દુહો
હે———-
ગોકુળથી મથુરાનો મારગ ભલે લાગતો નાનો
કાનુડાની નીંદ ઉડાડી લઈ ગયો મતવાલો
થઈયા —થઈયા——થા
ગોકુળ છોડીને મથુરા આવીને મારી નિંદર વેરણ થઈ
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા—–
નંદ જશોદાનો નિર્મળ પ્રેમ અને વ્રજવાસીઓનું વહાલ
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા—-
ગોકુળને ગોંદરે ગાયોના સાદને ગોપીઓની રૂડી પ્રિત
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા——
મથુરાના રાજભોગ ફીક્કા લાગે ભલા ગોકુળના માખણ મિસરી
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા——–
મથુરાના મારગ મોકળારે મને વહાલી ગલીઓ સાંકડી
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા——
ઇન્દ્રપુરી પણ તુચ્છ ભાસે મને વહાલેરું ગોકુળીયુ ગામ
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા———
ગોકુળ છોડતા વખતે કૃષ્ણને પયેલી વિરહની
વેદના
૦ ૦
૦ ૦
. .
. .
રાસની રમઝટ