દોસ્તો, લગભગ છેલ્લા દોઢ વર્ષથી મળવાની મોજ માણું છું
આજ પછી મળીશ પણ તેમા નિયમિતતા કેટલી હશે તેનો
અંદાઝ નથી. જ્યારે પણ અવસર સાંપડશે તો એ તક વહેલી
ઝડપી લેવામા પાછી પાની નહી કરુ.
‘અલવિદા’ નથી કહેતી. કારણ હું આપણા ભારતમા એકથી દોઢ
વર્ષ માટે સ્થાયી થવાનો નિર્ણય લઈ ચૂકી છું. ત્યાં કેવી રીતે
અનૂકુળતા સાંપડશે એનો કોઈ અંદાઝ મને નથી. લગભગ ૩૧
વર્ષના લાંબા ગાળા પછી ભરેલું પગલું કેવા રંગ બતાવશે તે
ખબર નથી. હૈયે ઉમંગ અને શક્તિનો પુંજ છે. ઈશ્વરમા શ્રઢ્ઢા છે.
હવે ટુંક સમયમા મળીશું તેવી આશા સાથે વિરમું છું.