જે વહે તે જળ
જે વીતે તે જીવન
જે આવે તેનું હોય ગમન
જેનો હોય અહેસાસ તે ઈશ્વર
શાંતિ હ્રદયમાં સૂતી છે.
જ્ઞાન અને શિસ્ત સફળતા અપાવે છે.
વાતોના વમળમાંથી બહાર નીકળ
મૌનનાં મહાસાગરમાં ડૂબકી માર
અહંના તાળાની કૂંચી છે ‘વિનય’.
હું ને બદલે ‘ઑંમ’ નું ઉચ્ચારણ
કરીએ તો
વાતાવરણમાં પવિત્રતા ફેલાઈ જાય.
‘સુ-સંસ્કાર’ જીવનની ઈમારતનો પાયો છે.
પ્રવ્રુત્તિ અને નિવ્રુત્તિ ની વચ્ચેના
ગાળા નું નામ છે ‘થાક.’