GAZAL

February 4th, 2008 by pravinash 1 comment »

દુઃખ  પડે  ત્યારે  નિસરે  ગઝલ
મલમ  લગાવી ઘા  રૂઝવે ગઝલ

કરે તલવારના ઘા સહેતી ગઝલ
શિરછેદ કરી પાઘડી બાંધે ગઝલ

અતલ ઉંડાણમા શોધતા લાધી ગઝલ
ભલે  નાસમજ  સમજે  છીછરી   ગઝલ

કત્લેઆમ કરે  હરફ ન ભરે ગઝલ
ફના થવાની મઝા માણતી ગઝલ

અબુધની બુધ્ધિમાં ન ઉતરે ગઝલ
શાન આવે ત્યારે સળવળતી ગઝલ
   
મિલનની પળોમાં નાચી ઉઠતી ગઝલ
વિયોગની ક્ષણોમા આંસુ વહાવે ગઝલ

આશા  નિરાશાની  ડાળે ઝૂલે ગઝલ
કડડભૂસ  ટૂટી  ધરાને  ચૂમે    ગઝલ

પાનીના હળવે ઠમકારે રણકે ગઝલ
શબ્દ  સૂણી  કર્ણપટે પીરસે   ગઝલ

સ્પર્શને અણસારે હૈયે ઉતરી ગઝલ
સ્પંદનોના તરંગે ઝોલે ચઢી ગઝલ     

ઉમંગોને હળવે બાથ ભરે ગઝલ
સાકાર થઈ સેજે બિછાવે ગઝલ  

સ્વમાનની શૈયા પર પોઢી ગઝલ
કિરતારને શરણે જઈ ચઢી  ગઝલ
  
વાતમા ને વાતમા પાને અવતરી ગઝલ
આડઆવળા લીટા   કલમે કંડારી  ગઝલ

જાણે અજાણે દર્દ જગાવે ગઝલ
બેકર  જોડી ક્ષમા યાચે  ગઝલ

LOVE

February 4th, 2008 by pravinash No comments »

                                             cauz4hgb.jpg

પ્રેમ પ્યાર્

પ્રેમનું વર્ણન ક્યાંથી શરૂ કરું? જેને નથી આકાર કે જે નથી સાકાર. જેને નથી સુગંધ
કે જેને નથી સ્વાદ. નિરાકાર અને ર્ંગ વગરનો છતાંય અલૌકિક અને અદભૂત. જેનું
વર્ણન અશક્ય નહી પણ નામુમકીન. પ્રેમની પવિત્રતાની શું વાત અંગે અંગ જેની
અનુભૂતી થાય. જેના સ્પર્શની કલ્પના માત્રથી સ્પંદન અનુભવાય છતાં અભડાય નહી.

પ્યાર જ્ઞાન અને બુધ્ધિથી પર છે. પ્રેમ એ એક એવી સ્થિતિ છે કે જે તમને બલુ
કરવા પ્રેરે યા બૂરું કરવા. બે વચ્ચે તફાવત એટલો કે ભલું કરનાર બીજાને ચાહે છે જ્યારે
બૂરુ કરનાર ખુદને.

પ્રેમ તો બસ પ્રેમ છે. કદી પર્વતમાંથી વહેતું ઝરણું નિહાળ્યું છે? કેવું મસ્તીમાં
વહે છે. શું ખબર છે તેને તે કઈ દિશા તરફ આગેકૂચ કરી રહ્યું છે. યા તો તેને તેની
ગતિ નું ભાન છે. છે તેને કોઇ રંગ યા સ્વાદ. છતાંય ખળ ખળ ખળ વહે છે. મારગડે
આવતા પથ્થર, કાંકરા યા ઝાડી સાથે કોઈ સંબંધ નથી. તેનાથી તે મલિન પણ થતુ
નથી. તેનું સૌંદર્ય માણવું તે એક અલૌકિક લ્હાવો છે. બસ આવું જ કાંઇક પ્રેમ વિશે
કહી શકાય.

પ્રેમને શાની ઉપમા આપીશું! પ્રભુની કે પ્રેયસીની? પ્રેમ તો તે બનેથી
પર છે. પ્રેઅસી રૂઠે યા ત્યજે. પ્રેમ એક પક્ષી છે. તે ન રૂઠે ન ત્યજે. તમે
આપો ન આપો તે અવિરત વહે.કોઈ બદલાની ભાવના નહી. કોઈ બંધન નહી.

પ્રેમમા પ્રભુમય થવાય. પ્રભુ રીઝે કે નહી તેની પરવા નહી. માગ્યા
ફળ મળે કે નહી તેની નારાજગી નહી.ો ઈ સોદાબાજી નહી. પ્રેમથી શ્રધ્ધા
અને ભક્તિ બને વધે.

આ પૃથ્વીમા અવતરનાર દરેક મનુષ્ય સાચા પ્રેમનો અધિકારી છે. જો ન
પામે તો આ જીવન ધિક છે.જેઓ પામ્યા તેમના જેવું કોઈ શ્રીમંત નથી. પ્રેમને
હીરા, મોતીથી ન તોલશો! તિજોરીમાં સંઘરેલ નોટોની થપ્પીનું તેની પાસે કોઈ
મૂલ્ય નથી. તે હવાથી હલકો છે. તે પૃથ્વીથી ભારે છે.

બસ પ્રેમ કર્યે જાવ. કોઈ અપેક્ષા વગર————

પૂજ્ય બાપુને પ્રણામ

January 29th, 2008 by pravinash No comments »

images14.jpg        

             

               ૧૯૪૮, જાન્યુઆરીની  ૩૦મી ને એ ગોજારી  રાત. આજે તો એ વાતને ૬૦
        વર્ષ  પૂરા થયા. આપણા  સહુના લાડલા  બાપુઓ આજે આપણી  વચ્ચે નથી.
     તેમને  ભાવભીની  શ્રધ્ધાંજલિ  અર્પણ  કરતા હ્રદય  દ્રવી  ઉઠે છે. એ કઈ  તાકાત
        હતી  જેણે  તેમને આટલી  બધી  અડગતા  અને કોમળતાનું  પ્રદાન  કર્યું  હતું.

      

                 પૂજ્ય બાપુને પોતાના માર્ગની  સ્પષ્ટ જાણકારી હતી. હા, તેમનો માર્ગ બે ધારી
         તલવાર જેવો હતો એમ તે માનતા હતા. છતાંય એ માર્ગ ઉપર તેમણે આનંદ ભેર
         યાત્રા  ચાલુ  રાખી.પ્રભુ પર દ્રઢ વિશ્વાસ હતો. અન્યાયની એક પણ  ઘડી પ્રત્યે
         તેઓ  આંખ  આડા કાન ન કરતાં. આત્મા  અને મન  વચ્ચે હંમેશ તાણ અનુભવતા
          વિજય  હંમેશ  અંતરાત્માના અવાજનો થતો.
            

                             હંમેશા સત્યના આગ્રહી  બાપુ ‘સત્યમેવ જયતે’ ના પૂજારી, તે ખૉળીને
          જંપતા. પોતાની  નબળાઈઓ પ્રત્યે હંમેશા સજાગ હોવા છતાં સ્ત્યનો આગ્રહ કદી
         ત્યજ્યો ન હતો. યા તો તેના પ્રત્યે અવિશ્વાસ જગાવ્યો ન હ્તો.
              

              પ્રભુમાં શ્રધ્ધાએ તેમની  આગવી પ્રતિભા હતી.મનુષ્ય પર પરમ વિશ્વાસનું કારણ
          પ્રભુમાં  વિશ્વાસ તેમ તે માનતા. તેમના જીવનમાં ઘટેલી સર્વ ઘટનાઓનું  શ્રેય
          ઈશ્વર પરના અચળ વિશ્વાસને કારણે શક્ય બન્યું એમ માનતા.તેમના જીવનમાં કશું
          છૂપાવવાનુમ ન હતું. તેમનુ  જીવન ઉઘાડી કિતાબ જેવું. એ ખૂબ દાદ માગી લે
          તેવી વાત છે. સત્ય અને અહિંસા એ બંનેના ચાહક બાપુ પોતાની ક્ષતિઓથી સંપૂર્ણ
          માહિતગાર હતા અને તે પ્રત્યે હંમેશ સજાગ.
        

                સત્યને કદી અસત્યના આંચળા હેઠળ છૂપાવવાનો પ્રયત્ન તેઓ જાણ્યે અજાણ્યે
         ન કરતાં તેથી તેમને સાચા માર્ગનું જ્ઞાન થતું. આત્માનો અવાજ સુણી વર્તનાર બાપુ
         સત્ય ખાતર કોઈ પણ બલિદાન આપતા વિચાર ન કરતા અને તેના પરિણામને હસતે
         મુખે  આવકારતા. અહિંસાના પ્રખર આગ્રહીને કશી બાંધછોડ માન્ય નહ્તી. જીવનમા
         હાર મળે છતાંય  પ્રભુ પરનો વિશ્વાસ ચલિત ન થતો. તે માનતા કે જગતની કોઈ
         પણ તાકાત સત્યથી ઉપર નથી. અસહકારનું ભગીરથ કાર્ય વિશ્વાસના વહાણે બાપુ
        પાર પાડતા. વિશ્વાસભંગ  તેમને ધરમૂળથી હચમચાવી મૂકતો. છતાંય સત્યના આગ્રહી
        બાપુ પોતાના કાર્યનું ધાર્યુ પરિણામ લાવવા શક્તિમાન બનતા.
                

           તેઓ માનતા કે જો સુથાર પોતાના ઓજાર સાથે ઝઘડે તો ધાર્યું પરિણામ કેવી રીતે
         લાવી શકે? આાગેવાની લેવાની પોતાની અશક્તિથી માહિતગાર હતા. અહિંસાના
         આગ્રહી , સત્યના પૂજારી બાપુ પોતાની નબળાઈઓ પ્રત્યે સદા સજાગતા કેળવતા.
     દરેક પ્રાણીમાત્રને આત્મસમ્માન અને સ્વતંત્રતાનો હક્ક છે. સમય અને કાળે આજે
        પૂરવાર કર્યું છે કે પુજ્ય બાપુ તેમના કાર્યમાં સફળ નિવડ્યા.
                                 એવા બાપુને શત શત પ્રણામ.    
  

૨૬ જાન્યુઆરી

January 26th, 2008 by pravinash No comments »

images21.jpg 

        આપણા ભારત દેશને  પ્રજાસત્તાક થયે આજે ૫૮ વર્ષ પૂરા થયા. ખૂબ જ  આનંદની

    વાત  છે. ભારત દેશની પ્રગતિથી  દરેક  ભારતિયનુ મસ્તક  આજે ગર્વથી  ઉંચું છે.

   યાદ રહે  ભારતની  પ્રગતિમાં  જેટલો આજના યુગનો  ફાળો છે. તેટલોજ  યા તો
 
     તેનાથી  વધુ  ભારતની આઝાદીમાં  જાન  ગુમવનારનો ફાળો છે.  અરે, ત્યાર

     પછી  પણ  થયેલી  અનેક  લડાઈમાં  જાન  ગુમાવનાર  હર એક શહિદ  જવાનનો
  
      ફાળો છે.  અને આજે  પણ  સરહદની  રક્ષા કરનાર હરએક સિપાહીની  કિંમત

      કમ  નથી. 

        આજના  ૫૯મા  પ્રજાસત્તાક  દિવસે દરેકની  કુરબાની  યાદ કરતા  તેમને

      નમન. ભારતમાતા  હંમેશા   ખુશ રહે  પ્રગતિને પંથે પ્રયાણ  જારી  રહે તેવી

     ઈશ્વરને  પ્રાર્થના.  આપણા દેશની  આધ્યાત્મિકતા  અને  સંસ્કૃતિ જ  આપણને

     ટકાવી રાખશે.  ૧૮૩૫, ૨જી ફેબ્રુઆરી એ લોર્ડ મેકલેઝે  કહ્યું  હતું  કે ‘ જો ભારત

     પર  બ્રિટિશ  હકુમતનો  ઝંડો  ફરકાવવો હશે  તો  ભારતની  જૂની  અભ્યાસની,
 
    પધ્ધતિ  અને  સંસ્કૃતિને  તોડી ફોડી  નાખી  તેની  જગ્યાએ  અંગેજી ભાષા  અને

        પરદેશી  માલ પ્રત્યે પ્રિતી  દાખલ કરવા  પડશે. તેમનો  આત્મવિશ્વાસ  નાબૂદ

        કરો. તો જ  આપણે  ભારત  પર રાજ્ય  કરી  શકીશું.’

         હવે ,  આપણે  આજે  વિચારવું  રહ્યું  આપણને  શું  ખપે.

          જયહિંદ  જયહિંદ  બોલો  સાથ
                
           કંડાર્યો  છે  સમૃધ્ધિનો  પાથ

            ભારતમાતા કી  જય

નાની મોટી વાત

January 25th, 2008 by pravinash No comments »

. જીવનમાં  નાની  નાની  મુશ્કેલીઓ  આવે તો

  તેનો જવાબ  ગીતા (ભગવદ ગીતા) માંથી મળી

  રહે છે.

      અને

   જો મોટી  મુશ્કેલીઓ  આવે તો  સીતા પાસે જાવ

એ તો એમ જ થાય

January 21st, 2008 by pravinash No comments »

            છોડે    છૂટતું     નથી
            આપોઆપ  છૂટી જાય
            જોડે  જોડાતું    નથી
            સાંધો  રહી     જાય

            વા  વાય ને પાન  ખરે
            વાયરે    ઉડી    જાય
            વા  ખેરવે  વા  ઉડાડે
            વાયરો    વેરી   થાય

            નદી  વેગે   વહે
            ચંચળતા  ઉર  ધરે
            અટકાવી   ના  અટકે
             ઉદધિ  ઉરે    સમાય

    
            બાળકને   જન્મ  દે
            પ્રાણ   રેડી    ઉછેરે
            પાંખ  આવતા  ઉડે
            જનની  વિસરી  જાય

લક્ષ્મી  સંઘરો  નહી
              ખર્ચે  બમણી  થાય
               કૂવે  પાણી  ઉલેચો
               નવિન  જલે  છલકાય

            બાળકને   જન્મ  દે
            પ્રાણ   રેડી    ઉછેરે
            પાંખ  આવતા  ઉડે
            જનની  વિસરી  જાય
 

 
 

Do not laugh

January 16th, 2008 by pravinash No comments »

  

 caan81qj.jpe

           

                અમેરિકામાં  ઘણીવાર  બાથરૂમમાં  પોસ્ટર સરસ  હોય  છે.
     આપણે  બધા  લેવે  લક્કડ અને  દેવે  દક્કડ.

        શાળામાં  બાળકને  માટે  જવાનું  થયું. બાથરૂમમાં
      લખ્યું  હતુ  ૧૦  ૦/૦  આપો.
      મેં  પર્સમાંથી  પેન  કાઢીને  લખ્યું  ‘લો ૨૦ ૦/૦  આપ્યા.’
        વિચાર કરો  વજનના  કાંટા પર  એક  વજનવાળા બહેન  ઉભા  હતા!

કાઈપો છે

January 13th, 2008 by gss No comments »

images19.jpeઅલ્યા, એ છગન માંજો સૂરતી છે કે પછી સાદો? જોજે અલ્યા ઉતરાણનીમઝા બગડી ન જાય. આખી રાત જાગીને છગન અને મગને માંજો પાયો.

રાતે લગભગ એક ડઝન પતંગને કન્ના બાંધી. સવાર પડીને બેય ગોઠિયા

પાંચમે માળની અગાસી પર જઈ પહોચ્યા. પતંગ અને ફિરકી લઈને ચડ્યા

ટાંકી પર. ત્યાં યાદ અવ્યુ, માએ તલના લાડુ બનાવ્યા હતા લાવવાના

રહી ગયા. મગન, ઉતાવળમા ચંપલ પહેરવા ગયો ત્યા તો એક સીધી

જઈ પહોંચી નીચે ગટરમાં. ધુંધવાતો મગન એક પગમાં ચંપલ પહેરીને

દોડ્યો. ગટરમાં પડેલી ચંપલ માએ ધોવા મોકલ્યો. પછી જૂના ચંપલ

પહેરી બગલમાં તલના લાડુનું પડીકું મારતો અગાસીમાં પહોંચ્યો.

બન્ને ભાઈબંધ તલના લાડુ ઝાપટવા બેઠા. હવે પહેલો પતંગ કોણ

ચગાવે તેની રકઝક ચાલી. નક્કી થયુ ટાંકી પરથી ભૂસકો મારી

કોણ પહેલુ ટાંકી પર ચડે . જુના ચંપલ હતા તેથી ભૂસકો મારતા

ટૂટી ગયા. મગનભાઈ ઢીલાઢસ થઈ ગયા. બડબડતા ફીરકી પકડી

અને છગનનો પતંગ આકાશે લહેરાયો. ત્યાં તો સરકારી તબેલામાંથી

કોઈનો પતંગ અવ્યો ને પેચ લાગી ગયો. મગનને ગુસ્સો હતો દોરાની

ઢીલ મૂકવામાં અલિયાગલિયા કરવા લાગ્યો. ને રકઝકમાં છગનનો

પતંગ કપાઈ ગયો.

હવે વારો આવ્યો મગનનો, એક લાડુ વધારે છગનને આપી ખુશ

કર્યો. હવા ધીમી થઈ ગઈ હતી. ટીચકી મારી ને મગનના હાથ દુખી ગયા

પણ પતંગ ચગવાનું નામ જ લેતો ન હતો. એવામાં કોઈનો પતંગ

કપાઈને આવ્યો તે પકડવા છગન ફીરકી ફેંકીને ભાગ્યો. હવે કરવુ શું.

આખરે મગન આવ્યો. વાયુ દેવેતા ખુશ થયા ને પતંગ હવામા ઝુમવા

લાગ્યો. વળી પાછી મુગભાટમાંથી કોઈની પતંગ ડોકાઈ, મિલન થયું અને

કાઈપો છે ની બૂમ છગન પાડી ઉઠ્યો. બને ભાઈબંધ ખુશ થયા પહેલો

પતંગ કાપ્યો ને ચીચીયારી પાડી રહ્યા. હજુ તો હોશ સંભાળે ત્યાં એક

પતંગે આવીને મગનના પતંગને કાપી નાખ્યો. અરે, માંજો લપેટ,

પતંગતો ગયૉ જલ્દી હાથ ચલાવ. બોલતાં બોલતા મગન દોર ખેંચી

રહ્યો. આમને આમ ક્યાંય જમવા જવાનો સમય થઈ ગયો. માથે ટોપી

હતી પણ સૂરજનો તાપ ખૂબ લાગતો. અલ્યા છગન એક ચંપલ ભીની

થઈ બીજીની પટ્ટી તૂટી ગઈ . આજે મારી પનોતી બેઠી છે.

અગાસી પર પતંગ અને ફિરકી મૂકી બંને દોસ્ત જમવા ગયા.

પાછા આવ્યા ત્યારે ફિરકી ગાયબ અને અડધી પતંગ ફાટેલી. ગલીના

કોઈ મવાલીઓનું કામ. માળાના છોકરાઓની તાકાત ન હતી કે છગન

અને મગનના પતંગ કે ફિરકી ને કોઇ અડકે! હવે શું? હજુ તો રાતે ફાનસ

ચડાવવાનું હતું. બને ભાઈબંધ કોઈ તિકડમ કરવાનો વિચાર કરી રહ્યા.

આભમા બસ પતંગ જ સઘળે લહેરાઈ રહ્યા હતા. કાઈપો છે ની બૂમો

સંભળાતી હતી. બા અને બાપા બધા લાડુ અને ઉંધિયાનુ જમણ અરોગી

ઉંઘતા હતા. ખીસામાંથી પૈસા તફડાવી ભાગ્યા અને સાંજની ફાનસ

ચગાવવાની તૈયારીમાં પડ્યા. ઉતરાણનો આનંદ માણ્યો. મુશકેલીને

ગણકારે તેવા ન હતા. બને લંગોટિયા મિત્રો , કાલે શું થશે એની પરવા

ન કરતા સૂઈ ગયા. ઉંઘમાં પણ કાઈપો છે એ જ ચાલતુ હતુ.————-

Swami Vivekanand

January 11th, 2008 by pravinash 1 comment »

            ca2d41ex.jpe                        

                                   તેમનાં  વિચાર.

  ૧.    જૂના  ધર્મો  કહેતા  કે  ‘ જે ઈશ્વરમાં માને  નહી  તે  નાસ્તિક  છે.’

        નવો  ધર્મ  કહે  છે ઃ જેને પોતાનામાં  શ્રધ્ધા નથી  તે  નાસ્તિક છે.’
  ૨.   ‘બળ’ એ જીવન છે.  ‘નિર્બળતા’ મૃત્યુ  છે. બળ  એ  પરમાનંદ  છે,

        શાશ્વત  અને  અનંત  જીવન છે!  નિર્બળતા  એ  કાયમી  બોજો  અને

             સંતાપ  છે. નિર્બળતા  મૃત્યુ છે. બાળપણથી  જ  બળવાન  અને  ઉપયોગી

            વિચારો  તમારા  મગજમાં  ધારણ  કરો.

  
  ૩.   અસત્ય  કરતાં  સત્ય  અનંતગણું  જોરદાર  છે.  તેવી જ રીતે  ભલાઈનું

           પણ  સમજવું.  જો  તમારામાં  એ બે  હશે તો  કેવળ  તેમના  પ્રભાવથી

           જ  દિશાસૂચન  મળશે.
  ૪ .   જ્યાં  સુધી  લાખો  માણસો  ભૂખ  અને  અજ્ઞાનમાં  સબડે છે,  ત્યાં  સુધી

          તેમને  ભોગે  કેળવાયેલા  અને  તેમના  પ્રત્યે  તદ્દ્ન  દુર્લક્ષ  કરતા  દરેક

          માનવીને  હું  મોટો  દ્રોહી  ગણું  છું.
  ૫.   તમારામાં  રહેલી  દિવ્યતા  પ્રકટ  કરો.  એટલે  તેની  આસપાસ  બધું

          સુંદર  રીતે  ગોઠવાઈ  જશે.         

         

સમય

January 8th, 2008 by pravinash No comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.