કવિ જ્યારે કવિતા લખે છે ત્યારે નીચે પોતાનું નામ લખે છે.
ચિત્રકાર જ્યારે કૃતિનું સર્જન કરે છે નીચે પોતાનું નામ લખે છે.
માણસ જ્યારે ઈશ્વરની પ્રતિમા બનાવે છે ત્યારે નીચે નામ લખે છે.
દાતા જ્યારે દાન કરે છે ત્યારે પોતાનું અને કુટુંબીઓનું નામ લખે છે.
મંદિર બંધાવનાર કોની સ્મૃતિમા બાધ્યું છે તે નામ લખે છે.
હોસ્પિટલ બંધાવનાર કોની પાછળ બંધાવી તે નામ લખે છે.
કુદરત તેના સર્જન પાછળ નામ નથી લખતી પણ તે જગજાહેર છે.
જ્યારે માતા
સર્જન કરે છે અને પાછળ નામ ” બાપનું ” લખાય છે.
હે માતા, તને લાખો પ્રણામ.
માતૃદેવો ભવ