Archive for July 26th, 2010

વિચારવા જેવું

July 26th, 2010

   ” મા-બાપ”થી મોટા ભગવાનને હું ઓળખતો નથી “.

    આ વાક્ય લખનારને શત શત પ્રણામ. પણ જેમ આયનો

જુઠ્ઠું ન બોલે તેમ યાદ રાખજો દિલ કદી જુઠ બોલતું નથી.

                   નાનપણમા, યુવાનીમા કે પ્રૌઢાવસ્થામા કરેલી

ભૂલો રહી રહી ને સતાવે છે. તેનો એકરાર કોઇની સામે ન

કરી શકાય તો વાંધો નહી. પણ ઈશ્વરને સાક્ષી રાખી કરવામા

જરાય નાનમ ન અનુભવવી જોઈએ.

                 મા-બાપ બાળકોની અનગણિત ભૂલો ક્ષમ્ય ગણી તેમને

પ્યાર કરે છે. જ્યારે બાળકો ઘણીવાર કયા જન્મનું લેણું વસૂલ કરવા

આવ્યા હોય તેવા દાખલા નજર સમક્ષ દેખાય છે.

                     બાળ તે પછી દિકરી હોય કે દિકરો તેમા ઘણીવાર કોઈ

ફરક દેખાતો નથી. દિકરી મા બાપ ને પ્યાર કરે અને દિકરા નહી તે

અત્યંત ભૂલ ભરેલી માન્યતા છે.

                 વિવેક પૂર્વક વિચારીએ તો જણાશે માતાને બંને વખત સરખી

વેદના સહન કરવાની હોય છે. 

                 મા-બાપની અવહેલના કોઈપણ ભોગે ભગવાન સહન નહી કરી 

શકે. તેથી જ તો આપણા શાસ્ત્રમા मातृदेवो भवः

                                                           पितदेवो भवः    

 કહેવામા આવ્યું છે.

           ઘણે ઠેકાણે મા-બાપને જે ત્રાસ બાળકો અપી રહ્યા છે તે જોતા

કમકમાટી આવી જાય છે. તે બાળકો ભૂલે છે જે આજ તેમની છે તે

તેમના માબાપ પણ ભોગવી ચૂક્યા છે. જુવાનીના તોરમા આવનાર

આંધી નિરખી શકતા નથી.

              ‘વારા પછી વારો ને તારા  પછી મારો’ એ સત્ય હકિકત છે.

“વિવેક ધારા’ના ૧૦૦મા અંકમા આનો ઉલ્લેખ વાંચી હ્રદયના ભાવ

ઠલવાયા.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.