દશેરા આવ્યા અને ગયા.
કહેવાય છે રામ સીતાને રાવણ પાસેથી પાછા અયોધ્યા લાવ્યા.
આપણે ‘રામ’ ક્યારે જીવનમાંથી રાવણને મારી ‘સીતા’ પાછી પામીશું ?
મનના મલિન વિચારો, મનસૂબા, તરંગોને વિદાય કરવાનો સમય પાકી ગયો છે.
૬૦ની ઉપર પહોંચેલી કોઈ પણ વ્યક્તિ કાઢ્યા એટલા કાઢવા માટે તૈયાર નથી.
શરદ પૂર્ણિમા આવશે અને દિવાળી બારણા ખટખટાવી રહી છે.
હે મન, જાગ્રત થા. સમય ઝૂઝ છે કામ ઘણા આટોપવાના છે.
આળસ ખંખેર અને કામે લાગ.
સમય પસાર નથી થતો.
આપણે પસાર થઈ રહ્યા છીએ.
પાછું વળીને નહી આગળ નજર સ્થિર કરી કદમ ઉપાડ.
મનનો ધર્મ છે ‘ચંચળતા’.
ધૈર્ય, સહનશિલતા, મૌન, વિવેક ,સદભાવનાનું પંચામૃત બનાવ.