખાડાટેકરાવાળું છે કિંતુ
કુદરતની આપેલી શક્તિ અમાપ છે. શ્રધ્ધા સંપૂર્ણ
છે.
૪.
જીંદગીના રાહ પર ચાલતા થાકી જવાય તે મંઝૂર
છે પણ હારી જવાય,
ના— ના—- ના—–.
૫.
સંવાદ વિવાદ વિખવાદ
સંવાદઃ શાણી સમજદાર અને અનુભવી વ્યક્તિ
વચ્ચે સંવાદ સર્જાય છે.
વિવાદઃ એકજ વિષયમાં પારંગત વ્યક્તિઓ
વચ્ચે તંદુરસ્ત વિવાદ સંભવ છે.
વિખવાદઃ સંસારમાં એક્થી વિષેશનાં સાન્નિધ્યમાં,
સામેવાળી વ્યક્તિની હા માં હા કરવાથી
વિખવાદ ટાળી શકાય છે.