Archive for September 28th, 2009

દશેરા

September 28th, 2009

  દશેરાનો શુભ પર્વ દર વરસે આવે.  મંગળતા ફેલાવે.  દિલમા

છૂપાયેલ રાવણના માથા ધીરે ધીરે વધેરાય. તેની જગ્યાએ

મર્યાદા પુરૂષોત્તમ રાજા રામ ના સુંદર ગુણોનો પ્રાદુર્ભાવ

થાય. તો જાણવું કે દશેરાના પર્વની ઉજવણી સાર્થક થઈ.

      દર વર્ષની જેમ દશેરા અવ્યા. જરા શાંતીથી વિચારો

શું આપણા જીવનમા કાંઈ પરિવર્તન જણાય છે. હા, એક

વર્ષનો ઉમ્મરમા વધારો થયો. જીદગીની મઝલ થોડી

ટૂંકી થઈ. બાળકો એક નવા ધોરણમા આવ્યા કે નવિન

બાળનું ઘરમા આગમન થયું.

         દશેરાના શુભ દિવસે દસ વિપુનું દહન કરી શકીએ તો

ભાગ્યશાળી થવાય.

 ૧.  કામઃ ઉપર કાબુ.

૨.   ક્રોધઃ કારણ યા અકારણ તેના પર નિયંત્રણ.

 ૩.  મોહઃ મારું મારુંની  તીવ્ર ભાવના

૪.  માયાઃ જગતની  માયાજાળમા ફસામણી

૫.  લોભઃ લોભને થોભ નથી

 ૬.  અસત્ય  અસ્ત્યોમાંહેથી પ્રભુ પરમ સત્યે તુ લઈજા

૭. અસ્તેયઃ સંજોગો વશાત યા આદતસે મજબૂર (ચોરી)

૮.ઈર્ષ્યાઃ હંમેશા બીજાની અને પારકાના સુખે દુખી થવાની આદત.

૯. દંભઃ જે નથી તેનો દેખાડો. જે છે તેને સંતાડવું.

૧૦. આસક્તિઃ સંસારની, દુન્યવી વસ્તુઓનુમ આકર્ષણ.

        હવે વિચારવું રહ્યું કે  શેનો ત્યાગ દશેરાના દિવસથી

કરી શકાય . વિજયા દશમીના વિજયનો આનંદ ખુલ્લે દિલે

માણી શકાય.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.