તમને ફૂલોનો ભય છે?
ખળખળ વહેતાં ઝરણાનો ભય છે?
પ્રભાતનાં પુષ્પ સમાન સુર્ય કિરણનો ભય છે?
ચંદાની શિતળ ચાંદનીનો ભય છે?
નિખાલસ બાળક ના હાસ્યનો ભય છે?
માતાના નિર્મળ પ્યારનો ભય છે?
પિતાના ઉભરાતા સ્નેહ નો ભય છે?
આ સઘળાં સવાલોનો જવાબ છે
‘ના’
તો પછી નિંદ્રાની દેવી સમાન
મ્રુત્યુનો ‘ભય’ શામાટે?