ખરખરો કરવા આવજો

July 19th, 2010 by pravinash Leave a reply »

 

                                                                   બુધ્ધિની જોડિયા બહેનનું   ઉઠમણુ   
                                                                 આજે સામાન્ય બુધ્ધિનું ઉઠમણું છે.
  જો કે તે દરેકમા હોય છે પણ જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે ભલભલા
ગોથું ખાય છે.
  એ દરેકમા જન્મતાની સાથે હોય છે પણ ક્યારે વિદાય થાય છે તેનો ખ્યાલ
રહેતો નથી. તેનો ઉલ્લેખ કોઈ ચોપડામા પણ નથી.
  જયારે જરૂર હોય ત્યારે તે વહારે ધાય છે.
 જીંદગીમા ધાર્યું મળવું એ જરૂરી નથી.
  છતાં પણ જીંદગી જીવવા જેવી બનાવે છે.
 જીંદગીના વળાંક યા ટેઢામેઢા રસ્તા પર સહાય કરે છે.
 આવક જાવકનો હંમેશા હિસાબ રાખી સરવૈયુ કાઢે છે.
 નાની મોટી માંદગીમા સમતા ધારણ કરવામા સહાય રૂપ થાય છે. 
 બાળકોની જવાબદારીમાંથી છટ્કી શિક્ષકને જવાબદાર ગણવાની
ભૂલ સુધારે છે.
 શિક્ષણને બદલે ખોટે રસ્તે જતા બાળકોને સીધા દોર કરે છે.
 વકિલો અને ડોક્ટરોની ચુંગલમાથી છોડાવવા દોર ઢીલો મૂકે છે.  
 સત્ય, વિશ્વાસ અને શ્રધ્ધા તેના અંગ અંગમા પ્રસરેલા છે.
 અહં અને અંધશ્રધ્ધાથી જોજન વેગળી છે.
 ધર્મ ગુરૂ અને મંદિર જ્યારે દુકાન બને છે ત્યારે તેને
અસહ્ય વેદનાનો અનુભવ થાય છે! 
 
 
Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.