ભગવાન આજે ખૂબ ખુશ જણાતા હતા. મંદિરમાં નવરાત્રિ અને દશેરાની
પૂજા ચાલતી હતી. ભાવતા ભોજન અને સૂકામેવાના થાળ જોઈ તેમનો હરખ
માતો ન હતો.
આનંદમાં આવી જઈ ભગવાન પણ ભૂલ કરી બેસે. ‘માગ માગ માગે તે આપું.’
બસ ભક્તને એ જ જોઈતું હોય. તેની માગણીઓ દિવસે ન વધે તેટલી રાતે વધે.
ભગવાનને થયું અરે આ ભક્તતો થકતાજ નથી. બિચારા ભગવાન, થાકીને લોથ
પોથ થઈ ગયા. ભક્તતો તેમને રાતે પણ આરામ લેવા દેતા નહીં.ભગવાન બિચારા
થાક્યા. થાકીને તેમના ગુરુ સાંદિપની પાસે પહોંચ્યા. “ગુરૂદેવ, બચાવો’મેં ભૂલથી
માનવની માગણી સંતોષવા માટે માગવાનું કહ્યું પણ હવે તે થાકતો નથી.” હું ક્યાં
જાઊં?”
ગુરૂ ખૂબ જ જાણકાર હોય. કહેવા લાગ્યા તું માનવના અને ભક્તના હ્રદયમાં જઈને
વાસ કર તને કોઈ દિવસ તેઓ હેરાન નહી કરે. કારણ ખૂબ જ સરળ છે. માનવ અને
ભક્તને કદીયે પોતાના હ્રદયમાં ઢુંકવાનો સમય હોતો નથી. તેઓ તને ખોળી શકશે નહી.
વત્સ, તું મળીશ નહી એટલે તારે તેમેની કોઈ પણ માગણીઓ પૂરી કરવી પડશે નહીં.
ક્યાં રહેવું
October 17th, 2007 by pravinash Leave a reply »
Advertisement