ગણ માનવો પડે

July 30th, 2010 by pravinash Leave a reply »

 સૌંદર્ય કેમ પમાય સૌંદર્ય બનવું પડે

શાંતિ કેમ જળવાય શાંત બનવું પડે

તન મન વાણીમા સમતા જાળવવી પડે

વિચારોમા ચંચળતાને સંભાળવી પડે

શબ્દોની માયામા સરળતા લાવવી પડે

વાણીના અંદાઝને  વિવેકથી નાથવી પડે 

રંગીન ચશ્મા ઉતારી નરી આંખે જોવું પડે

સ્વાર્થ ત્યજી નિઃસ્વાર્થી બનવું પડે

જીવનમા જીભ પર સંયમ રાખવો પડે

બીજાના દોષો જોવાની આદત ત્યજવી પડે

બાળકોને સંસ્કાર સારા પ્રેમે આપવા પડે

માતાપિતાને કાજ દિલે આદર રખવો પડે

હમેશા પ્યાર પામવા મહોબ્બત કરવી પડે

ફુલોની સુગંધ માણવા કાંટાને સહેવા પડે

સુંદર જીવન  સરજનહારનો ગણ માનવો પડે

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.