વેદ અને ગીતામા વારંવાર જોવા મળતા——–

July 29th, 2009 by pravinash 1 comment »
 
      ક        કર્મ, કર્તા, કલ્યાણ                                          ત         તપ, તત્વ તમસ
      ખ        ખમવું, ખં , ખેવના                                         થ         સ્થિર, સ્થિત
      ગ        ગુરૂ, ગોવિંદ, ગુહ્ય                                          દ         દાન,  દયા,દેહ.
      ઘ        ઘનિષ્ઠ, ઘડપણ                                            ધ         ધર્મ, ધિરજ
      ચ        ચિત્ત, ચંદન, ચિંતન ,ચંચલ                             ન          નિત્ય,  નિયમ                         
      છ        છેદન                                                         પ          પુણ્ય, પાપ, પરબ્રહ્મ
      જ        જાપ,  જીજ્ઞાસુ,  જન્મ                                     ફ          ફળાસક્તિ ફલશ્રુતિ
      ઝ        ઝંકાર,                                                       બ         બંધન, બુધ્ધિ
      ટ         ટુંકાણ, ટહુકો, ટટ્ટાર                                        ભ         ભજન, ભક્તિ
      ઠ          ઠાન લેવું                                                   મ          મૌન,માયા,મુક્તિ   
      ડ          ડગ, ડગવું                                                 ય           યજ્ઞ  યમ
      ઢ          ઢેફું, ઢગ                                                    ર          રાજસિક,રમણ
      ણ         ગણપતિ  ગણાધીશ                                      લ          લય, લગન       
      વ         વિષય, વેદ,વિભુ                                          સ          સનાતન, સામર્થ્ય   સત્વ                   
      શ        શાંતિ, શિષ્ય                                                 હ         હિંદુ, હવન
      ળ        પળ,  વિપળ                                                ક્ષ         ક્ષમા, ક્ષણ   
      જ્ઞ       જ્ઞાન   જ્ઞાતા   
                      
       

હસવાની મનાઈ છે

July 29th, 2009 by pravinash 1 comment »

પ્રસંગ   પહેલો.

ઉનાળાની રજાઓમા મારા પૌત્ર્ની સાથે વ્યાપાર (મોનોપોલી્) ની રમત રમતા

દાદીમાઃ મારે હોટલ બનાવવી છે.

પૌત્રઃ    ૧૨૫૦ ડોલર મા.

દાદીમાઃ  ઓ.કે.

બીજાદાવમા

દાદીમાઃ અરે તુ મારી હોટલ ઉપર આવ્યો, ભાડુ ૧૧૦૦ ડોલર.

પૌત્રઃ  દાદીમા તમે તમારા પૌત્ર પાસેથી ભાડુ લેશો?

( દાદીમા ચૂપ થઈ ગયા, નજર નીચી ઢાળી દીધી.)

પ્રસંગ બીજો. તે દિવસે  રમત પુરી થઈ ન હતી.

બીજે દિવસે—-

દાદીમાઃ  અરે બેટ હું ચાન્સ ઉપાર આવી.

બેટા મારું કાર્ડ ખેંચને.

પૌત્રઃ  દાદીમા જેલ ભેગા થાવ.

( કાર્ડમા લખ્યા પ્રમાણે)

ખડખડાટ હસવાનો અવાજ.

તાંડવ

July 28th, 2009 by pravinash 1 comment »

   આભ  ફાટ્યું  ત્યાં  થીગડું  ક્યાં  દેવાય

  તડાતડ  કરાં  પડે ત્યાં છત્રી શી ખોલાય

  તીર ઝડપે વાતા વાયુના સુસવાટા સુણાય  

  લળી લળીને ધરાને  ચૂમતા વૃક્ષો  જણાય

  ગગને ગડગડાટ કરતાં ઘટોટપ વાદળ ઘેરાય

  મારકણી વિજળીના ચમકારે આભે ઉજાસ ફેલાય

  વર્ષાના તાંડવમા નહાતી ધરતી મંદ મુસ્કાય

  પ્રિતમની બાંહોમા માનુની અંગડાઈ લેતી સમાય

  માળામા લપાયેલ પંખીડા ધ્યાન મુદ્રામા જણાય

  કુદરત કોપે ત્યારે પામર માનવ તું  અસહાય

જ્ઞાનયોગ

July 20th, 2009 by pravinash No comments »

    કૃષ્ણ ભગવાન પુકારીને કહે છે કે મારા બધા ભક્તોમા જ્ઞાની ભક્ત

મને સહુથી વહાલો છે. કૌરવો ખૂબજ લોભી હતા. સોયની અણી પર ટકે

એટલી જમીન પણ પાંડાવોને આપવા રાજી ન હતા. તેથી જતો કુટુંબીજનો

વચ્ચે મહાભારતનુ યુધ્ધ જામ્યું.

  જ્ઞાનયોગનો માર્ગ સર કરવા માટે શ્રવણ, મનન, નિધિધ્યાસન, જ્ઞાન,

 જીવન મુક્તિ, સિધ્ધ સ્થિતિ અને અંતે વિદેહ મુક્તિ એ બધા પગથિયા

 પરથી ગુજરવુ પડે. મોક્ષની પ્રાપ્તિ થાય.

      સફળતા પામવા માટે જ્ઞાન મેળવવા માટે પ્રશ્ન પૂછવો આવશ્યક

    છે. શ્રવણ કરવું ,સત્યને પામવું અને જ્ઞાનની પ્રાપ્તિ કરવી.

  મનન કરવું. આત્મા વિશે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું. આત્મા કદી મરતો

  નથી, કદી જન્મ લેતો નથી, કદી પલળતો નથી, તે શાશ્વત છે. શસ્ત્ર તેનો

  નાશ કરી શકતા નથી, અગ્નિ તેને બાળી શક્તો નથી, આત્મા સર્વત્ર પ્રવર્તે

  છે. તે અમર છે.

     આત્મનિરિક્ષણ દ્વારા તેને જાણવો પડે છે. નિધિધ્યાસન દ્વારા ત્રણે ગુણોથી

  તે પર છે તે સમજાય છે. સત્વ, રજસ અને તમસ નો ત્રિવેણી સંગમ દરેક

   વ્યક્તિમા હોય છે. હા, તેની માત્રા નું પ્રમાણ અલગ અલગ હોવાનું.

   માનવ સર્વે કામેછાથી પર થઈ જાય છે ત્યારે  તેને   આત્મ સંતોષ

  પ્રાપ્ત થાય છે. તેની ઈચ્છાઓ પર અંકુશ આવે છે. તનું હ્ર્દય

  નિર્મળ બને છે.

     જ્ઞાન પ્રાપ્તિ થાય છે જ્યારે તે સ્વની સાથે સંતુષ્ટ હોય છે.

સારા નરસાની તેને જાણ રહે છે. વસ્તુ અથવા તો મોહના ફંદામા

 તે ફસાતો નથી. આસક્તિ, ઈચ્છા, મોહ અને ક્રોધ તેને ચલાયમાન

 કરી શકતા નથી.

    દ્વંદ્વથી વિમુક્તિ પામે છે. રાગ દ્વેષ અગર સુખ દુઃખથી તે પર થઈ

 ગયો હોય છે.  ડર અથવા તો હરખ શોક તેની નજદીક સરી શકતા નથી.

 વિવેક બુધ્ધિ સતત સજાગ હોય છે. જીવન મુક્તિનું આ પગથિયું ખૂબ

 સાચવીને પ્રાપ્ત થયા પછી તે સિધ્ધ સ્થિતિને મેળવવા ભાગ્યશાળી

  બને છે.

     તેમાં તે હંમેશા નિજાનંદમા મગ્ન રહે છે. કોઈ પણ જાતનું દુઃખ

  યા સુખ તેને ચલાયમાન કરવામા નાકામયાબ રહે છે. સંપૂર્ણ રીતે

  જગતના સર્વ બંધનોથી મુક્તિ અનુભવે છે. સિધ્ધ સ્થિતિને પામ્યા

  પછી મોક્ષના દ્વાર તેના માટે ખૂલી જાય છે.

       દેહના સર્વ દરવાજા બંધ હોય, સમતા ધારણ કરી હોય, જગતના

  કોઈ પ્રલોભનો સાથે તેને કોઈ લેવા દેવા રહેતી નથી. બસ તેનું સકલ

   અસ્તિત્વ કૃષ્ણમય બની જાય. આનંદ, પરમાનંદમા તે સમાઈ જાય.

      જ્ઞાનીભક્ત તેથીજતો કૃષ્ણ ને ખૂબ પ્રિય છે.  જ્ઞાની અહંકારી ન બને

 તેનું ધ્યાન રહે. તેનામાં ભક્ત્ના લક્ષણ પણ સમાયેલા હોય. તે કર્મમા

 પણ પ્રવૃત્ત હોય અને તેની ઈચ્છાશક્તિ પણ મજબૂત હોય.

      ચરેય માર્ગ એકબીજા સાથે સંકળાયેલા છે તે યાદ રહેવું

 અગત્યનું છે,

શું કહેવું?

July 20th, 2009 by pravinash 1 comment »

  ખબર ખુશીના છે કે પછી વ્યથાના એ કહેવું મુશ્કેલ છે.  શું કહેવું તે

સમઝાતું નથી. કિંતુ આજકાલ ચારેકોર આ જ સમાચાર સાંભળવામા

 આવે છે.  ફલાણાની દિકરી એના જૂના પ્રેમીની સાથે ભાગી ગઈ.

ફલાણાનો દિકરો તેની સાથે કામ કરતી છોકરીના પ્રેમમા પડ્યો અને

બૈરી છોકરાને રઝળાવી ફરાર થઈ ગયો. અકસ્માતમા રિબાતો વર

બે મહિનાની ટૂંકી માંદગી પછી મૃત્યુ પામ્યો. તો કોઈની પત્ની

 કેન્સરમા ચાલી ગઈ.

       હવે આવા ટાંકણે હજુતો ઘા તાજો હોય ત્યાં મિત્ર મંડળ અને કહેવાતા

સગાવહાલા માથુ ખાય, ભાઈ આતો ૨૧મી સદી છે. જીંદગી ખૂબ લાંબી છે.

એકલા કેમ જીવાશે?  જાણે એમને પુરું ન કરવું પડતું હોય. માણસના દિલમાં

લાગણી નામની કોઈ ચીજ વશે છે ખરી? તેનું હ્રદય ધબકે છે ખરું? શાકાજે

માનવ હમદર્દીના નામે બીજાના ઘાવ ઉપર મીઠું અને મરચું ભભરાવતો

હશે? ખબર નથી તેથી તેનો અહં કેવી રીતે પોષાય છે.

     ક્યાં ગઈ આપણી સંસકૃતિ અને માણસ માણસ પ્રત્યેની સદભાવના.

  સહાનુભુતિના બે શબ્દ તો બાજુએ રહ્યા. પડતાને પાટુ શા કાજે મારવું.

નવી હવા, અમેરિકાનો ઢોળ આપણને કઈ દિશા તરફ લઈ જઈ રહ્યો છે.

ડોલરની બોલબાલા અને નગદ નારાયણનું સામ્રાજ્ય ચરેકોર વરતાય છે.

નાનપણમા જોયેલા એક નાટકનો સંવાદ યાદ આવે છે” આ તું નથી

બોલતો તારો પૈસો બોલે છે.” જો  હું ભૂલતી ન હોંઉ તો નાટકનું નામ

 હતું ‘પૈસો બોલે છે’.

   હવે કરીએ વાત આવા વિછડાયેલા જુવાન, આધેડ કે પુખ્ત વયના

લોકોની. શું તેમને જીવવાનો હક્ક નથી? ત્રીજી યા ત્રાહિત વ્યક્તિને કાંઈ

 પણ બોલવાનો શો અધિકાર છે? વણમાગી સલાહ શામાટે લોકોને આપવી

 ગમતી હશે? હા, માતા પિતા વિચારીને બાળકોનું ભલુ ચાહે તે અલગ

 વાત છે.

         આજના જમાનામા જુવાનિયાઓ ૨૫, ૩૦ કે ૩૫ વર્ષ સુધી લગ્ન

 માટે તૈયાર નથી હોતા. યા તો મનગમતા સાથી મેળવવા માટે તકલીફ

 ભોગવતા હોય છે. તે સમયે પ્યાર કરીને યા તો પસંદગીથી પરણેલા

 છૂટા પડે છે. બાળકોના ભવિષ્યનો વિચાર સરખો તેમને આવતો નથી?

    જ્યારે કુદરત તેમને અલગ કરે છે ત્યારે માનવના હાથ હેંઠા પડે છે .

 તેના લેણદેણ ખતમ થયા હોય છે. તે સમયે ઉંમર કે સ્થળ કશાની

 વિસાત હોતી નથી. હા આ મુદ્દો ખૂબ નાજૂક છે. સવાર હોય કે સાંજ

 ઘરમા હોઈએ કે નોકરી પર બધે આ જ વાતની ગરમા ગરમ ચર્ચા

 થતી હોય છે.

       સહુને પોતાની રીતે જીવવાનો હક્ક છે, આ ૨૧મી સદીમા તો ખાસ.

  વિછડેલાંના હૈયા ઘવાયેલા હોય છે. કોઈની સહાય ન કરી શકીએ તો

 વાંધો નહી. તેને દુઃખ પહોંચાડવાનૉ ઈજારો પ્રભુએ આપણને નથી આપ્યો.

 માનવ તરીકે આપણે જન્મ લીધો છે કિંતુ માનવીની પદવી દરેકે પ્રયત્ન

 કરીને પામવી પડે છે. સુખ અને દુઃખ સિક્કાની બે બાજુ છે. એક જણ સુખી

 હોય તો અવશ્ય યાદ રહે જરૂર બીજું કોઈ દુઃખ ને પામ્યું હશે. 

      જ્યારે પણ પ્રસંગ સાંપડે અને આવી વ્યક્તિની મુલાકાત થાય ત્યારે

 તેના પેગડામા પોતાના પગ નાખી જોજો. જરૂરત હોયતો ‘બે શબ્દ’ બોલી

 તે શાતા પામે તેવો પ્રયત્ન આદરજો. નહીં તો ‘મૌનં પરં ભૂષણમ’ અખત્યાર

 કરજો.

યોગ – કર્મયોગ

July 15th, 2009 by pravinash 3 comments »

    કર્મ, ખૂબ જ સાધારણ કિંતુ પ્રચલિત શબ્દ છે. કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા

વગર એક પળ પણ ન રહી શકે. પ્રકૃતિના ગુણોથી સંકળાયેલ દરેક વ્યક્તિ

કર્મ અનાયાસે કરતી જો હોય છે. કૃષ્ણ ભગવાન ગીતામા કહે છે કે “માનવ

કર્મ ન કરવાથી યા તેમા નિષક્રીયતાથી (તેનો ત્યાગ કરવાથી) સંપૂર્ણ સિધ્ધિને

મેળવી શકતો નથી.

   કર્મયોગમા આગળ વધવાના પગથિયા છે તમસ, રાજસ, સત્વ, ગુણાતીત

અને અંતે સિધ્ધિ. મોક્ષ જેનું અંતિમ ચરણ છે.

      મૂઢ વ્યક્તિ કર્મ ન કરે પણ વિચારોથી તેમા ઉલઝ્યો રહે તેને શું ? તામસિક

વ્યક્તિનું આચરણ કાંઈક આવું જ જણાશે. જે કોઈ પણ કાર્ય વગર વિચારે શરૂતો

કરે પણ તેને પરિણામની અથવા માર્ગમા આવતી મુસ્કેલીઓની કોઈ ગતાગમ

ન હોય. જે કાર્ય કરતા કદાચ ઘાયલ થવાય યા ખોટ પણ અનુભવવી પડે. તે

વ્યક્તિ કદાચ કાર્ય કરવાની ક્ષમતા પણ ન ધરાવતી હોય.  

      બીજું ચરણ છે રાજસિક જે વ્યક્તિમા ખૂબજ ધગશ અને ઉત્સાહ ભર્યા હોય. તે

કોઈ પણ ભોગે તે કરીને જ ઝંપે. જે કાર્ય સાથે વ્ય્ક્તિનો અહંકાર સંકળાયેલો હોય. કર્મ

પ્રત્યે લગાવ હોય. કર્મ પાછળ આંધળી દોટ મૂકે તેની રાહમા આવતા પ્રતિકારને પણ

ગણકારે નહી.

     જ્યારે સાત્વિક ગુણ ધરાવતો માનવી બધી બાજુથી પ્રશ્નની છણાવટ કરે. તેના ફાયદા

 યા ગેરફાયદાનો અભ્યાસ કરે. જે કાર્યમા તેનો સ્વાર્થ ન છુપાયેલો હોય તેનો ખ્યાલ રાખે. 

તેમા પ્યારકે તિરસ્કારની ગંધ પણ ન છુપાયેલી હોય. નિઃસ્વાર્થપણે તે કર્મ આચરતો હોય.

    ગીતાનો અતિપ્રચલિત અને સર્વજનોને વિદિત શ્લોક છે. 

                    कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन

                    मा कर्मफलहेतूर्भूमा तेसङग्स्त्वकर्मणि

    કર્મ શું છે અને અકર્મ શું છે તેનો ભેદ જાણવો આવશ્યક છે. કયું કર્મ હાનિ કરતા છે

 તે જાણવું આવશ્યક છે. કર્મ જારી રાખવું ફાયદા યા નુક્શાનની પરવા કર્યા વગર. યોગમા

સ્થાપિત મનવાળી વ્યક્તિ ચિત્તની સમતા જાળવી કર્મ અવિરત ચાલુજ રાખે. જે વ્યક્તિ કર્મમા

અકર્મ અને અકર્મમા કર્મને ભાળે. જેને ખબર હોય અને કર્મ ફળની આશાનો મોહ ન રાખે.

 કર્મ વહેલું કે મોડુ ફળ આપેજ છે એ કુદરતનો નિયમ છે. કિંતુ કર્મ ફળમા તેની આસક્તિ

 ન હોય.

     જ્યારે ગુણાતીત વ્ય્ક્તિ સર્વથી પર હોય. તેને ખબર હોય  કે કમેની ગતિ ગહન છે.

 તેના કર્મમા હંમેશા કુશળતાની ઝાંખી થશે. તેનામા સમત્વ જણાશે. સફળતા યા નિષ્ફળતા

 તેને ડગાવી નહી શકે. કર્મયોગી તો બસ તેનું કર્ય ક્રતો રહેશે. એક વાત હું અંહી જણાવીશકે

 યોગના ચારેય રસ્તા એકબીજાની સાથે સંકળાયેલા છે. કમયોગી હોય તે ભક્ત પણ હોઈ શકે

વિદ્વતામા તેનો જોટો પણ ન જડે. કોઈ પણ રસ્તો અપનાવૉ,  કોઈ પણ રીતને આચરો. અંતે જેમ

 દરેક નદી સમુદ્રને મળે છે તેમ યોગના બધા રસ્તા મોક્ષના દરવાજાને જ ખટખટાવે છે.

           મોક્ષની પ્રાપ્તિ એટલે જ્યાં પરમ શાંતિનો અનુભવ થાય. જ્યાં સત્તા, જ્ઞાન, સ્વતંત્રતા

   નો ત્રિવેણી સંગમ લહેરાય. બસ પમાનંદનું સામ્રાજ્ય જ્યાં ફેલાયેલું હોય. જ્યારે સમુદ્રને નદીઓ

   આવીને મળે છે ત્યારેતે જરા પણ વિચલિત થતો નથી. નદી ખળખળ કરતી વહેતી તેના ઉદરમા

 સમાઈ જાય છે.   પરમ શાંતિનો અનુભવ કરે છે.

      તો માણો કર્મયોગની ભાવના અને તેનાથી થતા અનુભવિને.

યોગ – ભક્તિયોગ

July 14th, 2009 by pravinash 4 comments »

   નામ ઉપરથી ખ્યાલ આવી જાય કે આ રસ્તો કેટલો સરળ છે. કૃષ્ણ ભગવાને

શ્રીમદ ભગવદ ગીતામા કહ્યું છે કે  જ્ઞાની ભક્ત મને ખૂબ વહાલો છે. શ્રીકૃષ્ણ

કહે છે ચાર જાતના લોકો મને ભજે છે. આર્ત, (એટલેકે દુખી)  જિજ્ઞાસુ, જ્ઞાની

અને અર્થાર્થી. (પૈસા માટે)

    ભક્તિ માર્ગનો રસ્તો ભલે સરળ લાગે કિંતુ એક પછી એક પગથિયા સર

કરવા પડે. આસુરી, દૈવી, પ્રેમ, ભક્તિ, સગુણ સાક્ષાત્કાર, નિર્ગુણ સમાધિ

અને મોક્ષ. પ્રભુની કૃપા તો જુઓ તે મુંગાને વાચા આપે છે. લંગડાને

પર્વત ચઢાવી શકવા સામર્થ્યવાન છે. જો તે કૃપા કરે તો સર્વત્ર આનંદ

મંગલ છવાઈ જાય.

  આસુરિ સંપત્તિમા દંભ, દર્પ, અભિમાન, ક્રોધ અને અજ્ઞાન નો સમાવેશ

થાય. દૈવી સંપત્તિ સાથે તેજ ,ક્ષમા, ધૃતિ, શૌચ અને અદ્રોહ સંકળાયેલા છે.

ગીતાના બારમા અધ્યાયમા શ્રીકૃષ્ણ કહે છે. અર્જુન તું તારુ મન મારામા

સ્થિર કર. તારા વિચાર મને સમર્પિત કર. બસ તારો બધો ભાર હું વહન

કરીશ. કાંઇ શંકા કરીશ નહી. તું નિષ્ફિકર થઈ જા.

    પ્રેમ, મારામા આસક્તિ અને સાથે સાથે કુરબાનીની ભાવના. સ્વાર્થ

વગરનો પ્રેમ, અપેક્ષા વિનાનો પ્રેમ. નિર્મળ પ્રેમ એ ભક્તનું મહત્વનું

લક્ષણ છે. ભક્તિમા સમાયેલ છે, સરળ હ્રદય, શરણાગતિની ભાવના

પ્રેમ પ્રભુને માટે . ઉત્કંઠા તેના દર્શનને કાજે.

   સગુણ સાક્ષાત્કાર અને પ્રભુના દિવ્ય દર્શન. વિરાટ સ્વરૂપ નિહાળવા

જોઈએ દિવ્ય ચક્ષુ. જે સ્વરૂપમા શ્રધ્ધા હોય તેના સાંગોપાંગ દર્શન. 

  નિર્ગુણ સમાધિ જેમા ભલે તેનો કોઈ આકાર ન હોય. બસ બ્ર્હમનનું

 ચિંતન. તેમા એકાકાર થઈ જવું તે. ન દુખનું અસ્તિત્વ કે ન સુખની

આકાંક્ષા. ન કોઈ ઇચ્છા ન આપેશા. બસ બધા ધર્મ ત્યજી શ્રીકૃષનું

શરણું સ્વિકારવું. જો આમ શ્રીકૃષ્ણમા આસક્ત થવાય તો અંત કાળે

તેમને પમાય.

   આખું બ્ર્હમાંડ, જેમા સમગ્ર વિશ્વનો સમાવેશ થયો છે. અંતે મોક્ષ

પામવનો રસ્તો સામે ખુલી જશે. મોક્ષ એટલે સ્વતંત્રતા, શાંતિ,

શક્તિ અને જ્ઞાન. સંપૂર્ણ શાતિ ,પરમાનંદ  તુરિય અવસ્થા.

   આ છે ભક્તિયોગ હ્રદયના સર્વે બંધનોને તોડી માત્ર લાગણીના

પ્રવાહમા વહેતો ઈશ્વરને પામવાનો એક માત્ર માર્ગ.

યોગ – રાજયોગ

July 11th, 2009 by pravinash 1 comment »

         ‘અમે યોગના ક્લાસમાં જઈએ છીએ.’ સાધારણ વાક્ય છે. કિંતુ છેલ્લા દાયકાથી ખૂબ

  પ્રચલિત છે. આ યોગ શિખવા હ્યુસ્ટનથી બેંગ્લોર સુધીની સફર ખેડી, આપની સેવામા હાજર.

  ચાલો ત્યારે યોગ વિશે વાંચવા તૈયાર થઈ જાવ.

           અંહી હું તમને રાજયોગ વિષે પહેલાં જણાવીશ. યોગ નો અર્થ છે युज्यते अनेन इति

योगः  संस्कृत મા युज નો અર્થ છે જોડવું તે. રાજયોગના આઠ અંગ છે . પહેલા પાંચ યમ,

નિયમ, આસન,  પ્રાણાયામ અને પ્રત્યાહાર. તે બહિરંગ કહેવાય. બાકીના ત્રણ ધારણા, ધ્યાન

 અનેસમાધિ. જે અંતરંગ   કહેવાય. હવે આજના જમાનામા આપણે આસન કરીએ તેને યોગ

નું નામ આપ્યું છે. જે હકીકતમા સત્યથી  વેગળું છે. સ્વામી વિવેકાનંદે તેને ખૂબ પ્રચલિત કર્યો.

રાજયોગને “ઈચ્છા શક્તિનો” દૃઢ માર્ગ કહી શકાય.   ચાર પ્રકારના યોગના માર્ગ, કોઈ પણ

વ્યક્તિ અનુસરી શકે છે. આમ જોવા જઈએતો એ કોઈ સખત વિભાગ  નથી. દરેક માર્ગ એક

બીજા સાથે સંકળાયેલા છે. કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ અને જ્ઞાનયોગ. કોઈ પણ એક

  માર્ગ અનુસરો ધ્યેય તેનો એકજ છે. 

   રાજયોગના ૮ અંગ છે. આસન તેનું ત્રીજુ અંગ ગણાયછે.  

   યમઃ    પાંચ પ્રકાર ૧. અહિંસા, ૨. સત્ય, ૩. અસ્તેય, ૪. બ્રહ્મચર્ય,  ૫. અપરિગ્રહ.

   નિયમઃ પાંચ પ્રકાર  ૧. શૌચ, ૨. તપસ, ૩. સંતોષ, ૪. સ્વાધ્યાય, ૫. ઈશ્વરપ્રણિધાન

   આસનઃ અર્ધકટી ચક્રાસન, પાદહસ્તાસન, હલાસન, ત્રિકોણાસન વિ.—-

   પ્રાણાયામઃ સૂર્યભેદન પ્રાણાયામ, અનુલોમ વિલોમ, ભ્રમરી, યોગીક શ્વસન વિ.—-

   પ્રત્યાહારઃ   ઈંદ્રિયો ઉપર સંયમ

   આ છે બહિરંગ.

    ધારણાઃ देशबंध चित्तस्य धारणा

   ધ્યાનઃ तत्र प्रत्यय एक तनता ध्यान

  સમાધિઃ तदेव अर्थमात्र निर्भयम स्वरुप शून्यम इव 

   ફરી પાછા મળીશું. જરુરથી વાંચજો. ખૂબ જાણવા મળશે.

યોગની સાધના

July 8th, 2009 by pravinash 3 comments »

    ૧૭મી જૂન ૨૦૦૮, અમેરિકાથી રવાના થઈ  આપણા ભારત દેશ જવા માટે.

૩૧ વર્ષના અમેરિકાના વસવાટ પછી ભારતમાં લાંબાગાળા માટે રહેવા જવાની

અંતરની અભિલાષા પૂર્ણ થઈ. બેંગ્લોરથી ૪૦ કિલોમિટર ‘જીગની’ નામે ગામ છે.

ત્યાંથી ત્રણ  કિલોમિટર દૂર ‘સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થા’ નામની 

યુનિવર્સિટીમા યોગનો અભ્યાસ કરવા સફળ થઈ.

       મિત્રો તમે નહી માનો એક વર્ષ ક્યાં પૂરૂ થઈ ગયું તે ખબર પણ ન પડી.  

ખૂબ સાદગી ભર્યું જીવન આપણી ભારતમાની ધરતીની સોડમ, એક એક ક્ષણ

ને મેં માણી.   સાથે હતો યોગનો અભ્યાસ. બસ પછી તો પૂછવું જ શું. દરરોજ

સવારે સવાચાર વાગે ઉઠવાનું અને રાતના સાડાઆઠ વાગ્યા સુધીનો ભરચક

કાર્યક્રમ. હા, ખોટું નહી બોલું શરુઆતમા જરા ભણવા માટે તકલીફ પડી પણ

પછી ધીરે ધીરે ટેવાઈ ગઈ.

     અમેરિકાતો સ્વપનામા પણ યાદ આવતું ન હતું. મારા વર્ગના વિદ્યાર્થી મારા

કરતા અડધી ઉંમરના છતા ખૂબ પ્રેમ અને આદર સહિતનું તેમનું વર્તન દાદ માગી

લે તેવું હતું. મને તેમની સંગે જરા પણ અજુગતું ન લાગ્યું. ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ પ્રેમ

પામી. ઈશ્વરના લાખ લાખ ઉપકારકે મને આ ઉંમરે આવી સદબુદ્ધિ આપી અને આ લાહવો

મેં માણ્યો.

     યોગની સંસ્થા ખૂબ જ સુંદર છે. સ્થળ ખૂબ રળિયામણું છે. સ્વામી વિવેકાનંદનું પૂતળું પણ

ભવ્ય છે. જો તમે ખૂલ્લા દિલે ત્યાં જશો તો હર પળ, હર ક્ષણ ને માણી શકશો. અધૂરામા

પૂરુ ત્યાં તમને ન મળે દૈનિક સમાચાર પત્ર કે ટેલીવિઝન. શહેરની ધમાલથી દૂર તેથી ગાડી,

ઘોડા, રિક્ષા કે ખટારાની કોઈ રમઝટ નહી.

         બસ બાકીનું તમારા પર છોડું છું. કલ્પના કરીલો ૨૧મી સદીમા કે એ જગ્યા કેવી અલૌકીક

હશે. હવે પછી મળીશ ત્યારે ‘યોગ’ ઉપર પ્રકાશ પાડતા લેખો દ્વારા.

ગુરુ પૂર્ણિમા

July 7th, 2009 by pravinash 2 comments »

गुरु हमारे मन मंदिरमे गुरु हमारे प्यार

सारे विश्वका वो है दाता नारायण भगवान

ॐ गुरुदेव जय गुरुदेव

गुरु हमारे तन मन सब है गुरु हमारे प्राण

ज्ञान भक्तिका वो है दाता नारायण भगवान

ॐ गुरुदेव गय गुरुदेव

गुरु हमारे धन-दौलत है गुरु हमारे प्यार्

सारे विश्व को ज्ञान प्रदाता नारायण भगवान

ॐ गुरुदेव जय गुरुदेव

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.