Archive for August 19th, 2010

પવિત્ર ઍકાદશી

August 19th, 2010
  આજે શ્રાવણ સુદ એકાદશી જે “પવિત્ર એકાદશી” ના નામે પંકાય છે. પુષ્ટિમાર્ગના
પ્રણેતા શ્રી વલ્લભાચાર્યજી એ આ માર્ગની સ્થાપના કરી. શુધ્ધ અદ્વૈત બ્રહ્મવાદમા
તેમને અખંડ વિશ્વાસ.
      જગત અને આત્મા એ પરમાત્માના અંશ છે. જેમ તણખો અગ્નિમાંથી પ્રગટ
થાય છે તેમ જીવ અને જગત પરમાત્મામાંથી ઉદભવેલ છે.
            શ્રીવલ્લભાચાર્ય જે પૂજ્ય શ્રી મહાપ્રભુજીના નામે ઓળખાય છે તેમણે
પુષ્ટિસંપ્રદાયની સ્થાપના શ્રાવણ, સુદ ૧૧ ના દિવસે કરી જે ‘પવિત્ર એકાદશી’
ના નામે ઓળખાય છે. “બ્રહ્મ સંબંધ” મંત્ર દ્વારા આત્માનો સંબંધ શ્રીનાથજી સાથે
જોડી આપ્યો.
                    ૧૫૪૯, શ્રાવણ સુદ એકાદશી, મધ્યરાત્રી એ શ્રીજીબાવા પ્રગટ થયા.
બ્રહ્મ સંબંધ મંત્રની પવિત્રતા જાળવવા આ મંત્ર હંમેશા સ્નાન કર્યા પછી ચોખ્ખા
કપડા પહેરી જ બોલવો.
            કોઈ પણ જાતની અપેક્ષા વગર શ્રીનાથજીનું શરણ સ્વિકારવું.
           શ્રીનાથજીમા દૃઢ વિશ્વાસ
           શ્રીનાથજીની સેવા બાલ ભાવે કરવી.
          શ્રીમહાપ્રભુજી પ્રત્યે આદર્ભાવ.
           શ્રીમહાપ્રભુજી ગુરૂ તરીકે બિરાજે.
     સાક્ષાત પ્રભુ પ્રગટ થયા દૈવી જીવોના ઉધ્ધાર માટે. એ આ પવિત્ર એકાદશી.

શું કામ ?

August 19th, 2010
  જેને આપણે પ્રેમ કરીએ છીએ તેને સહુથી વધુ દુખ આપીએ છીએ.
જેનાથી મનને આનંદ થાય છે તેનાથી ખૂબ દૂર રહીએ છીએ
જેમના વગર ચાલી શકે તેઓ આજુબાજુ આંટા મારતા હોય છે
જેમના વગર જીવવુ શક્ય નથી છતાં જીવન સરે છે
જીવન વન ગીચ યા પાંખુ, લીલુ યા સુકુ ગહરું છે
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.