માનવામા આવે છે?

February 17th, 2008 by pravinash Leave a reply »

 

 

 

 

images16.jpg 

જીભ લસલસતા ઘીનો બનાવેલો શીરો ખાય પણ કદી ચીકણી નથી હોતી

.
ગગનેથી બારેમેઘ ખાંગા થાય પણ તે તો કોરુધકોર હોય.

બોટલમાં શરાબ હોય પણ બોટલ કદી નાચતી નથી કે હોશ ગુમાવતી નથી.

હીરાને કદી પોતાના મૂલ્યની ખબર નથ અને તેની તેને દરકાર પણ હોતી નથી.
જીવતા માણસની કદર ન કરે મર્યા પછી તેના ગુણગાન પુણ્ય સ્મૃતિ અને સન્માન કર્યા શું કામનાં?.

પેન લખે સડસડાટ પણ તેનામા જ્ઞાન કેટલું.

નમ્રતા એતો માનવનું અલંકાર છે.

મુજથી હું અભિન્ન છું પણ હું મુજમાં સમાયેલ છે.

અહંકારને ડુબવા માટે સાગર નહી અશ્રુનુ ટીપુ પણ ચાલે.

ઈશ્વર ગાડીનું ‘સ્પેર વ્હીલ” નથી “સ્ટિયરીંગ વ્હીલ” છે.

પ્રાર્થના જીવનનો જાન નથી ગાન છે.તે ઉપર જાય છે જ્યારે આશિર્વાદ નીચે ઉતરે છે

ઘડપણમાં હસાય નહી એના કરતા હસીએ નહી તેથી ઘડપણ ઢુંકડુ જણાય.

જીવનમા જે આવે છે તે જવા માટે.

સુખની કિંમત ત્યારે જણાય જ્યારે દુખ પડે ત્યારે.

સુખદુખ સંજોગો પર આધારિત છે તેના કરતા તેના પ્રત્યેના અભિગમ પર નિર્ભર છે.

જીવનમા કશુ શાશ્વત નથી. સઘળું અનિત્ય છે.

સર્વનું મંગલ હો. સર્વનું મંગલ હો.

Advertisement

1 comment

  1. vijayshah says:

    ઇશ્વર ગાડીનું ” સ્પેર વ્હીલ નથી..સ્ટીયરીંગ વ્હીલ છે.

    બહુ સરસ અને ઉંચી વાત કહી..એના ભરોંસે બુધ્ધી નથી ચાલતી તેથી તો વારંવાર દુઃખ ના અનુભવો થાય છે. પછી થાકીને હારીને જ્યારે તેને જીવનનું સુકાન સોંપે છે ત્યારે સૌ ઠરીને ઠામ થાય છે.

    You made my day!

    Thanks

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.