એક વખત ઇરાનના સોદાગરને ભારત આવવાનું થયું. તેણે
પોતાના દરેક સંબંધી અને કુટુંબીને ભારતથી શું લાવવું તે પૂછ્યું
અને તે તે વસ્તુઓ લાવી આપવા વચન આપ્યું. તેની પાસે એક
પ્યારો પોપટ હતો. સોનાનાં પિંજરામાં તેણે તેને રાખ્યો હતો.બહુ
જ મીઠું બોલતો, સમજતો અને સૌનું મન હરી લેતો;મીઠી મીઠી
વાતો કરી તેને રોકી રાખતો. સોદાગરે તેને પૂછયું; ભારતથી તારે
માટે શું લાવું?
પોપટે કહ્યું; ભારતમાં આપ મારા મિત્રોને મળજો અને એ પોપટ
પાસે હું શી રીતે મુક્ત થઉં તે પૂછી લાવજો.અલબત્ત, એ વાત આપ
મારા પહેલાં જાણી લેશો અને હું મુક્ત ન થઈ શકું તે માટે ઉપાય કરવાનો
આપને પૂરતો સમય હશે,ીટલે મારી આ માગણી અનુચિત નથી.
સોદાગર ભારત આવ્યા. પોતાના ગાલીચા,મેવા વગેરે માલ વેચીને ઘણે
સમયે ઘર તરફ આવવા નીકળ્યો. સૌ માટે તેણે ભેટ ખરીદી હતી.રસ્તે
જંગલમાં તેણે પોપટ જોયા અને પેલો પોપટ યાદ આવ્યો.
તે પોપટ પાસે જઈ તેણે પૂછયું;’ભાઈઓ તમારો એક ભાઈ મારે ત્યાં
સુવર્ણને પિંજરે મોજથી રહે છે. તેણે પૂછાવ્યું છે કે તેની મુક્તિનો ઉપાય શો?’
આ સાંભળી સર્વ પોપટ ઊડી ગયા, પણ એક પોપટ તો આ વાતના આઘતથી
બેહોશ થઈ ઢળી પડ્યો અને મરણ પામ્યો.સોદાગરને દુખ થયું. તે તો ઉદાસ
થઈ, મરેલા પોપટને ત્યાં જ છોડી દઈ ઘર તરફ આવ્યા.તેણે પોતાના પોપટ ને
આ દુખદ સમાચાર ન આપવા એમ નક્કી કર્યું. એટલે તેણે ઈરાનથી આવી સર્વને
તેની ભેટો આપી, પણ પોપટને મળવા જ ન ગયો.પણ એવું કેટલા દિવસ ચાલે?
એક દિવસ તો તે પોપટના ઓરડામાં જઈ પહોંચ્યો.પિંજરા સાથે પોતાની ચાંચ
ઘસતા સોદાગર પાસે પોતાની મુક્તિની વાત પૂછી; હવે તો મને મુક્ત ન થવા
દેવાના સઘળા ઉપાય કરી લીધા હશે. તો કહો તો ખરા, ભારતના મારા ભાઈઓએ
મુક્તિ માટે શો ઉપાય બતાવ્યો. સોદાગરે ઉદાસ ચિત્તે કહ્યું; ભાઈ,એ વાત પૂછીશ
તો દુખ થશે. તારા મિત્રોને મેં તારી કેદની વાત કરી તો તે વખતે જ એક પોપટ
તે સાંભળી બેહોશ થઈ મ્રુત્યુ પામ્યો……’
સોદાગરે આટલું જ કહ્યું ત્યાં તેનો પોપટ પાંજરામાં બેહોશ થઈ ઢળી પડ્યો.
જોતજોતામાં તેનો પ્રાણ ચાલ્યો ગયો. સોદાગર દુખી થયો. પિંજરું ઉઘાડી
તેણે મ્રુત્યુ પામેલા પોપટને આંગણામાં મૂક્યો. ત્યાં જ પોપટ ઊડીને સામે કાંગરે
બેઠો.સોદાગર તાજ્જુબ થયો,ત્યારે પોપટે ઠાવકાઈથી કહ્યું; હે સોદાગર! તેં
જ્યારે મારા જાતભાઈને ભારતમાં મુક્તિનો પ્રશ્ન પૂછયો ત્યારે તે આઘાતથી મરી
ગયો નહોતો. તેણે મને સંદેશો આપ્યો હતો કે મરવાની ચેષ્ટા કર તને મુક્તિ મળશે.
તેથી મેં પણ મરવાની ચેષ્ટા કરી અને તેથી તેં મને મુક્ત કર્યો.
‘મુક્તિ’ માનવીનાં મનમાંથી સાભાર
February 7th, 2007 by pravinash Leave a reply »
Advertisement
bahu j saras vaat
really a nice story… keep it up
i luv to read lil stories.. especially the one who gives a speacial message to the masses