જ્યારે ભારતે “૦” ની શોધ કરી ત્યારે તો ગણતરીની શરૂઆત થઈ.
આજે “૦” પર લખવાનો વિચાર સ્ફર્યો.
“ऑ पूर्णमिदं”— નો શ્લોક સઘળું કહી જાય છે. સૂરજ ગોળ, પુનમનો
ચાંદ ગોળ, રૂપિયો ગોળ અરે મનભાવતો લાડુ ગોળ.
શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન થયું. આમ જોઈએતો શૂન્યની કોઈ કિમત
નથી. વળી જરાક વિચારીએ તો કોઈ પણ આંકડા પછીનું શૂન્ય તેની કિંમતમા
અગણિત ફેરફાર કરી મૂકે છે.
માથા પરની બીંદી ગોળ, હાથની ચૂડી ગોળ
રાસ રમંતા ગરબો ગોળ, સાગરમા વમળ ગોળ
ગોળ અને શૂન્ય બંને દેખાવમા સરખા અને બંનેના મૂલ્ય પણ અદકેરાં.
યાદ હશે ૨૦૦૦ની સાલમા ‘૦’ જેણે ધૂમ મચાવી હતી.
શૂન્ય પરથી ગોળાકાર પર ઉતરી જવું ખૂબ સરળ બન્યું. પણ શૂન્યની
પૂર્ણતા, શૂન્યનો મહિમા અપરંપાર છે.————–
પરર્માત્મા અનંત છે, તેનો કોઈ છેડો નથી.પરર્મા્ત્માએ
આ શૃષ્ઠીની રચાના કરી તેમાં સધળુ ગોળ બનાવ્યુ,
પૃથ્વિ ગોળ, તેમાં પણ બધીજ વસ્તુ ગોળ.
તેમાં માણસે રચેલી વસ્તુ નહી, પર્માત્માએ રચેલ રચનાની
વાત કરુ છુ.
એટલે ગોળ વસ્તુને પણ કોઈ અંન્ત નથી.અનંત છે.