‘મૂકં કરોતી વાચાલં” શ્લોક બોલીએ છીએ ત્યારે તેમાં રહેલી
ગુઢતા હ્રદયના અંતઃસ્તલને સ્પર્શે છે. વાણીનું મહાતમ્ય સમજાય છે.
મનુષ્યની વાણી દૈવી સંપત્તિ છે તેનો અનુભવ થાય છે. વાણી દ્વારા
માનવની પ્રતિભા અને સંસ્કાર પ્રદર્શિત થાય. વાણી વાર કરે, કતલ
કરે અને લોહીનું એક ટીપું પણ ન જણાય. વાણીનો વ્યય કરવામાં
માનવની તોલે કોઈ ન આવે. વાણી એ એક એવું ધન છે જેનો
સદ ઉપયોગ માનવને દેવ બનાવવા સમર્થ છે.
જ્યારે એ વાણીનો દૂર ઉપયોગ તેને દાનવ પણ બનાવી શકે
છે. વાણી ધન છે તેનો પૂરાવો આપણા વેદ, ઉપનિષદ છે. વેદ
શ્રુતિ દ્વારા અસ્તિત્વમાં આવ્યા. ગોધન, ગજધન, હીરા, સોનું, માણેક
મોતી કાળેક્રમે નાશ પામે છે. શબ્દ, અખિલ બ્રહ્માંડં મા સર્વત્ર
વ્યાપેલો છે. જો શબ્દ ન હોત તો ખોટી કે ખરી વિદ્યા અસ્તિત્વમા
ન હોત.
વાણીના પ્રતાપે મહાભારત રચાયું. દશરથ રાજાએ રામને
વનવાસનો આદેશ આપ્યો. આપણા પુરાણો, ઈતિહાસ જાગતા
પુરાવા છે. આપણે સહુ ખાવા પીવાની બાબતમા ખૂબ ચેતીને
ચાલનાર છીએ. કપડા પહેરવામાં કેટલાય કલાકો વેડફી દઈએ
છીએ. એટલાજ વાણીની બાબતમા આપણે બેદરકારી દાખવીએ
છીએ.
વાણીની બાબતમાં સજાગ રહેવાથી અહિંસાનું પાલન કરવામા
સફળતા પ્રાપ્ત થાય છે. બાકી સ્વને અહિંસક ગણનાર વ્યક્તિ ડગલે
પગલે હિંસા આચરે છે. ટુંકમા વાણી પ્રત્યે આદર, સદભાવના અને
સમજશક્તિ કેળવીએ તેવી આશા સાથે વિરમું છું
મૂકં કરોતી વાચાલં …હું ધારૂ છુ ત્યાં સુધી અર્થ..ઈશ્વરની કૃપા હોય તો એ મુગાને વાચા એટલે બોલતા કરે…પણ આપનો સંકેત..વાણીની શું અસર થઈ શકે એ છે..વાણે વેર પણ કરવે, વ્હાલ પણ ઉપજાવે..વેરીને વ્હાલા બનાવે..