શ્રાધ્ધના દિવસો હવે માત્ર ચાર જ બાકી છે. દર વર્ષે આ ટાણે આવે છે.
જે શ્રધ્ધાનો દિપક જલતો રાખે છે.
શ્રાધ્ધમાં કૂતરા, ગાય, બ્રહ્મણને જમાડ્યા. કાગડાને નીર્યું. ખીર ને
લાડવા જમ્યા ?
એ મહત્વનું નથી. પ્રેમથી વિયોગ પામેલાને કેટલા સમર્યા. તેમની શીખની
કેટલી વાતો યાદ કરી તે પગલે ચાલવાનો પ્રયત્ન આદર્યો. માતા, પિતા,
(પોતાના યા પતિ કે પત્નીના) આદર પૂર્વક યાદ કરી દિવાને જલતો રાખ્યો.
વહેલું યા મોડું સહુને એ જ માર્ગે પ્રયાણ કરવાનું છે. જીંદગી પ્રેમથી
આનંદથી જીવો. અરે કદાચ અજુગતું લાગશે પણ ” મરીએ ત્યાં સુધી હસી ખુશી”
થી જીઓ. આજે એકાદશી કાલે રેંટિયા બારસ, પૂજ્ય મહાત્મા ગાંધીજીનું શ્રાધ્ધ
અને જન્મ દિવસ. તેમની કઈ વાત યાદ રાખવી, આચરણમા ઉતારવા પ્રયત્ન
કરવો એ આપણા પર નિર્ભર છે.
બસ, મારા મનના ભાવ લખવાની પ્રેરણા થઈ અને લખાઈ ગયું.