હમણા, હમણા આ વિષય ખૂબ ચર્ચાનો બની રહ્યો છે.
એક વ્યક્તિને બીજી વ્યક્તિની ‘લગન’ (પ્રેમ) લાગે ત્યારે
પરિણામે છે ‘લગ્ન’.
જે આવશ્યક અને અનિવાર્ય બંને છે. હા, તેનો અર્થ એ
નથી કે જેણે લગ્ન ન કર્યા હોય તેઓ નિકમ્મા છે. આ તો
સહુની પસંદગીનો પણ સવાલ છે.
હવે પ્રશ્ન એ થાય છે કે આજનો યુવાન વર્ગ શા કારણે
હિચકિચાય છે?
૧. મારી સ્વતંત્રતા.
૨. મારા જીંદગીના સ્વપ્નો.
૩. મારી જીંદગીમા કોઈની દખલ.
૪. મારું સ્થાન.
૫. મારા માતા-પિતા.
હવે જ્યારે એક છોકરો એક છોકરી પ્રત્યે આકર્ષાય ત્યારે જે
વસ્તુ ગૌણ છે તેને શામાટે મહત્વ આપવું. સમય સમયનું કામ
કરે છે.
‘જુવાની છે દિવાની’ તેને માણી લો. એક બીજાના પ્રેમને
સહારે ભલભલા તૂફાનનો સામનો કરી શકાય. ધ્યેય પર લક્ષ્ય
અને મંઝિલ પર કદમ.
સમય સમયનું કામ કરશે. જ્યારે પ્રેમના વૃક્ષના મૂળિયા
વિશ્વાસની જમીન પર ઉંડા ઉતરી ગયા હશે તો કોઈની તાકાત
નથી તે વૃક્ષને હચમચાવી શકે.
આદર બંને પક્ષે આવકાર્ય છે. વડીલો બાળકોને સહાય
કરો નહી કે તેમના જીવનમા દખલ. સ્વતંત્રતા આપો. તેમને જીવન
બાગ હરિયાળો કરવા દો. તેમને તમારી ‘અનુભવી વાણી’ દ્વારા અવળા
મારગે ન દોરો.
પુસ્તકનું જ્ઞાન તેમને જીવન જીવવા માટે સાચે રસ્તે વાળશે. હા,
ભૂલ કરશે ,શું આપણે નહોતી કરી? એકબીજાને વિશ્વાસે અને સહારે
કેવા તરી ગયા.
જ્યારે જુવાન આવી ને ‘જેના પ્રત્યે લગન છે તેની સાથે લગ્ન
કરવા કે નહી’ તેવો જટીલ પ્રશ્ન પૂછે છે ત્યારે દિલ દર્દ અનુભવ કરે છે.
‘ હું લગ્ન માટે તૈયાર નથી’ એવું વાક્ય પ્રચલિત છે. શું લાલ, પીળી
કે લીલી લઈટ થવાની હોય? જ્યાં સુધી ‘છોકરો અને છોકરી’ પરણવા તૈયાર
હોય ત્યાં બીજા કોઈ રોડાં ન નાખવા.
એક જમાનો હતો તેમની પ્રથમ મુલાકાત ‘લગ્નમંડપ’માં થતી. અરે, આજે
પણ તેવા બે પ્રસંગ સાંભળીને મને મારા કાન પર વિશ્વાસ ન બેઠો.