vegi crust

April 20th, 2008 by pravinash No comments »

ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી.

સામગ્રી.

૧ પેકેટ મેશ પોટેટો .
૧ ૧૬ ઔંસ વટાણા
૧ ૧૬ ઔંસ ફ્રેન્ચ કટ બીન્સ
૧ કપ ખમણેલી ગાજર
૧ ઝૂડી કોથમરી
વાટેલા લીલા મરચા.                   વાટેલુ આદુ
લસણની પેસ્ટ                              લીંબુનો રસ
બ્રેડ ક્રમ્સ                                     ‘પેમ’ સ્પ્રે
તલ, રાઈ, વઘાર માટે તેલ,         વઘારના મરચા
ગરમ મસાલો                              વાટેલા મરીનો ભૂકો
બેકિંગ ડીશ                                  ગળી ચટણી, તીખી ચટણી
                                     રીત
પેકેટ ઉપર જણાવ્યા પ્રમાણે મેશ પોટેટો તૈયાર કરો.તેમાં
થોડું મીઠું અને મરીનો ભૂકો નાખવો.

વટાણાનો સાંજો બનાવો. તેમાં થોડુ મીઠું, લીલા વાટેલા આદુ મરચાં
કોથમીર ઝીણી કાપેલી, લીંબુ અને ગરમ મસાલો નાખવો.

ગાજર ખમણી , તેમાં ફ્રેન્ચ કટ બીન નાખી થોડા તેલમાં સાંતળવી.
પછી તેમાં મીઠુ,લીલા આદુ મરચા , વાટેલું લસણ અને કોથમીર નાખવા.

બેકિંગ ડીશમાં પેમ સ્પ્રે કરી મેશ પોટેટોનું પૂરણ પાથરવું. લગભગ અડધો
ઈંચ જાડું . તેના પર વટાણાનું પૂરણ પાથરી , ઉપર તીખી ચટણીનું પડ કરવું.

ફરીથી બટાકાના પૂરણનુ પડ કરવું તેનાપર ગળી ચટણી અને ગાજર અને
ફણસીનું પડ કરવું.

અંતે ઉપર પાછું બટાકાનું પૂરણ પાથરવું. સહેજ રાઈનો વઘાર અને લાલ
મરચા મૂકવા. દેખાવ ખૂબ સુંદર આવશે. થોડા તલ ભભરાવવા.

ઓવનને ૩૫૦ ડીગ્રી ગરમ કરી ૨૦ મિનિટ માટે બેક કરવું. જરાક ઠંડુ થાય
પછી કાપા પાડવા.
વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગશે. ખૂબ શાકભાજી છે તેથી ખાવાની મોજ માણો.

મનગમતા શાકભાજી ઉમેરવાની છૂટ છે.
૨૧ મી સદીમાં ‘એલર્જી’ અને ‘ન ભાવતા’
હોવાને કારણે શાક સામાન્ય રોજ વપરાશના
મૂક્યા છે.

કવિની કથની———

April 19th, 2008 by pravinash No comments »

કવિથી ડરે બધા કવિતાનો ભારે ચસકો

કવિતાની વહે ગંગા તો બજુએ ખિસકો

કવિ દેખીને ભાગે સહુ નાના મોટ લોકો

દેવી હોય તો દો સજા કવિતાને પૂળો મૂકો

કવિ શેર મારે જાણી શેરને પહોંચ્યો ધક્કો

બાળા કાજે માતા લેતી કવિતાનો તુક્કો

તલવારના ઘા રુઝે રહે ના તેનો સિક્કો

કલમના ઘા દુઝતા રહે દેશોના ધોખો

જનમધરતા એ કાવ્યનો જોયો છે લહેકો

કયામત ટાણે કરે ગઝલ કોઈ તેને રોકો

સૂરજ કેરા કેસરી દડાને માર્યો ફટકો

સહેલણીસા ચાંદતારે માર્યો નદીમા ભૂસકો

વેદ અંતે————

April 18th, 2008 by pravinash No comments »

                             પ્રજ્ઞાનમ બ્રહ્મન                             આત્મ જ્ઞાન બ્રહ્મન છે
                              તત ત્વમ અસિ                             તે તું જ છે
                              અયં આત્મ બ્રહ્મન                         આ આત્મા બ્રહ્મન છે
                               અહં બ્રહ્માસ્મિ                                  હું બ્રહ્મન છું
       હું અને ભગવાન એક છીએ. આત્મા સો પરમાત્મા. આત્મા પમાત્માનો
અંશ છે. વેદાંત વારંવાર ઉચ્ચારે છે. અહંકાર ત્યજો. અભિમાન શાને કાજે?
અજ્ઞાનના અંધકારનો પીછો છોડાવી ,જ્ઞાનના પ્રકાશમા આવો. સર્વત્ર માત્ર
આનંદ હી આનંદ જણાશે.
     હું શરીર મન અને બુધ્ધિ છું. આ પૃથ્વી પર દરેક પદાર્થ નું વિભાજન અણુ
પરમાણુ મા પરિવર્તન પામે છે. બીજમાંથી વૃક્ષ બને છે. એજ વૃક્ષના ફળ
નવા બીજ આપવા શક્તિમાન બને છે. માનવ વંશ વૃધ્ધિકરે છે. કદીય કોઈ
માતાની પ્રસુતિ નિહાળી છે. એ ઘડી ,એ ક્ષણ અલૌકિક છે જ્યારે એક માતા
પોતાના ઉદરેથી પોતાનીજ પ્રતિકૃતિ ને અવતરણ કરે છે. માનવ અનંત
શક્તિનો પુંજ છે.
       આધ્યાત્મિકતાથી રંગાયેલ માનવ સ્વતંત્ર છે. શરીર ,મન ,બુધ્ધિથી પર
થઈ અંતરમા નજર ઠેરવે છે. આસક્તિ ક્યા અને કેટલા પ્રમાણમા રાખવી તે
વિવેક બુધ્ધિ દ્વારા વિચારે છે. સ્વને ઓળખી , સાચાખોટાનું નિયમન કરવાની
ક્ષમતા પામે છે.
        પ્રેમને સિમિત ન રાખતા તેને વિશાળતા બક્ષે છે. સમભાવે સર્વને પ્રેમની
લહાણી કરે છે. મારા તારાના સિમાડામાંથી નિકળી ગગન ગોખે વિહરે છે. બસ
આપો. શંકા નાબૂદ થાય છે. સમદૃષ્ટિ કેળવે છે. ઉંચ નીચનો ભેદ નાબૂદ થાય
છે. સહુમા સમતા ભાવ ધરી જીવન ગુજારે. હમેશ મીઠી વાણી વહાવે. જીહવા
પર સંયમ દાખવે. કોઈનો તિરસ્કાર યા અપમાન તો સ્વપનામા પણ ન કરે.
બસ પ્રેમની ગંગા વહાવે. આદર યા અનાદર બને તેને માટે સમાન હોય.
આધ્યાત્મિકતા પ્રવેશે, સર્વત્ર આનંદ હી આનંદ જણાય, ફેલાય. ચીંતા
વિદાય થાય. નિરાશા કદી ન ઢૂકે. આનંદ અને ખુશી કલ્યાણના માર્ગ ની
મશાલ બને. મારગ મંગલ મય બને. બસ સર્વત્ર સહુનુ મંગલ થાય.
    તમસ , આળસ વિદાય લેશે. માનવ ઈશ્વરનો અંશ છે. ઇશ્વર સર્વ
માનવની અંદર સમાન છે. બહાર શોધવા માટે ફાંફા ન મારો. જ્ઞાન
સ્વયં પ્રકાશિત છે. સમગ્ર સૃષ્ટિ ને નિહાળવાની દૃષ્ટિ ફેરવાઈ જશે.
વેદાંતનો અભ્યાસ જીવનમાં આનંદની ગંગા વહાવવા સમર્થ છે.

                             ઓમ શાતિઃ શાંતિઃ શાંતિઃ

પૈસા————-

April 16th, 2008 by pravinash No comments »

શું પૈસો સર્વસ્વ છે?
માણસની કોઈ કિમત નથી.
કોણ કેટલા પૈસા સાથે લઈને આવ્યું છે?
કોણ કેટલા પૈસા સાથે લઈને જવાનું છે.
ખાલી હાથે આવ્યા.
ખાલી હાથે જવાના.
કદી ઝભલાને ખીસુ ભાળ્યું છે?
કફનને કેટલા ખીસા હોય છે?

જવાબ મળે તો મને જરૂરથી જણાવજો.

વેદ વિષે—-

April 16th, 2008 by pravinash No comments »

આકાશ અનંત છે. સમસ્ત સૃષ્ટિ બ્રહ્મન છે. સર્વત્ર વ્યાપેલ છે. તેનું
ક્ષેત્રફળ ન કાઢી શકાય. તેના ભાગલા ન પાડી શકાય. તે શાશ્વત છે.
દુનિયાનું અસ્તિત્વ છે. સત્યતા અનંતતા શાશ્વત છે. જેનો નાશ નથી.
વિનાશ નથી. જે સર્વત્ર જ્ઞાન અને આનંદ રૂપ છે. બ્રહ્મનને જાણવો હોય
તો સ્વને ઓળખો. “અહં બ્રહ્માસ્મિ”.
દુધમા માખણ કદી નરી આંખે ભાળ્યું છે? છતાં હકીકત છે. કે દુધમાં
માખણ છે. હા, તેની પ્રક્રિયા ઘણી ધિરજ અને કુસળતા માગી લે છે. તેમ
બ્રહ્મન એ અંતિમ મુકામ છે. ઘડો માટીનો છે કે માટીમાંથી ઘડાનું સર્જન
થયું છે. ઘડો અને માટી બે ભિન્ન નથી. સ્વને જાણો, માણો બ્રહ્મન સતત
તેમાં દર્શન દેશે.
ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂઝવા ,
અંતે તો હેમનું હેમ હોયે. નરસિંહ મહેતા રચિત આ સુંદર ભજન સાદી
અને સરળ ભાષામાં ખૂબ સુંદર રીતે સત્ય સમજાવે છે. દ્વૈત, અદ્વૈત અને
વિશિષ્ટ અદ્વૈત , ક્ષર , અક્ષર અને ઉત્તમ પુરૂષ વેદાંતના અભ્યાસ દ્વારા
સુંદર રીતે જાણી શકાય છે. નથી મૃગ કે નથી જળ છતાંય રણમાં મુસાફર
મૃગજળ પાછળ ભટકી શું મેળવે છે?
વેદાંત સર્જનની કોઈ રીત બતાવતું નથી. ‘માયા’ છે ,છે અને નથી. હા,
માયા આભાસ છે. જે નજર સમક્ષ દેખાય છે તે સ્વપ્ન સૃષ્ટિ છે. જાગૃત તથા
સ્વપ્ન અવસ્થા એ બંને માયાના ભિન્ન પ્રકાર છે. તેથી વેદાંત જગતને માયા
અથવા મિથ્યા કહે છે. બંનેમા નજરનો અંદાઝ અલગ અલગ છે. દુનિયા કોણે
બનાવી ? ભગવાને? વેદાંત કહે છે દુનિયા ભગવાન છે. અંધારામા થાંભલાને
ભૂત માની લેતો માનવ શું અજ્વાળામા તેનો ઇન્કાર નહી કરે?
ત્રણ બાજુથી બને તેને ત્રિકોણ કહેવાય અને ચાર બાજુઓ વાળો ચ્તુષ્કોણ.
જરાક બારીકાઈથી નિરિક્ષણ કરો , ચાર ત્રિકોણનો સમુહ ચતુષ્કોણ બનાવે છે.
ચતુષ્કોણની સામ સામેના ખૂણાઓને જોડતી બે સીધી લિટીઓ ચાર ત્રિકોણ
બનાવશે. શું આ માયા નથી? હાઈડ્રોજન અને ઓક્સિજન એ શું છે. બને
વાયુ છે. હા કે ના? હવે જુઓ બે ઓક્સિજન અને હાઈડ્રોજન થી શું નજર
સમક્ષ દેખાય છે. ‘પાણી’ જેનો રંગ કેવો છે? કહી શકશો. આનુમ નામ માયા.
માયાને કારણે સઘળું ભાસે છે. માયા ત્યલો હકિકત નગ્ન સ્વરૂપે આંખ
સમક્ષ દેખાશે. હીરો અને કોલસો શું છે. કાર્બનના ભાત ભાતના પ્રકાર. કિંતુ
બનેના ગુણ અને દેખાવમાં આસમાન જમીનનું અંતર. સ્વપ્નમાંજો માનવીને
સિંહની ત્રાડ સંભળાય તરાપ પણ મારે. શું સ્વપનાનૉ સિંહ માનવનુમ ભક્ષણ
કરે ખરો. અરે, એક જન તો સ્વપનામા પરણ્યું, બાલબચ્ચા થયા, પરણ્યા અને
અકસ્માતમા મૃત્યુ. બળીને રાખ થયો ત્યાંતો આંખ ખૂલી ગઈ અને મધુર અવાઝ
કાને અથડાયો.’ ઉઠો , દુકાને જવાનું મોડું થશે.’.
વેદાંતનો અભ્યાસ પોકારી પોકારીને આ બધું સમજાવે છે. સત્યને સમજો,
હકિકતથી વાકેફ બનો. સ્વને પહેચાનો ,સઘળું આસાન છે. પ્રજ્ઞાનમ્ બ્રહ્મન આત્મજ્ઞાનમ———-

વેદ વિષે

April 13th, 2008 by pravinash No comments »

          
                      આગળ કાંઇ પણ લખું એ પહેલા પ્રિય વાચક મિત્રો તમારી માફી માગવાની છે.
                     છેલ્લા ત્રણ દિવસથી તબિયત સારી ન હતી તેથી લખવામાં વિલંબ થયો છે.
                    આશા રાખું છુ તમે નારાજ નહી થાવ.

              બ્રહ્માંડના નિયમો અફર છે. આત્માનો તેના પર કોઈ અંકુશ નથી. આપણને દુન્યવી
          પરિબળો અસર ન કરે તેનો ખ્યાલ રહે. કર્મનો સિધ્ધાંત અચૂક તેનું પરિણામ આપે છે.
          તેમાં મીનીમેખને અવકાશ નથી. ભૂત, વર્તમાન અને ભવિષ્યના પ્રેરાયેલા કર્મ ફળ આપી
         શાંત થાય છે. ઈચ્છીત મળતું નથી પ્રાર્બ્ધમાં હોય તે જ પ્રાપ્ત થાય છે. યાદ રહે પુરૂષાર્થ
        વગર પ્રારબ્ધ પાંગળું છે. જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. અમરપટો લઈને આ જગે કોઈ જ
        આવ્યું નથી.
             

               સર્જન, સંચલન અને વિનાશ આ જગનું અસ્તિત્વ થયું ત્યારથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ
       દ્વાર સંચાલિત છે. વિશ્વનું સર્જન કરનાર બ્રહ્મા, તેનું સંચાલન કરનાર વિષ્ણુ અને સંહારક મહેશ.
      અપૂર્ણ વાસનાની પૂર્તિ અર્થે ફરી ફરી જન્મ. ઉન્નત વિચારો , ઈચ્છાઓ, પુનઃજન્મ, વાસના,
      વંશ પરંપરાગતતા, સંસ્કાર , જોનાર, ભોક્તા , અનુભવનાર, વિષયો નું બનેલું આ સંસારચક્ર.
      દૃષ્ટિ તેવી સૃષ્ટિના નિયમ અનુસાર જેવું ભાળો તેવું જાણો. ભિન્નતા સભર દુનિયામાં
      વસતા ભાતભાતના લોક. ઉચ્ચવિચારોથી પરિપૂર્ણ દુનિયા. નિરર્થક જુઠ્ઠી દુનિયા. જેવું અનુભવીએ
      તેવી ચીતરાતી દુનિયા. મનુષ્યના મગજ દ્વારા , વિચારો દ્વારા ,મન અને બુધ્ધિ દ્વારા જન્મ પામ્યુ
     જ્ઞાનેન્દ્રિય દ્વારા સંવેદના પામ્યું તેવી દુનિયા. આ દુનિયાનો હરએક પદાર્થ તેનો તે જ છે. સમય
     અને દૃષ્ટિ તેમા વરંવાર ફેરફાર નોંધાવે છે. દુનિયા વિચારોનું સંતાન નથી. એ તો ન કળી શકાય
     તેવી કુદરતની કારિગરી છે. જે સનાતન સત્ય છે. મન, બુધ્ધિ, ચિત્ત અને અહંકાર તેના કદ કે આકાર
      તસુ ભર ન બદલી શકે.

                 વિશાળકાય દરિયાના મોજા સપાટી પર આવતા શાંત થઈ જાય. ફીણ થાય પણ બુદબુદા શમી
        જાય અને દરિયાનું પાણી જરાય વિચલીત ન થાય. વિષય અને પદાર્થનું મિલન થાય અને દુનિયાનું
        સરજન જણાય વિષયો શાંત થાય અને સત્યનું દર્શન અચૂક થાય. ઇન્દ્રિયો સંયમમા આવે અને હકિકત
       અસલ સ્વરૂપે છતી થાય. બ્રહ્મન સમુદ્ર સમાન છે. નિરંતર છે. સનાતન છે, શાશ્વત છે. વેદના મંતવ્ય
       અનુસાર સૃષ્ટિ કાંઇ નહી માત્ર બ્રહ્મન છે. આકાશ અનંત છે. અનંત છે.

       વધુ===========

વેદ ની જાણકારી

April 10th, 2008 by pravinash No comments »

            ‘ઓમ્ ની તાકાતથી વાચક મિત્રો પરિચિત છે. જ્યારે ધ્યાનની સ્થિતિ
પર પહોંચી જઈએ ત્યારે ઓમ પણ સરી જાય છે. ધ્યાન માં બેસવા માટે જગ્યા
શાંત જોઈએ. વહેલી સવારે ધ્યનમાં બેસવું ઉચિત છે. તેના માટે બને ત્યાં સુધી
એકજ જગ્યા નિશ્ચિત કરવી. કસરત અને યોગના આસન દ્વારા શરીરને સમતોલ
રાખવું. પ્રાણાયમ, કપાલભાંતિ અને અનુલોમ-વિલોમ દ્વારા શ્વાસનું સંચાલન
સયંમિત રાખવું. શાંત ચિત્ત, જપક રવાની આદત માર્ગ સરળ બનાવે છે. ૪ થી
૬ વાગ્યાનો સમય, ભોર એ ધ્યાનમાં બેસવાની ઉત્તમ પળ. સતત અભ્યાસી
માનવ મનવાંછિત ફળ મેળવે છે. તેને પોતા વીશે જ્ઞાન પ્રાપ્ત થાય છે.

             આત્મ સાક્ષાત્કાર પામનાર વ્યક્તિની વાસના મરી પરવારે છે.તે આ
જગતના બંધનમાંથી મુક્તિ મેળવે છે. શરીર, મન ,બુધ્ધિના બંધનમાંથી મુક્તિ
પામે છે. જાગ્રત, સ્વપ્ન અને શુષુપ્તિ અવસ્થા આત્મનમાં સ્થિર થાય છે. માનવ
કુદરતની સાથે લીન બને છે. આ સરલ નથી વેદાંતનો અભ્યાસ શક્ય જરૂર બનાવે
છે. માનવ શુધ્ધ પવિત્ર સ્થિતિ પર પહોંચે છે. કુદરતની સાથે આત્મીયતા અનુભવે
છે. અણુ, પરમાણુ, પાવનતા, કિરતારની સંગે સુસંગત બને છે. શાશ્વતતામાં સરી
પડે છે. સર્વ ભેદ ખરી પડી ઈશ્વરમા લીન બને છે. અપાર શક્તિનું અવતરણ થાય
છે.
     માનવ શાશ્વત શાંતિ અને આનંદનો અધિકારી બને છે. શારીરિક લાગણી કે મન,
ચિત્ત અને બુધ્ધિમાં માત્ર પરમ આનંદનો પાદુર્ભાવ જણાય છે. ઝરણું નદી બને અને
સાગરમાં સમાઈ કેમ પોતાનું અસ્તિત્વ વિલીન કરે તેમ. તેના મીઠા જળ ખારા બને
છતાંય કેવી ચરમ સીમાનો અન્ય્ભવ કરે છે. ગુણોમાં અવિરત વૃધ્ધિ પામે. દુર્ગુણતા
નાશ કરવાનું સામર્થ્ય મેળવે. માત્ર સુંદરતા અને સઘળે મંગલતાનું પ્રસરણ.

                 ધર્મના અનેક પાસા છે. સ્વધર્મ ને અપનાવવો. પરધર્મ ભયાવહ. સ્વના પૃથક્ક-
રણ દ્વારા સારા નરસાનું ભાન થાય. ખૂબજ ઝીણવટ પૂર્વક તેની છણાવટ કરી તેનું પાલન.
સૂપડાની જેમ ‘ સાર સારકો ગ્રહી રહે થોથા દેય ઉડાય’. અને હંસની જેમ નીર ક્ષીર અલગ
કરી શકે. ધર્મ એ આચરણ છે. તે શારીરિક અને બૌધ્ધિક બંધનોમા જકડાય નહી. જ્ઞાનયોગ,
કર્મયોગ કે ભક્તિયોગ જે પણ માર્ગ અનીકુળ આવે , બસ આગે બઢો. ભૌતિકતા, સાધન
સંપન્નતા ધર્મના કામમા રોડા ન નાખી શકે. મન અને બુધ્ધિને પવિત્ર બનાવવા એ ધર્મનું
કાર્ય છે. વેદાંતના અભ્યાસથી અનાસક્તિનો ગુણ દ્રઢ બને છે.
કુદરતનો કાયદો અફર છે. તેના નિયમો સરળ છે. તેમાં કોઈ બાંધ છોડને સ્થાન જ
નથી. રાત- દિવસ, સવાર-સાંજ, પૂનમ- અમાસ, ઠંડી- ગરમી. વ્યક્તિ, સમાજ અરે
સમગ્ર સૃષ્ટિ એ નિયમોનું સનાતન કાળથી પાલન કરતી આવી છે.આ નિયમો સમષ્ટિને
એક સમાન લાગુ પડે છે. આ કુદરતનો કાયદો તેનું બીજું નામ “ભાગ્ય”. આ છે કર્મનો
સિધ્ધાંત. ભૂતને કારણે વર્તમાનનું નિર્માણ અને તે ખોલે ભવિષ્યના અજાણ દરવાજા.

વધુ——————————-

વેદ જરૂરી——–

April 8th, 2008 by pravinash No comments »

    
images9.jpg

          ત્યાગને આપણે સામાન્ય રીતે ત્યજવું એવો અર્થ કરતા હોઈએ છીએ.
વેદાંત આપણને તેનો સાચો અર્થ સમજાવે છે. ઘર છોડી વનમા જાવ એમ
તે નથી કહેતું. માલમિલકત નો ત્યાગ કરવો. ના. માલિકિ યા ખુશી ત્યજી
જીવન જીવવાની વેદ સાફ ના પાડે છે. રોજબરોજના કાર્યમાંથી મુક્તિ નહી.
જવાબદારી છોડી જીવવું તેને વૈરાગ્ય ન કહેવાય. વૈરાગ્ય એટલે આસક્તિ
છોડવી.
      તેન ત્યક્તેન ભુજિંથા. ત્યાગીને ભોગવો. ‘ભોગ અને આનંદ ‘ યોગ અને
ધ્યાન સમાન છે. એમ વેદાંત પૂરાવા સાથે કહે છે. ધારોકે તમે ભર નિંદરમાં
છો. સ્વપ્ન સૃષ્ટિમા વિહાર કરો છો. અચાનક તમને સાપ કરડ્યો અને નિંદમા
તમારું મૃત્યુ થયું. ક્રિયાપાણી સગાવહાલાએ કર્યા. સવાર પડી અને પત્નીની
બૂમ સંભળાઈ. ઉઠો, કેટલું હજી સુવુ છે. શું આજે નોકરી પર રજા પાડવાની
છે? અને તમે પથારી છોડી. ઈચ્છા અને કામનાઓ પર સંયમ એટલે ત્યાગ.
કર્મયોગ,જ્ઞાનયોગ અને ભક્તિયોગ દ્વારા ત્યાગની ભાવના જન્મ પામે છે.ધ્યાન
અને ચિત્તની એકાગ્રતા ઈચ્છાઓ પર અંકુશ દ્વારા સરળતાથી પ્રાપ્ત કરાય છે.
યોગની સાધના દ્વારા આત્મનિરિક્ષણનો રસ્તો સુગમ બને છે.
               ધ્યાન દ્વારા માનવ શુક્ષ્મ બુધ્ધિથી પરમ તત્વને પામવા શક્તિમાન
બને છે. એમ વેદ પુકારી, પુકારીને કહે છે.આ સૃષ્ટિનુ નિર્માણ માનવ વિચારોનું
ફળ છે. જો આપણે વિચારો પર નિયંત્રણ કરી શકીએ તો દુનિયા પર આધિપત્ય
સહેલાઈથી મેળવી શકાય. આ દેખાય છે તેટલો સરળ પથ નથી. કિંતુ માનીએ
છીએ તટલું કઠીન પણ નથી. કોઈ પણ એક મંત્રનું સતત રટણ અને શ્વાસ ઉપર
ધ્યાન કેંદ્રીત કરો. પ્રયત્નથી માનવ શું નથી કરી શકતો! ‘જપ’ સાધનાનો રસ્તો
સરળ બનાવે છે. પછી તમને જેનામા શ્રધ્ધા હોય.કોઈ ફરક પડતો નથી.
           ચિત્ત એકાગ્ર થાય અને સાધનાને શિખરે બિરાજીએ ત્યારે મંત્ર યા જાપ પણ
ખરી પડે છે. અંતે જે દશા પ્રાપ્ત થાય તે લખવા કે વાંચવાની દશા નથી હોતી.
અનુભવવાની અવસ્થા છે. જેનું અલૌકિક વર્ણન કરવું નામુમકીન છે. ત્યારે જીવની
“અંતર યાત્રા” શરૂ થાય છે. જે ગુઢ છે. અવર્ણનીય છે. બુધ્ધિપૂર્વક કરેલો પ્રયત્ન
જીવનમા સાધના અને સફળતાને વરે છે. સંયમ , વર્તન પર અંકુશ, સજાગરીતે
વહેતો વિચારોનો પ્રવાહ, એકાગ્રતા એજ તો ધ્યાન છે. ધ્યાનમા ચિત્ત કેન્દ્રીત એ
આધ્યત્મનું અંતિમ લક્ષ્ય છે. તેને માટે પ્રયત્નથી મગજને કેળવવું આવશ્યક છે.
દુન્યવી વિચારોમા રચ્યાપચ્યા રહેવું માત્ર સ્વાર્થી વિચાર શૈલી એ પ્રગતિના માર્ગના
બાધક છે. વિચાર શૂન્ય સ્થિતિ પ્રાપ્ત કરવી. “ઓમ્” નું ઉચ્ચારણ સમગ્ર બદનમાં
ચેતના ફેલાવે છે. ‘અ’ ‘ઉ’ અને ‘મ’ની અંદર સમસ્ત ભાષા સમાયેલી છે. જાગ્રત્’
સ્વપ્નસ્થ અને શુષુપ્તિ ત્રણે અવસ્થા ‘અ’ ‘ ઉ’ અને ‘મ’ની અંદર સમાયેલી છે.
           વેદાંતનો અભ્યાસ સતત તેનો આગ્રહ રાખે છે. જેમા “ઈશ્વર”નું નામ અને
સંકેત છે.

વધુ————–

વેદનો અભ્યાસ

April 6th, 2008 by pravinash No comments »

               images9.jpg

                        મુખ્ય ચાર વેદ છે. ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદ. જાગ્રત અવસ્થા, સ્વપ્નાવસ્થા અને સુષુપ્તિ એ સર્વેમા
આત્મા શુધ્ધ છે. સ્થૂળ શરીર વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણેયમા સમાન છે.જે પવિત્ર છે. ત્રણે અવસ્થા ખુદ તેનૉ અર્થ સમજાવે
છે. દરેકની વ્યવથા સતત છે. તો પ્રશ્ન થાય હકિકત શું છે. જે સ્વને ઓળખ્યા પછી પ્રાપ્ત થાય છે. તેછે તુર્ય અવસ્થા. અતિ કઠીન
છે. જ્યાં શરીર , લાગણીકે બુધ્ધિ દ્વારા પહોંચવું મુશ્કેલ છે. તુર્ય અવસ્થા આનંદમય છે. અનંત આનંદમય.
ચાર પ્રકારે તેનુમ જ્ઞાન પ્રાપ્ત થાય. ૧. પ્રત્યક્ષ ૨. અનુમાન યા અભિપ્રાય ૩. ઉપમાન ૪. આગમ. પોતાને વિશે
જ્ઞાન પ્રત્યક્ષ મળવું મુશ્કેલ છે. કિંતુ અનુમાન અને ઉપમાન દ્વારા યા સરખામણી અને વ્ય્વહાર દ્વારા તે જ્ઞાન પ્રાપ્ત થાય. રિવાજો
મારફત તેની થોડી ઘણી જાણકારી મળી શકે. માનવ પોતાની આંતરિક શક્તિ અને કોઠા સૂઝ દ્વારા ઘણું પ્રાપ્ત કરી શકે છે. રિતીરિવાજો
ન વમળમા સપડાયેલ માનવ રોજબરોજની જીંદગી આસાનીથી જીવી શકે છે. કિંતુ જીવામા કંઈક કરી છૂટવા મરજીવા બનવું જરૂરી છે.
કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ દ્વારા માનવ વાસના પર વિજય પ્રાપ્ત કરી પ્રભુને મેળવવા શક્તિમન અની શકે છે. વેદાંત
એવા પૂરાવાથી ભરેલું છે. તેના અભ્યાસ દ્વારા પ્રભુમા થવાની ક્ષમતા માનવ ધરાવી શકે છે. યોગ અને સાધના દ્વારા માનવ વાસનાની
નાબૂદી અહ્ંનું વિલિનીકરણ કરવા સમર્થ બને છે. ભગવદ ગીતા આપણી સમક્ષ ત્રણ રાસ્તા ખોલી રાહ દર્શાવે છે. અંધશ્રધ્ધા અને
માન્યતા ને સહારે પાંગરેલી ભક્તિ પાંગળી છે. ‘ભક્તિ એટલે ભીતિ નહી’. ભક્તિ અંતરમાંથી ઉદભવે. બક્તિનું ઝરણું પવિત્ર હોય.
ભક્તિમા આસક્તિ ન હોય. ગીતા નો બારમો અભ્યાય ભક્તના લશણ ખૂબ સુંદર રીતે વર્ણવે છે. ભક્તિનું પ્રથમ ચરન છે ‘ભગવાનમા’
અટૂટ શ્રધ્ધા. આત્મ સમર્પણની ભાવના. માનવ અજ્ઞાનથી ભરપૂર છે. સ્વાર્થવૃત્તિથી ભરપૂર ભક્તિ મલિન છે. પવિત્ર, નિ;સ્વાર્થ અને
દૈવી શક્તિથી અરેલી ભક્તિ પવિત્ર છે. સત્ય અને અસત્ય વચ્ચે ઝોલા ખાતો માનવી , અજ્ઞાનથી બરપૂર માનવ જ્ઞાનના અગ્નિમા
બાળી ભક્તિ ને પાવન બનાવે છે.
વિવેકપૂરક બુધ્ધિ દ્વારા મેળવેલુમ જ્ઞાન. સતત બદલાતી જતી દુનિયામા રહેતો માનવ. વિવેકપૂર્ણ નિયમોનુ પાલન. સાચા ય
ખોટા માર્ગ વચ્ચેઓ ભેદ. ઉત્સાહ પૂર્વકનું કાર્ય. ચીંતા અને ઉદ્વેગ વગરનું કાર્ય. નિઃસ્વાર્થ કાર્ય. વેદાંતનો અબ્યાસ આ બધું સરળતા
પૂર્વક સમજાવે છે.
વધુ—————

વેદનો અભ્યાસ—————–

April 6th, 2008 by pravinash No comments »

          

                                  images9.jpg

          ધર્મ  શુધ્ધ  અને  પવિત્ર  છે.  ધર્મ  આંતરિક  છે.  એ  ઠાંસી  ઠાંસીને

      ભરેલો નથી. ધર્મ  ઈચ્છા  અને  કાર્યનું  પ્રેરક  બળ  છે. સ્વ પ્રત્યેનું  અજ્ઞાન

     દુઃખ અને  પરેશાની  ઉત્પન્ન  કરે  છે. હ્રદયમા નજરને  ઠેરવો, અજ્ઞાનના  વાદળ

     હટી  જશે  અને  આનંદની  અનુભૂતિ  થશે. આજનો  કહેવાતો “ધર્મ”  સમગ્ર

     માનવ જાતને  અવળે  રસ્તે  દોરી  રહ્યો  છે.  એનું  પરિણામ  આપણે  સર્વે  જોઈ

      રહ્યા  છીએ  અને  ભોગવી  રહ્યા  છીએ. ધર્મ  ને  ખરા  અર્થમા  જાણો, પહેચાનો
  
      અને  અમલમા  મુકો. આપણી  નિઃસ્વાર્થ  ચિત્તવૃત્તિની  એરણ  ઉપર  તેને  કસી

        તેને  સાત્વિક  બનાવી  અનુસરો. 

              

                  કહેવાતા  ધર્મગુરૂઓની  પ્રતિભા,  કથા  કરવાની  શૈલીનો તેમા  ભળસેળ ન

        કરો. પુસ્તકો, ગ્રંથોના  અભ્યાસ  દ્વારા  અંતરની  આરસીના  ડાઘ  દૂર  કરો. સ્ત્યનું

       પાલન  અને  સ્વાર્થવૃત્તિનો  ત્યાગ એ  ધર્મના અમૂલ્ય  સંદેશને  બધિર  કર્ણપટે સંગીત

       સમ  ગુંજવા  દો.  તેના સત્યને  આચરણમા  ઉતારો.  કોઈ પણ  જાતના વિચારોની

       મલિનતા તેને  ન  સ્પર્શે  તેની  સંભાળ  લો. વહેમને  મિલાવી  તેને  કદરૂપતા  ન

        અર્પો.  ધર્મ  પવિત્ર, શાંત , આનંદમય અને અનંત  છે. ઈશ્વર  સર્વત્ર  છે.

        સર્વવ્યાપિ  છે. સર્વમા  એક સરખો  છે. અવર્ણનીય  છે. અનંત છે. આત્મા,     
  
      પરમાત્માનો  અંશ  છે. આત્મન એ જ  બ્રહ્મન છે.આપણે  દાવા  સાથે  બીજાને

         જાણીએ  છીએ  તે  કહી  શકીએ  કેવી રીતે ?જ્યાં  આપણે  ખુદ  સ્વને પણ

          જાણવા  શક્તિમાન  નથી. કોઇની  પણ  ત્રુટિઓ  શોધતા  પહેલા  સ્વની ત્રુટિ

          પ્રત્યે  જાગૃતતા  કેળવો. કાળા  ચશ્મા પહેરીને  જગને  નિરખશું  તો  આખું

          જગ  કાળું  વરતાશે.નરી  આંખે  કોઈપણ  જાતના પક્ષપાત  વગર  નિહાળો.

       સૃષ્ટિ  સૌંદર્યથી   ભરપૂર  જણાશે. કુદરતની  કરામત  નિહાળતા, તેના રસ
 
          પ્રત્યે  પ્રેમ  છલકાશે.

        હર હંમેશ  બહાર  સુખને  ખૉળવા  મથતો  માનવ  કદી  બે  પળ હ્રદયમા

          નજર ઠેરવે  તો  સુખ અને  શાંતિ પ્રાપ્ત  કરવામા સફળતાને  વરશે. સ્વની

          બુધ્ધિ  અને  દિમાગ  ચકાસો.સત્યને  વળગી રહો. આધ્યાત્મિક  વાચનની

         આદત  કેળવો. ધર્મના  પુસ્તકનો નિયમિત અભ્યાસ. કોઈ  પણ  ધર્મનું

         પુસ્તક  ખોટામાર્ગે  જવાનું  શિક્ષણ  નથી  આપતું.મર્કટ મનવાળો  માનવ

         તેના  ઉંધા  અર્થ  તારવી  દુનિયામા  અશાંતિ  અને  હિંસા  ફેલાવે  છે.

      કોઈ  પણ  ધર્મ જોરજુલમ  અને  કત્લેઆમને  પ્રોત્સાહિત  કરતો  નથી.
 
      પછી તે  હિંદુ, મુસ્લિમ, જૈન , શીખ કે  ઈસાઈ  હોય. સ્વનું  નિરિક્ષણ

          આત્માની  ઓળખ  આસાનીથી  કરાવવા  શક્તિમાન  છે. સાચા ખોટાનું

           જ્ઞાન  પ્રાપ્ત  થશે.

          સ્વ  પ્રત્યેની  જાગૃતિ આમા સફળતા  અર્પશે. જાગૃત  અવસ્થાના ત્રણ

             પ્રકાર  વેદમા  દર્શાવ્યા  છે. જાગૃત  અવસ્થા. સ્વપ્ન  અવસ્થા, સુષુપ્ત

              અવસ્થા.

               વધુ——————

        
                        

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.