યોગ સાધનાની શરૂઆત સાથે આપણે સમજીશું યોગ વિષે જરા બારીકાઈથી.
આપણા ઋષિ પતાંજલી શેષનાગનો અવતાર માનવામાં આવે છે. તેમણે
૪૦૦૦ વર્ષ પૂર્વે “યોગ સૂત્રો” આપણને આપ્યા. ‘યોગ’ આપણે ત્યાં આદિ અને
સનાતન કાળથી ચાલ્યો આવે છે. વેદ, ઉપનિષદ સર્વેમાં તેનું ઉચ્ચ સ્થાન છે.
‘યોગી’ શબ્દ કોઈ પણ ભારતિયથી અજાણ્યો નહી હોય. આજ કાલ પશ્ચિમમા
તેનો વાયરો વાયો છે. તેમણે બધા સૂત્રો એકત્રીત કરી ચાર ભાગમાં વહેંચી
દીધા.
સમાધિ પાદ (૫૧ સૂત્ર), સાધના પાદ (૫૫ સૂત્ર), વિભૂતિ પાદ
(૫૬ સૂત્ર) અને કૈવલ્ય પાદ (૩૩ સૂત્ર). કુલ મળીને ૧૯૫ સૂત્ર તારવ્યા.
સૂત્ર એટલે શું? સૂત્ર એટલે ‘દોરો’. જે ખૂબ નાજુક છે કિંતુ એક બીજાને
સાંકળવાનું કાર્ય અતિ સહેલાઈથી કરે છે. મોતી ને જો દોરોમાં પરોવીએ
તો સુંદર માળા તૈયાર થાય. તે પ્રમાણે માત્ર થોડા કિંતુ સરળ શબ્દોથી
‘સૂત્ર’ તૈયાર થાય અને ગુઢ વાત સમજાવી જાય.
योग किसे कहते है
युज्यते अनेन इति योगः
જે જોડે છે તેને યોગ કહેવાય છે.
આત્માને પમાત્મા સાથે, શરીરને મન સાથે, વિ.
શ્રીમદ ભગવદગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે
योगः कर्मषु कौशलम
કાર્યમા પવીણતા અને ચોકસાઈ તે યોગ કહેવાય.
योगः समत्वम उच्यते
યોગી સમતા પૂર્વક બોલે છે.
ઋષિ વશિષ્ઠ કહે છેઃ
मनः प्रशमनोपायः योग इत्याभिधीयते
યોગ એ સુંદર કળા છે જેનાથી મન પર અંકુશ આવે છે.
સ્વામિ વિવેકાનંદના મત અનુસારઃ
“દરેક આત્મામા પવિત્ર શક્તિ છે. તેનો સાક્ષાત્કાર કરવા માટે આંતરીક અને
બાહ્ય પ્રયત્નો કરવા જોઇએ. તે કાર્ય, ભક્તિ, આધ્યાત્મિક યા માનસિક પ્રયત્નથી
સફળ થાય છે.”
શ્રી અરવિંદ કહે છેઃ
સંપૂર્ણતા પ્રાપ્ત કરવા કાર્યરત રહેવાની શક્તિ દરેક વ્યકિત્માં ઈશ્વર દત્ત છે.
યોગ નું મૂળ સાંખ્ય ફિલસૂફીમાં છે. તે ઘણી બધી દિશા સાંકળી લે છે. જેમે કે
શારિરીક આસન, શ્વાછોશ્વાસ, ધ્યાન, શુધ્ધીકરણ, આધ્યાત્મિક તથા ભક્તિ વિ. વિ.
જેનાથી માનવી સ્વાસ્થ્ય અને સમતા પામવા શક્તિમાન બને છે.