યોગ સાધના- ૪
સૂત્રઃ ૧૧ અનુભૂતવુષયાસમ્પ્રમોષઃ સ્મૃતિઃ
अनुभूतविषयासम्प्रमोषः स्मृतिः
જ્યારે પદાર્થ સામે આવે ત્યારે ભૂલાય
નહી પણ અંતરમા તેની યદ તાજી થાય.
યાદદાસ્ત એ વિચારોનો પ્રકાર છે. જેમકે
ઘણી વાર સ્વપના દ્વારા સ્મૃતિ પમાય છે.
સૂત્રઃ ૧૨ અભ્યાસવૈરાગ્યાભ્યાં તન્નિરોધઃ
अभ्यास्वैराग्याभ्यां तन्निरोधः
અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેના
પર અંકુશ લાવી શકાય છે.
સૂત્રઃ ૧૩ તત્ર સ્થિતૌ યત્નો અભ્યાસઃ
तत्र स्थितौ यत्नो अभ्यासः
વારંવાર તેનું શિસ્તબધ્ધ આચરણ
કાયમ માટે મનના વિચારો પર
અંકુશ આણે છે.
સૂત્રઃ ૧૪ સ તુ દીર્ઘકાલનૈરન્તર્યસત્કારાસેવિતો દ્રુઢભૂમિઃ
स तु दीर्घकालनैरन्तर्यस्त्कारासेवितो द्रढभुमिः
લાંબા કાળ દરમ્યાન વિના વિઘ્ને અને પૂર્ણ પણે
દિલ મૂકીને અભ્યાસ કરવાથી તે દઢતા પૂર્વક સ્થિર
થાય છે.
સૂત્રઃ ૧૫ દષ્ટાનુશ્રવિકવિષયવિતૃષ્ણસ્ય વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ
दष्टानुशविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम
અનાસક્તિ એ પોતાની શક્તિ છે. જોએલી અને સાંભળેલી
ઈછાઓથી મુક્તિ. ઈચ્છા ઉપર નિયંત્રણ આવે ત્યાર પછી
આધ્યાત્મિકતા આચર્વી અનુકૂળ પડે. મન તેનાથી અશાંત
અને આળું બને છે. તેથી ઈચ્છા પર અંકુશ આવશ્યક છે.