યોગ સાધના–૭

November 28th, 2009 by pravinash Leave a reply »

યોગ  સાધના–૭

સૂત્રઃ ૨૬ સ પૂર્વેષામપિ ગુરુઃ કાલેનાનવચ્છેદાત

                  स पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात

        તે ગુરુના ગુરુ છે. જે આદિ ગુરુ તરીકે ઓળખાય છે.

         જેને સમયની મર્યાદા કે બંધન નથી. ઋષિ પતાંજલી

         કહે   છે ,ગુરુના ગુરુ સમયના બંધનથી પર છે.

 સૂત્રઃ ૨૭  તસ્ય વાચકઃ પ્રણવઃ 

                   तस्य वाचकः प्रणवः

           શબ્દ જે પ્રણવ દ્વારા પ્રસ્તુત થાય છે.

           ‘ઓમ’ ના ધ્વનિમા આંદોલિત છે.

 સૂત્રઃ ૨૮ તજ્જપસ્તવર્ત્ધભાવનમ

                  तज्जपस्तवर्धभावनम

            આ ‘શબ્દ’નું વારંવાર રટણ કરવું. ધ્યાનમા

             બેસી તેના અર્થનો સંદર્ભ જાણવો. (ઓમ)

             ‘ઓમ’ના નાદનું માહત્મ્ય અવર્ણનિય છે.

 સૂત્રઃ ૨૯ તત પ્રત્યકચેતનાધિગમો અપ્યન્તરાયાભાવશ્ચ

                    तत प्रत्यकचेतनाधिगमो अप्यन्तरायाभावश्च

                જેનાથી ‘આત્મન’ વિષે નું જ્ઞાન પ્રપ્ત થાય છે.

                  તે માટેના વિરોધોનું શમન.કરવામાં સાર્થક છે.

                     ઓમ માં ‘અ’ એ મૂળ અક્ષર છે. જે તાળવાના

                      કોઈ પણ ભાગને સ્પર્શ કર્યા વગર બોલી શકાય

                     છે. ‘મ’ બોલતી વખતે બંને હોઠોનું મિલન અનિવાર્ય

                   છે. ‘ઉ’ મુખના મૂળથી શરૂ થઈ અગ્રભાગ સુધી ફેલાય છે.

                     આમ ‘ઓમ’ શબ્દ સર્વ ભાગમા પ્રવર્તે છે. અવાજ માટે

                    વપરાતા દરેક અવયવ (મુખના) ‘ ઓમ’ ના ઉચ્ચાર

                    માટે વપરાય છે. ‘ઓમ’ એ પવિત્ર શબ્દ છે. તેની દૈવી

                    શક્તિનો પ્રતાપ અલૌકિક છે. વારંવાર તેનું રટણ અને

                     તેમાં મગ્ન થવું યા ધ્યાન કેંન્દ્રિત કરવું શુભ પરિણામ

                      લાવે છે. ‘જપ’માં લીન થવાથી મગજ શાંતિને પામે છે.

                      તેમા આત્મસાત થવાથી ઈશ્વરની પ્રાપ્તિનો માર્ગ સરળ

                      બને છે.

 સૂત્રઃ ૩૦    વ્યાધિ-સ્ત્યાન-સંશય-પ્રમાદાલસ્યાવિરતિ-ભ્રાન્તિદર્શના-

                   લબ્ધભૂમિકત્વાનવસ્થિતત્વાનિ ચિત્તવિક્ષ્રેપાસ્તે અન્તરાયાઃ 

                  व्याधि-स्त्यान-संशय-प्रमादालस्याविरति-भ्रान्तिदर्शना-

                  लब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपास्ते अन्तरायाः

                  બિમારી, માનસિક આલસ્ય, શંકા, ઉત્કંઠાનો અભાવ, બેચેની,

                  કામુકતા, ખોટા વિચાર, એકાગ્રતાનું ખંડન અને ચંચળતા વિ.

                  જ્ઞાનમાં બાધા રુપ છે.

                        જ્ઞાનના માર્ગને રૂંધનારા આ સર્વ રસ્તા છે.

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.