Archive for July 13th, 2010

જઠરાગ્નિ

July 13th, 2010

                  મહેફિલ જામી હતી. ચારે બાજુ હાસ્યની છોળો રેલાઈ રહી હતી.

શરાબની બાટલીઓનો ટંકારવ કર્ણપ્રિય લાગતો હત. સંગીતના સૂર પર

સહેલાણીઓ ઠુમકા મારી રહી હતી. ધરતી પર જો સ્વર્ગ હોય તો અંહીજ છે

એમ ભાસતુ હતું.

             આદરણિય મિનિસ્ટર સાહેબ હજુ પધાર્યા ન હતા તેથી મહેફિલ થોડી

કાબૂ બહાર હતી. છતાંય સંયમની મર્યાદા જાળવી સહુ પોતાનું વર્તન કરતા

હતા. કેમ ન કરે સમાજનો ઉપલો વર્ગ મળ્યો હતો.

        સમાજનો એ વર્ગ , જેના ખિસામા પૈસાનું જોર હોય છે તેઓ પોતાની

જાતનૅ ખૂબ હોશિયાર સમજે છે. અભિમાન તો તેમને નાકને ટેરવે બેઠેલું હોય

હું પણું તેમના વાણી અને વર્તન દ્વારા છતું હોય. તેમના અવાજનો રણકો શંખ

નાદ કરતા પણ બુલંદ હોય.

         એટલામા મિનિસ્ટર પધાર્યાની ઘોષણા થઈ. સોય પડે તો પણ સંભળાય

તેવી શાંતિનું સામ્રાજ્ય ચારેકોર છવાઈ ગયું. ટુંકૂને ટચ  ભાષણ આપી સહુને

આવકારી મિનિસ્ટર બેસી ગયા. બે પાંચ નાનામોટા ભાષણ થયા.

          મિનિસ્ટર સાહેબને બીજા બે અગત્યના રોકાણ હતા તેથી દરેક જણ પોત

પોતાની જગ્યા પર ગોઠવાયા અને કતારબંધ ખાવાનું પિરસવાવાળા નિકળી

પડ્યા. જેની સોડમ આટલી સુંદર હોય તે અન્ન કેટલું ભવ્ય અને સ્વાદિષ્ટ હશે

તેની કલ્પના જ કરવી રહી.

             ભોજન બધુ પરોસાઈ ગયું. સમૂહમા પ્રાર્થના કરી દરેકે જમવાની શરૂઆત

કરી. હજુ તો અડધું પણ નહી ખવાયું હોય ત્યાં અચાનક “આગ્ની ભય સૂચક” ઘંટડી

વાગી સહુથી પહેલા મિનિસ્ટર એંઠા હાથે દરવાજા તરફ દોડ્યા.

            મિનિસ્ટર જાય એટલે હાજર રહેલી કોઈ પણ વ્યક્તિ ક્ર્વી રીતે ભોજનનો

રસાસ્વાદ માણી શકે. દરેક જણ મિનિસ્ટરને અનુસર્યા. અને મોટા શણગારેલા

ભોજનના કમરામાંથી બહાર નિકળી વરંડામા જમા થયા.

                     સહુ બહાર નિકળ્યા ત્યાંતો બીજી તરફના બારણેથી લગભગ ૩૦૦

જેટલા ગરીબ બાળકો અંદર ધસી આવી સહુના એંઠા ભાણા પર ટૂટી પડ્યા. બે

મિનિટ પછી વરંડા બાજુના બારણા ખૂલ્યા. ભય સૂચક ઘંટ બંધ થયો હતો. બારણું

ખુલતાની સાથે અંદરનું દૃશ્ય જોઈ મહેમાનોની આંખો પહોળી થઈ ગઈ.

               મિનિસ્ટરનો માઈક ઉપરથી અવાજ સંભળાયો. આમંત્રિત મહેમાનો, જે જોઈ

રહ્યા છે તે સત્ય છે. મારી વિનવણીથી આ નાટક કરવામાં આવ્યું હતું. યાદ રહે આપણા

“ભારતના ગરીબ વર્ગનો જઠરાગ્નિ” જે દિવસે જાગશે ત્યારે ખંડેરની ભસ્મ કણી ન લાધશે.

                      સમજો તો સારું નહીતર પરિણામ માટે તૈયારી રાખજો. આ તો માત્ર ઝલક છે.

એ હતા આપણા લાંચરુશ્વતથી અળગા રહેનારા મિનિસ્ટર————————-

જીંદગીનું નગ્ન સત્ય

July 13th, 2010

જો જીવનમાં કાંઈ ન હોય ત્યારે અભાવ નડે

    થોડુ ઘણું હોય ત્યારે મોંઘા દાટ ભાવ નડે

        જીવનનું નગ્ન સત્ય છે કે ઈશ્વર કૃપાએ બધું હોય

           ત્યારે સ્વભાવ નડે.

   અને જ્યારે કાંઇ ન નડે ત્યારે વગર કારણે કોઈના

પ્રત્યે ક્ભાવ ————-

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.