યોગ સાધના -૮

December 7th, 2009 by pravinash Leave a reply »

સૂત્રઃ ૩૧  દુઃખ દૌર્મનસ્ય અંગમેજયત્વ-શ્વાસપ્રશ્વાસા

             વિક્ષેપસહભુવઃ           

            दुःख-दौर्मनस्याङ्गमेजयत्व -श्वासप्रश्वासा

            विक्षेपसहभुवः

           દુઃખ, નિરાશા, શરીરમા કંપન (ધ્રુજારી) અને શ્વાસ-

          ઉચ્છવાસમાં અનિયમિતતા જેવા અવરોધો તેની સાથે

         જ આવે છે.

          તમસ નું પ્રાધાન્ય ઓઅળી જાય અને રજસ યા

          સાત્વિકતા પ્રવર્તે.

 સૂત્રઃ  ૩૨  તત્પ્રતિષેધાર્થમેકતત્વાભ્યાસઃ

                 तत्प्रतिषेधार्थमेकतत्वाभ्यासः

                એક માત્ર શત્યની ઉપાસના ધ્યાનપૂર્વક

               કરવાથી તેમને હટાવાઅ છે.

              દાઃતઃ દસથી પંદર ત્રણ ફૂટના ખાડા કરવાથી

              પાણી ન મળે. કિંતુ ત્રીસ ફૂટ એકજ ઠેઅાણે

              ખોદવાથી પાણી મળવાની શક્યતા ઘણી જ

                વધારે હોય.

 સૂત્રઃ  ૩૩   મૈત્રી-કરૂણામુદિતોપેક્ષાણાં સુખદુઃખ પુણ્યાપુણ્ય

                  વિષયાણાં ભાવનાત શ્ચિત્તપ્રસાદનમ

                  मैत्री-करुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्य

                   विषयाणां भावनातश्चित्तप्रसादनम

                   અવરોધ વગરની માનસિક શાંતિ ત્યારેપ્રાપ્ત થાય,

                 સુખી સાથે  મૈત્રીભાવ, દુખી સાથે કરૂણા, ગુણિયલ

                 સંગે ભાવના અને દુષ્ટ પ્રત્યે ઉપેક્ષિતતા કેળવી

                 શકીએ.

                    કોઈની સફળતાની અદેખાઈ ન કરવી.  કોઈના

                    સુખે સુખી અને દુખે દુખી. ઓઈના અવગુણ ન જોતા

                     તેના ગુણની કદર કરવી. બુરાઈને સજ્જનતાથી

                     જીતવી.

  સૂત્રઃ ૩૪  પ્રચ્છર્દન-વિધારણાભ્યાં વા પ્રાણાસ્ય

                  प्रच्छर्दन- विधारणाभ्यां वा प्राणास्य

                 મગજને શાંત કરવા માટે શ્વાસ અને ઉચ્છવાસ

                 પર નિયંત્રણની આવશ્યકતાની વાત અંહી  ઋષિ

                પતાંજલી કરી રહ્યા છે. જોકે શ્વાસથી શરુઆત થાય

                  કિંતુ સાધનાના મર્ગની મુસાફરી તદ્દન અલગ છે.

 સૂત્રઃ ૩૫   વિષયવતી વા પ્રવૃત્તિરૂત્પન્ના મનસઃ સ્થિતિનિબન્ધિની

                  विषयवती वा प्रवृत्तिरूत्पन्ना मनसः स्थितिनिबन्धिनी

                  આ રીતની એકાગ્રતાથી માનવ મનની  અદ્ભૂત શક્તિ

                 પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવી શકે છે.

                  જેમકે નાસિકાના અગ્રભાગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી

                   સુગંધ્નો અનુભવ કે જિહ્વાગ્રે ધ્યાન કેન્દ્રિત કરી સ્વાદ

                    ઉપરની દૈવીશક્તિને પામવી.   

                        માનવ પોતાની આંતરિક શક્તિ દ્વારા ઇંન્દ્રિયો

                    પર અંકુશ મેળવવા માટે શક્તિમાન છે. મન ને

                     વશ કરી તે દ્વારા ઈશ્વર મેળવવાનો માર્ગ સરળ

                     બની શકે છે.

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.