૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો.
૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો
માલિક નહીં.
૩. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે
ચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે?
૪. જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખત
ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો
આભાર માનજો.
૫. એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ.
દરેક માણસનો અંત તો એક સરખો જ છે. ‘મૃત્યુ.’
મહત્વની વાત એ છે કે કોણ કેટલું સાથે લઈ જઈ શક્યો.
૬. આજે કરેલા કર્મનું ફળ કદાચ કાલે મળે કદાચ વર્ષે, બે વર્ષે
કે પાંચ વર્ષે મળે. કદાચ આ જન્મે નહી તો આવતા જન્મે
મળે. કર્મની ગતિ અતિ ગહન છે.
૭. એક દિવસ બધું મૂકીને ચાલ્યા જવું પડશે. આ વાત જો
સાચી હોય તો જરૂર કરતાં વધારે ભેગું કરવાની શી જરૂર છે?
શું સુંદર વાત છે . આપણા બધિર કાન તેં કેમ સાંભળતા નથી.
હવે વિચાર કરી અમલ કરવાની ઘડી આવી ગઈ છે. ૬૦ વર્ષની ઉમર
વટાવી ચૂકેલા સર્વે માટે ખાસ.
” હવે કાઢ્યા એટલા નથી કાઢવાના.”
અમેરિકામા ગ્રીનકાર્ડ અને નાગરિકત્વ જોઈએ. ઉપર જવા માટે
કોઈ લાગવગ ચાલતી નથી.
મજાક ખાતર લખ્યું છે. કિંતુ સનાતન સત્ય છે.
વિચારના વહેણ
આ તમારા વિચારો છે કે પછી કોઈના વિચારોને તમારા બ્લૉગ પર મૂક્યા છે? સ્પષ્ટતા કરશો.
મોટા ભાગના વિચાર મારા છે. હા, ક્યાંક કશું વાંચ્યું હોય તો તેને
વિસ્તારીને લખ્યું છે.
આપના સીધા સવાલ માટે આભાર.
visit http://www.pravinash.wordpress.com
બેધડક સીધું પૂછી લેવાનું કારણ આ વિચારો ઘણા બધા બ્લૉગ પર મૂકવામાં આવ્યા છે, કોઈએ મૂળ સ્ત્રોત દર્શાવ્યો નથી.