જ્ઞાનયોગ

July 20th, 2009 by pravinash Leave a reply »

    કૃષ્ણ ભગવાન પુકારીને કહે છે કે મારા બધા ભક્તોમા જ્ઞાની ભક્ત

મને સહુથી વહાલો છે. કૌરવો ખૂબજ લોભી હતા. સોયની અણી પર ટકે

એટલી જમીન પણ પાંડાવોને આપવા રાજી ન હતા. તેથી જતો કુટુંબીજનો

વચ્ચે મહાભારતનુ યુધ્ધ જામ્યું.

  જ્ઞાનયોગનો માર્ગ સર કરવા માટે શ્રવણ, મનન, નિધિધ્યાસન, જ્ઞાન,

 જીવન મુક્તિ, સિધ્ધ સ્થિતિ અને અંતે વિદેહ મુક્તિ એ બધા પગથિયા

 પરથી ગુજરવુ પડે. મોક્ષની પ્રાપ્તિ થાય.

      સફળતા પામવા માટે જ્ઞાન મેળવવા માટે પ્રશ્ન પૂછવો આવશ્યક

    છે. શ્રવણ કરવું ,સત્યને પામવું અને જ્ઞાનની પ્રાપ્તિ કરવી.

  મનન કરવું. આત્મા વિશે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું. આત્મા કદી મરતો

  નથી, કદી જન્મ લેતો નથી, કદી પલળતો નથી, તે શાશ્વત છે. શસ્ત્ર તેનો

  નાશ કરી શકતા નથી, અગ્નિ તેને બાળી શક્તો નથી, આત્મા સર્વત્ર પ્રવર્તે

  છે. તે અમર છે.

     આત્મનિરિક્ષણ દ્વારા તેને જાણવો પડે છે. નિધિધ્યાસન દ્વારા ત્રણે ગુણોથી

  તે પર છે તે સમજાય છે. સત્વ, રજસ અને તમસ નો ત્રિવેણી સંગમ દરેક

   વ્યક્તિમા હોય છે. હા, તેની માત્રા નું પ્રમાણ અલગ અલગ હોવાનું.

   માનવ સર્વે કામેછાથી પર થઈ જાય છે ત્યારે  તેને   આત્મ સંતોષ

  પ્રાપ્ત થાય છે. તેની ઈચ્છાઓ પર અંકુશ આવે છે. તનું હ્ર્દય

  નિર્મળ બને છે.

     જ્ઞાન પ્રાપ્તિ થાય છે જ્યારે તે સ્વની સાથે સંતુષ્ટ હોય છે.

સારા નરસાની તેને જાણ રહે છે. વસ્તુ અથવા તો મોહના ફંદામા

 તે ફસાતો નથી. આસક્તિ, ઈચ્છા, મોહ અને ક્રોધ તેને ચલાયમાન

 કરી શકતા નથી.

    દ્વંદ્વથી વિમુક્તિ પામે છે. રાગ દ્વેષ અગર સુખ દુઃખથી તે પર થઈ

 ગયો હોય છે.  ડર અથવા તો હરખ શોક તેની નજદીક સરી શકતા નથી.

 વિવેક બુધ્ધિ સતત સજાગ હોય છે. જીવન મુક્તિનું આ પગથિયું ખૂબ

 સાચવીને પ્રાપ્ત થયા પછી તે સિધ્ધ સ્થિતિને મેળવવા ભાગ્યશાળી

  બને છે.

     તેમાં તે હંમેશા નિજાનંદમા મગ્ન રહે છે. કોઈ પણ જાતનું દુઃખ

  યા સુખ તેને ચલાયમાન કરવામા નાકામયાબ રહે છે. સંપૂર્ણ રીતે

  જગતના સર્વ બંધનોથી મુક્તિ અનુભવે છે. સિધ્ધ સ્થિતિને પામ્યા

  પછી મોક્ષના દ્વાર તેના માટે ખૂલી જાય છે.

       દેહના સર્વ દરવાજા બંધ હોય, સમતા ધારણ કરી હોય, જગતના

  કોઈ પ્રલોભનો સાથે તેને કોઈ લેવા દેવા રહેતી નથી. બસ તેનું સકલ

   અસ્તિત્વ કૃષ્ણમય બની જાય. આનંદ, પરમાનંદમા તે સમાઈ જાય.

      જ્ઞાનીભક્ત તેથીજતો કૃષ્ણ ને ખૂબ પ્રિય છે.  જ્ઞાની અહંકારી ન બને

 તેનું ધ્યાન રહે. તેનામાં ભક્ત્ના લક્ષણ પણ સમાયેલા હોય. તે કર્મમા

 પણ પ્રવૃત્ત હોય અને તેની ઈચ્છાશક્તિ પણ મજબૂત હોય.

      ચરેય માર્ગ એકબીજા સાથે સંકળાયેલા છે તે યાદ રહેવું

 અગત્યનું છે,

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.