મુસિબતોથી,દુખથી,દર્દથી, અવહેલનાથી, અસત્યથી, નિંદાથી
યા શરમથી નહીં. ભૂતાવળ સમ ભૂતકાળથી. ભૂતકાળ ભૂલ્યા તો
સુખી નહીતર તમારું જીવન બનશે અસહ્ય. યાદ કરી તેને
વાગોળવાનો કોઈ અર્થ નથી.હા જો કદાચ ભૂતકાળ રંગીન હોય તો
તેમાં રચ્યાપચ્યા રહેવાથી પણ શો લાભ?
એમાંય જો ગમગીન હોય તો તે આવનાર સુખનાં માર્ગમાં રોડાં
નાખવા શક્તિમાન બને છે. મન તો મર્કટ છે. તેને અંકુશમાં
રાખવું અતિ દુર્લભ છે.જ્યારે જ્યારે મન કાબૂમાં ન રહે ત્યારે
તેને પાછા વાળવાનો પ્રયત્ન ચાલુ રાખવો. મન ને નથી નડતી
કોઈ સીમા યા બંધન. મન હંમેશા તેની મરજી મુજબ જ વિચારે છે.
મનફાવે ત્યાં વિહાર કરે છે.
મનુષ્ય દરેક વ્યક્તિ જનમ પામતાંની સાથે બને છે. માનવ
તેણે પ્રયત્નોથી પૂરવાર થવું પડે છે.મનુષ્યને તેનાં ગુણધર્મો વારંવાર
સહજ કાર્યો કરવા પ્રેરે છે. કાર્યદક્ષતા તેણે કેળવવી પડે છે.
ભૂતકાળ ભૂલવામાંજ તેની મહાનતા છૂપાયેલી છે. તે તો તેના
જીવનનો ઈતિહાસ છે. ભવિષ્યકાળમાં શું બનશે તે લાખ પ્રયત્નો
કરવાં છતાં પણ તે પામી શકવાનો નથી. તો પછી પ્રભુ વર્તમાનકાળ
માં જે પણ અર્પે તેનો હસતે મુખડે સ્વિકાર કરતાં શામાટે ખચકાય છે.
સુવર્ણમય વર્તમાન જ ભવ્ય ભવિષ્યમાં ફેરવાશે. ભૂતકાળનાં ગાણાં
ગાઈ વર્તમાન ડહોળવું તે નરી મૂર્ખતા છે.ઝળહળતાં ભવિષ્યનાં
પાયામાં સંગીન વર્તમાન સિમેન્ટનું કાર્ય કરશે.
ભૂલો અને ભાગો. ભૂતકાળનાં અઘટિત બનાવો ભૂલો. ભૂતકાળ
ભૂલવા માટે સર્જાયો છે.તેમાં રાચવા માટે નહીં.ભૂતકાળનાંઅણસમજ
અંધકારથી ભાગો.તેની સોનેરી ક્ષણો ભૂલવા મથશૉ તો પણ નહીં
ભૂલાય. વર્તમાનમાં જીવો, ભવિષ્ય સંવારો.
ભાગો
January 15th, 2007 by pravinash Leave a reply »
Advertisement