નિવૃત્તિ નિવાસ-૨ પ્રવિણા કડકીયા

May 24th, 2008 by gss Leave a reply »

 
       
        સુહાની સંધ્યા પૂર બહારમાં ખીલી હતી.સૂરજ ગગનેથી સરકી ધીરે ધીરે   સરકી ક્ષિતિજને આંગણ ઉભો રહી વિચારી રહ્યો હતો કે સૃષ્ટિને અંધકારમા    ગરકાવ કરી હું દુનિયાને બીજે છેડે પહોંચી જાંઉ કે નહી.’ નિવૃત્તિ નિવાસ’
    મંદિરના ઘુમ્મટ ઉપર સોનાનો કળશ ઝગારા મારે તેમ સંધ્યાના રંગોમા  દીસી રહ્યો હતો.અમાસની રાતના કાળા ડિબાંગ ઓછાયા ધરતીને આવરી  લેવા ઉત્સુક થઈ રહ્યા હતા. આગાસીમા ઉભા રહી કુદરત સાથે મૈત્રીના  તારક મંડળ રચવાની આદત પડી ગઈ હતી. આ નાતો ખૂબ ગાઢો બનતો જતો  હતો.દુન્યવી સંબધો ધીરેથી આઘા સરતા જતા હતા. 
          જીવન યાદ અને ફરિયાદ વચ્ચે ઝોલા ખાતુ હતું. યાદ ખાટી હો યા મીઠી   મનમા જ માણવાની આદત હતી.ફરિયાદ કરવાની આદત ધીરે ધીરે ઓસરી ગઈ હતી.વાત ખાનગી રાખજો ફરિયાદ કરવી હોય,પણ કોને?મારી એકલતાનો સાથી હંમેશ હાજરીમા પણ ગેરહાજર જણાતો.કદી હુંકારો પણ ન ભરે.નારાજ પણ  ન થાય. અદૃશ્ય રહીને માર્ગદર્શન પૂરું પાડે.પરિણામે યાદ રહી અને ફરિયાદ ગઈ  યાદ આવતી, સળવળતી, ગલગલીયા કરતી જેમાં હું બેફામ બનૉને મહાલતી.
     એકલતા સૂરીલા રાગ છેડતી અને તેમા હું ભાન ભૂલતી. વિચારોમા ડૂબી  મેરૂની સ્થિરતા,સમુદ્રની ગંભીરતા અને ચંદ્રની શિતળતાનો આહલાદક અનુભવ માણતી. વાવાઝોડાની ઝાપટથી જેમ ચિત્રની ડાળીઓ ઝૂમી ઉઠતી નથી તેમ  જીવનમા આવતા આરોહ અને અવરોહથી અલિપ્ત રહેવાના પ્રયત્ન કરતી.પણ  તેમાં સરિયામ નિષ્ફળતા જ વરતી. દરરોજ સવારે સૂર્યોદય દરમ્યાન દરેક ચીઝો  નું યથાવત હોવું જેટલું સહજ  અને સ્વાભાવિક હોવું એવું જીવન જીવવાનો પ્રયત્ન  કરતી. જે આવે છે તે જવા માટે નો મુદ્રાલેખ જીવનમા કોર્યો હતો. જેને પરિણામે સંવેદનાની માત્રા ધીરે ધીરે ક્ષીણ થતી જણાતી.

      જ્યારે આમ એકલી વિચારોની સૃષ્ટિમા વિહરતી ત્યારે ન તો અંધારી રાત  બિહામણી લાગતી ન પૂનમનો ચાંદ દૂધ જેવી સફેદ ચાંદનીમા નહાવા પ્રેરતો.પૂનમની ચાદની તેથી તો ગર્વીલી દીસે છે. નાની સી દીવી અંધારું દૂર કરવા જેમ શક્તિમાન બને છે .તેમ હ્રદય પર પથરાયેલા તિમિરના આવરણ દૂર કરવા જરી પુરાણી યાદો છવાઈ જાય છે. સ્વપનામા  કરેલા ખૂન માટે વકીલ યા ન્યાયાધિશની  આવશ્યક્તા નથી. જેલના સળિયા પાછળ કાળ કોટડીમા પૂરાવાની પણ જરૂરત  નથી હોતી.
      ‘નિવૃત્તિ નિવાસ’નું સંચાલન હવે તો કોઠે પડી ગયું હતું. મેનન સાહિબને  એકલતા સતાવતી. તેનો કોઈજ લાજ નહતો. આકાશ તેનું સંચાલન મેનન  સાહિબાને આપી થોડો હળવો બન્યો હતો. મી.મેનને ગુમાવ્યા પછી મેનન સાહિબા પ્રવૃત્તિમાં ગુંથાયા હતા. અવિનાશ મેનન આકાશનો મિત્ર, એક પછી એક પ્રિય વ્યક્તિઓનો વિરહ સહેવો દુષ્કર બનતો જતો હતો.ભલું થજો સરગમ બહેનનું જે  આવ્યા હતા ‘નિવૃત્તિવાસમા ‘ આશરો લેવા પણ બની ઉઠ્યા હરએકના ચહિતા.
       સંગીતના સાત સૂરો જો છેડાઈ ઉઠે તો આખી સૃષ્ટિ ડોલી ઉઠે. તેજ પ્રમાણે  પ્રેમાળ, મીતભાષી સરગમ બહેને દરેકના દિલ જીત્યા હતા. કોઈ પણ અમંગળ  શંકાઓ હોય કે બિહામણો ભૂતકાળ. સરગમ બહેન પોતાની કુશળતાથી સુલઝાવતા  અને વદન ઉપર હાસ્ય ફેલાવવામા સફળતાને વરતા   અવિનાશના વિરહમા સફળતા પુર્વક ‘નિવૃત્તિ નિવાસના’ સંચાલનમા યા તો  ભાતીગળ વ્યક્તિઓ સાથે જો કદી કોઈ પણ અડચણ જણાયતો તેના ઉકેલ માટે મળો યા લખો સરગમ બહેન.ડો વિનય પંડ્યા નેતો સરગમ બહેન આવ્યા પછે ખુબ જ રાહત થઈ ગઈ કારણ તેઓ ભણતરે નર્સ હતા અને તેથી બહુ વિગતે કહેવુ નહોતુ પડતુ અને નાની મોટી માવજત તો તેઓ ડો વિનય પંડ્યા પાસે ફોન ઉપર પુછીને આપી દેતા..

મેનન સાહિબા ‘નિવૃત્તિ નિવાસ’નું સંચાલન કરતા કરતા પોતાનું અસ્તિત્વ વિસરી ગઈ હતી. સરગમ બહેનેતો જાણે જાદુ ચલાવ્યો હતો.સવારના પહોરમા સરગમ બહેન સિવાય કોઈની તાકાત ન ચાલે કે મેનન  સાહિબાને ઉઠાડે. આજે સૂરજ સવારની કોમલતા ત્યજી પોતાની અસલિયત પર આવી ગયો હતો. મેનન સાહિબાની ઉંઘ ઉડી અને સરગમ ઉઠાડવા ન આવી તેથી જરા નારાજ પણ થયા. બારણું ખોલીને બહાર આવી તો સામે જીવણજી,પેસ્તનજી અને ડો.પંડ્યા ઉભેલા જણાયા. તેને થયું અરે આટલી વહેલી સવારે આ બધા કેમ અંહી?

 કોઈના મા બોલવાની હિંમત પણ ન હતી. મેનન સાહિબા કાંઈ પૂછે તે પહેલા જ ડો.પંડ્યા કહે કાલે રાતના સરગમ બહેન છાતીમા દુખવાની ફરિયાદ કરતા હતા. મેં તેમને દુખાવો દૂર કરવાની દવા આપી. સવાર થઈ ગઈ છે જરા જુઓને તેને  કેમ છે? મેનન સાહિબાએ સરગમના ઓરડા તરફ દોટ મૂકી. જઈને જુએ છે તો સરગમ “ચિર નિંદ્રામા” પોઢી ગઈ હતી.કોઈના પણ હોશકોશ ઠેકાણે નરહ્યા.નિવૃત્તિ નિવાસના’ આત્મા સમાન સરગમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.આકાશ પણ સમાચાર સાંભળીને દોડી આવ્યો. આટલી સરસ અને સુંદર વ્યવસ્થા વાળી સંસ્થાનું સંચાલન  જોઈ તે હમ્મેશા આનંદીત રહેતો. તેની નંદાનું સપનું સાકાર થઈ યોગ્ય  સ્વરૂપે પ્રક્ટી કાર્યરત થયું હતું. 

સરગમ બહેન નિવૃત્તિ નિવાસમાં દરેકના વહાલા હતા. તેનું મોહક સ્મિત અને   પ્યારભરી વર્તણુક દ્વારા સહુના માનીતા હતા. કોઈને ,ક્યારેય ,કાંઈ પણ મુંઝવણ   હોય ત્યારે સરગમબેન પાસે બેધડક પહોંચી જતા. વેળા,કવેળા,ટાનું કે કટાણું કશું   જ જોવાનું ન હોય. દરેકનું સ્મિત ભર્યા ચહેરે સ્વાગત અને હમદર્દી ભરેલ હૈયુ. એ   સરગમ બેન આજે ચીર નિંદ્રામા’નિવૃત્તિ નિવાસ’ને માથે જાણે આજે આભ ટૂટી પડ્યું.
    આકાશ બધી અંતિમ ગોઠવણમા પડ્યો. સંચાલક રેડ્ડીને બાકી બધી ભલામણ કરી વિદાય થયો. સરગમ બેનની અંતિમ યાત્રા વખતે સુંદર ગુલાબનો હાર પણ મંગાવી    રાખ્યો. અવંતિકા બહેનને તો સરગમ સાથે ખૂબ મનમેળ પડ્યો  હતો. તેમને તો હવે  ઘર કરતાં અંહી વધારે ગોઠી ગયું હતું. સોહિલ જે સરગમ બેનને અંહી લાવી સહુ ઉપર ઉપકાર કર્યો હતો તે તો સાવ જ નોંધારો બની ગયો.જીવણજી શૂન્યમનસ્કે બેઠા હતા.વલ્લભદા મનમા ને મનમા અષ્ટાક્ષર મંત્રનો જાપ કરી રહ્યા હતા. સરગમ બેનના પાર્થિવ દેહને મુલાકાતીઓના ઓરડામા જગ્યા પવિત્ર કરીને સુવડાવ્યો. અવંતિકા બેને સુરિલા અવાજમા ભજન ગાવાનું ચાલુ કર્યું.
       

 હે,નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ
 શરણું મળે સાચુ તમારું એ હ્રદયથી માંગીએ 

 

જે જીવ આવ્યો આપ પાસે શરણમા અપનાવજો
 પરમાત્માએ આત્માને ચીર શાંતિ આપજો.

    ખૂબ ભાવ પૂર્વક ઈશ્વરને પ્રાર્થી રહ્યા હતા.મીના મેનને તેમની રોજની પ્રાર્થના  
   ‘મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો.’ ગાઈ. નિવાસમા સોપો પડી ગયો. હવામાં સરગમની સુવાસ પ્રસરી રહી હતી.તેનો અવાજ ચારેકોર સંભળાઈ રહ્યો હતો.ક્યાંય તેમની ઝલક જોવામા આવતી ન હતી.
     મીના મેનન ગુમસૂમ બેઠી હતી. તેના શરીરમાંથી જાણે બધી શક્તિ હણાઈ ગઈ    હતી. તન મનથી તે ભાંગી ગઈ હતી.સરગમબેને તો તેના જીવસમસ્યાનું સમાધાન   કેવી સરળતા પૂર્વક કર્યું હતું. અવિનાશ મેનન સાથેનો સ્નેહસભર ૩૦ વર્ષનો સહવાસ પણ તે સમસ્યાને સુલઝાવી શક્યા ન હતા. મનમાને મનમા દુઃખી થઈ રહી હતી,’તેં   કેવી રીતે છેલ્લી પળો વિતાવી હશે?આખી દુનિયાના દુખ સુણનાર અને તેને સુલઝાવ   બતાડનારની અંતિમ ક્ષણોમા તેને પસવારનાર કોઈ ન હતું. સરગમ બેને શાંતિથી પ્રભુનું શરણું સ્વિકારી લીધું.’

      મીના મેનને તે દિવસ યાદ આવ્યો.

સરગમ ગયાના વિરહમા જુના દિવસોની યાદ તાજી થઈ.બાળપણમા  તોફાની રાણી તરીકે પંકાતી હતી.મારો ભાઈ મારાથી બે વર્ષ મોટો.અમારો  પ્રેમ ઉંદર બિલાડી જેવો. એ મને મોઢાના ચેન ચાળાથી ખીજવે અને હું,બોલી પડું તેને કારણે વાંક મારોજ જણાય.અરે મારા હિંદીના શિક્ષક એકવાર મને કહે 

 ’ મીના  તુમ બહોત હુશિયાર લડકી હો મૈં તુમ્હે અચ્છી લડકી બનઉંગા’.

ફટ દઈને જવાબ આપ્યો ‘સર, મુઝે અચ્છી લડકી બનના નહી હૈ.’
 
મારી સાથે મારા કાકાની દિકરી અંજુ. બે તન ને એક જાન.
 
       આવતી કાલે ઉતરાણ હતી. રંગીન મિજાજ હતો. બે કોડી પતંગ લાવ્યા.રાતના ૧૨ વાગ્યા સુધી બેસી કન્ના બાંધી.સૂરતનો કાચ પાયેલા માંજા વાળી ફિરકી મોટાભાઈએ અપાવી હતી.(હું મારા પિતાજીને મોટાભાઈ કહેતી હતી)સવારના પહોરમા ખીસામા તલના લાડુ ભરીને ઉપર અગાસીમા ગયા. ભલે  નાની બાળાઓ પણ છોકરાઓ રમે એ બધી રમતો ગમે અને રમતા પણ આવડે.

         કેટલીએ પતંગ કાપી, ઘણા બધા પેચ લડાવ્યા. કપાઈ પણ ખરી.ચારે તરફ ‘કાઈપો છે ની બુમો સંભળાતી.’જ્યારે પેટમાં ગલુડિયા બોલ્યા ત્યારે   મા અને ઘર યાદ આવ્યા. બંને જણા નીચે આવ્યા. ઘરે જઈને ગરમા ગરમ ઉંધિયું અને જલેબી ખાધા. તડકો હતો તેથી બપોરે મંગલભુવનની ચાલીમા રમવાનું નક્કી કર્યું. કુમારવિલાસ અને મંગલભુવન સામ સામે વિમાન ફેંકવાના.

   જો બરાબર ન ફેંકાયતો ગટરમા પડે. તેથી કઠેડા પર ઝુકીને પકડીએ.રમત  બરાબર જામી હતી.હું ચાલીમા પડેલા વિમાન ભેગા કરતી હતી. અંજુ સામેથી ફેંકાતા વિમાન ઝીલતી હતી. વધારે વાંકુ વળાઈ ગયું. સમતોલન ગુમાવી બેઠી  અને પલભરમા ગટરમા જઈને ઉંધે માથે પટકાણી. દૂરથી વિમાન ભેગા કરતા મેં  નિહાળ્યું અને બૂમાબૂમ કરી ઉઠી. મારો અવાજ સાંભળીને મારી મા દોડી આવી. ચંપલ પણ પહેરવાનું ભૂલી સીધી દાદરા ઉતરી અંજુ પાસે જઈ પહોંચી.કાકી પણ દોડી આવ્યા. ત્રીજે માળે રહેતા ડોક્ટર કાકા આવી પહોંચ્યા. લોહી  સખત વહેતું હતુ. એમ્બ્યુલન્સ બોલાવીને તાબડતોબ હરકિસન હોસ્પિટલમા લઈ  જવામા આવી. મગજની ધોરી નસ તૂટી ગઈ હતી. બે કલાકમા તો અંજુનું  પ્રાણ પંખેરૂ ઉડી ગયું.અંજુને ઘરે લાવ્યા,તેને નવડાવી સરસ મજાનુ નવું ફરાક પહેરાવી સુવડાવી. હું તેની પાસે ગઈ, સમજણ ન પડી તેથી. ‘ચાલને અંજુ શું ઉંઘે છે. રાતના ફાનસ ચડાવવાનું છે. ચાલ મોટા પતંગને કન્ના બાંધીએ.’મારા મમ્મી સમજી ગયા. હળવેથી મને વારી ને પોતાની પાસે બેસાડી દીધી.

          તડકો અને છાંયડો કદી સંગે ભાળ્યા છે? હું તોફાની બારકસ શાંત થઈ ગઈ. શાળાના દિવસો પૂરા થયા કોલેજમા આવી ગઈ જ્યારે પણ અંજુ ની યાદ સતાવતી ત્યારે એકલી એકલી રડતી. મનમા એક વહેમ ભરાઈ ગયો હતો કે મારો ધક્કો તો અંજુને નહોતો વાગ્યો. જે તેને માટે જીવલેણ નિકળ્યો.

         અવિનાશ મેનન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ. ખૂબ સુખી દાંપત્ય જીવન હતું. સુંદર બે બાળકોની માતા બની. કોઈકવાર અંજુ સ્મરણ પટ પરછવાઈ જાય ત્યારે અવિનાશ પાસે દિલનો ઉભરો ઠાલવતી. અવિનાશ પણ મારો વહેમ નાબૂદ કરવામા નાકામયાબ રહ્યા. બાળક પરદેશ સ્થિત થયા તેથી અવિનશ અને મીના  આકાશના સુંદર કાર્યમા જોડાઈ ગયા. નવા નવા માણસોના સહવાસે જીવનમાંથી એકલતા દૂર કરી.સરગમે તો આવીને દિલ ઉપર કબજો જમાવ્યો. અવિનાશની સિગરેટ પીવાની આદતે ફેફસાને નબળા કર્યા. પોતાના અનુભવોનું પુસ્તક જ્યારે પ્રકાશન પામ્યું ત્યારે ખૂબ આનંદ થયો.
     
     બાયપાસનું ઓપરેશન કરાવ્યું દુખાવો કાબૂમા ન આવતા વર્ષની અંદર ફરી કરાવ્યું. ભલું થજો આકાશનો રંગીન સ્વભાવ, ડો.પંડ્યાની કુશળતા,જીવણજીનો પ્યાર ભર્યો સહકાર અને સરગમ બહેનની હુંફ ભરી ચાકરી. અવિનાશ મેનન ઘરે તો આવ્યો. પણ ખુબ અશક્ત અને નિર્લેપ. જાણે  જીવવાની જીજીવિષા સૂકાઈ નગઈ હોય. સહુનો પ્યારો અને હસાવતો  અવિનાશ મેનન શાંત બની ગયો. મીના આ બધા ફેરેફાર મનમા ને  મનમા નોંધતી અને સરગમ બહેન પાસે હૈયું ઠાલવતી. સરગમ બહેન પણ જાણે પોતાની નાની બહેન ન હોય તેમ મીનાને ખમા લેતા. એક દિવસ અચાનક અવિનાશે સહુનો સાથ ત્યજ્યો. મીના એકલી પડી,

   ભલું થજો ‘નિવૃત્તિ નિવાસના’ પરિવારનું કે મીનાના દિવસો શાંતિથી પસાર થતા.   અવંતિકા બેન સાથે દિકરો. વહુ હતા.તેમની વહુનું મુખ જોઈ અંજુની યાદ તાજી થઈ. મીના મેનનના મ્હોં ના હાવભાવનું પરિવર્તન સરગમ બેનથી છાનું ન રહી શક્યું. તેની બધી વિધિ પતાવી રાતના સરગમ  બહેન મીના મેનના ઓરડા તરફ વળ્યા. તેમને જોઈને મીના મોકળા મને રડી ઉઠી. બધીજ દિલની વાત સરગમ બેનને કરી. સરગમ બહેન કહે

‘જેવાત નથી, જે વાતનો પાયો નથી એ વાત આટલા વર્ષો શા કાજે દિલમા સંઘરી છે મારી નાની બહેન્.અંજુ તને ખૂબ વહાલી હતી. એ ઉંમરે   પોતાનું કહેવાય તેવી વ્યક્તિથી વિજોગ પડે તે બાળમાનસ સ્વિકારી ન શકે. તેથી જ તું વહેમનો શિકાર બની. હકિકતમા અંજુ પોતાનું સમતોલ પણું ગુમાવી બેઠી હતી. તું તો જમીન પરથી વિમાન ભેગા કરતી હતી.’

          ખુબ પ્રેમ અને સાંત્વના પૂર્વક વાત સાંભળી મીના મેનનને થયું ,ખરેખર પોતાનો કોઈ વાંક ગુનો  નથી. પ્રિય સખી અંજુનુ મૃત્યુ આકસ્મિક હતું.ત્યાર પછી તો સહુના ચહીતા સરગમ બહેન ‘નિવૃત્તિ નિવાસનું’ કેન્દ્ર બિંદુ બની  ગયા હતા. અને આજે એ 
       
      

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.